ગિરનાર અંબાજી મંદિર જે આધ્યાત્મિક ગાદી માટે જંગ: સાધુ-સંતો વચ્ચે ખેંચતાણ
સનાતન ધર્મની એકતાની વાત વચ્ચે ડખ્ખાની વાત મહંત પદ કોના શિરે? તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તપાસ થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર અને ભીડભંજનના મહંત ટ્રસ્ટી બનવા માટે 18 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં હરીગીરી, ઈન્દ્રભારથી, મહેન્દ્રાનંદગીરીના શિષ્યો, મહેશગીરી, બુધ્ધગીરી, ઋષિભારથી તથા તનસુખગીરીના અંગત સ્વજનો સમાવિસ્ટ છે. હવે તંત્ર દ્વારા કોને મહંત બનાવવામાં આવશે તે અંગે અનેક અટકળો વહેતી થઈ છે. જે સાધુ – સંતોએ દાવેદારી કરી છે. તેના માટે મહંત પદ કોના શિરે? તંત્ર દ્વારા જીણવટ પૂર્વક તપાસ કરવામાં આવશે. અંબાજીના મહંત તનસુખગીરીનું નિધન થતા તનસુખગીરીએ સત્તાવાર રીતે તેમના કોઈ અનુગામીની નિમણૂક કરી ન હતી. જેના કારણે તનસુખગીરી બ્રહ્મલીન થતાની સાથે જ વિવાદ શરૂ થયો હતો. હજુ તો તનસુખગીરીને સમાધી પણ અપાઈ ન હતી ત્યાં જ સાધુ-સંતોમાં મોટાપાયે બબાલ થઈ હતી. ત્યારબાદ હરીગીરીના જુથ દ્વારા પ્રેમગીરીની ખોટી રીતે ચાદરવિધી કરવામાં આવતા તનસુખગીરીના અંગત સ્વજનોએ હોબાળો કરી મુક્યો હતો. સાધુ-સંતોના ડખ્ખાના કારણે સરકારે તાબડતોબ અંબાજી મંદિરમાં વહિવટદાર તરીકે મામલતદારની નિમણુંક કરી દીધી હતી. ત્યારથી અત્યાર સુધી , મામલતદાર દ્વારા મંદિરનો વહિવટ ચલાવવામાં આવી રહ્યો છે. હવે નવા મહંત કોણ તે નક્કી કરવા માટે તંત્ર દ્વારા ફોર્મ બહાર પાડવામાં આવ્યું હતું. આ ફોર્મ ભરવાના ગત રોજ અંતિમ દિવસ હતો. આજ સુધીમાં કુલ 18 લોકોએ મહંત બનવા માટે દાવેદારી નોંધાવી છે. આ દાવેદારોમાં ભવનાથના સાધુ-સંતોના અંગત વ્યક્તિઓએ દાવેદારી નોંધાવતા કોને મહંત બનાવવામાં આવે તે મહત્વનું બની ગયું છે. જૂનાગઢ મામલતદાર (શહેર) સમક્ષ દાવેદારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આજથી મામલતદાર દ્વારા તમામ દાવેદારોનું લિસ્ટ અને બ્રહ્મલીન મહંત તનસુખગીરી સાથેના તેના સબંધના રજૂ કરાયેલા પુરાવા સાથેનો અભિપ્રાય પ્રાંત અધિકારી સમક્ષ મોકલવામાં આવશે. પ્રાંત અધિકારી દ્વારા તેમાં ચકાસણી કરી કલેક્ટર સમક્ષ મોકલવામાં આવશે. કલેક્ટર દ્વારા જરૂર પડયે હિયરીંગ રાખવામાં આવશે અને તેમાં સૌથી વધુ તનસુખગીરી સાથેના ગુરૂ-શિષ્યના પુરાવા રજુ કરવામાં કોણ યોગ્ય છે તે અંગે નિર્ણય લઈ મહંતની કલેક્ટર દ્વારા નિમણૂક કરવામાં આવશે તેવું તંત્રએ જણાવ્યું છે.
અંબાજી મંદિરના મહંત પદ માટે કોણે કોણે દાવેદારી કરી
1. જગતગુરૂ વિરભદ્રનંદગીરી ગુરૂ દત્તાત્રેય
2. મહામંડલેશ્વર સ્વામિ ઋષિભારતીજી
3. ધવલગીરી નરેન્દ્રગીરી ગોસ્વામી
4. મલયગીરી તરૂણગીરી ગોસ્વામી
5. કુંદનગીરી અરજણગીરી અપારનાથી
6. કાંતિગીરી અરજણગીરી અપારનાથી
7. મહંત મહેશગીરી ગુરૂ અમૃતગીરીજી
8. અરવિંદભારથી ગુરૂ ઈન્દ્રભારથી
9. કૈલાશાનંદગીરી ગુરૂ મહેન્દ્રનંદગીરી
10. રાજેન્દ્રગીરી ગુરૂ મહેન્દ્રાનંદગીરી
11. સાધવી મનિષાનંદગીરી ગુરૂ મહેન્દ્રાનંદગીરી
12. દુષ્યંતગીરી કરણગીરી અપારનાથી
13. થાણાપતિ બુધ્ધગીરી ગુરૂ બચુગીરી
14. મહાદેવનંદગીરી ગુરૂ હરીગીરી
15. નાનાપીરબાવા મહંત હેમાંશુગીરી ગુરૂ
ગણપતગીરી
16. તેજસ રસીકભાઈ ભારથી
17. હર્ષગીરી નરેન્દ્રગીરી અપારનાથી
18. હિરેન બટુકભાઈ મહેતા



