રાજ્યમાં ચાલુ વર્ષે સીઝનનો 128.57 ટકા વરસાદ
14 હજાર મકાનોને નુકસાન, સરકારે અત્યાર સુધીમાં સહાય પેટે 91 કરોડ મંજૂર કર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેતીપાકને માઠી અસર પહોંચી છે. આ ઉપરાંત ચોમાસાની સિઝન દરમિયાન 136 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 14 હજાર જેટલા કાચા પાકા મકાનને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મકાન અને માનવ મૃત્યુ માટે 91 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. રાજ્યમાં આ વર્ષે વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો, સરેરાશ સામે 128.57 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસાની સત્તાવાર વિદાય બાદ પણ રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકો અને મકાનને નુકસાની ઉપરાંત ખેતીને પણ માઠી અસર પહોંચી હતી.
ચાલુ વર્ષે વર્ષાઋતુમાં થયેલું નુકસાન
- Advertisement -
0136 માનવ મૃત્યુ
0096 માનવ ઇજા
3352 પશુ મૃત્યુ
0115 ઝૂંપડામાં નુકસાન
8248 અંશત: કાચા મકાનમાં નુકસાન
0292 સંપૂર્ણ કાચા મકાનમાં નુકસાન
5422 અંશત: પાકા મકાનમાં નુકસાન
0037 સંપૂર્ણ પાકા મકાનમાં નુકસાન
0063 શેડમાં થયેલું નુકસાન



