રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પ્રદિપસિંહજીએ પીએસઆઇથી લઇને ડીવાયએસપી તરીકે ગુજરાતના વિવિધ શહેરોમાં ફરજ બજાવીને ખૂબ જ લોકચાહના મેળવી છે: એસપી તરીકે પ્રમોશન મળતા ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોએ બિરદાવ્યા: રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજીની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટના તાલુકાના સુકી સાજડીયાળી ગામના વતની અને હાલ અમદાવાદ જે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા પ્રદિપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને એસપી તરીકે પ્રમોશન મળતા શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય અને તેની સંલગ્ન અન્ય ત્રણ સંસ્થાઓ દ્વારા હરભમજી ગરાસીયા છાત્રાલય, રજપૂતપરા ખાતે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા રહ્યા હતાં.
- Advertisement -
આ સન્માન સમારંભ પ્રસંગે ડાયેસ પર ક્ષત્રિય સમાજના માંધાતાસિંહ જાડેજા (રાજકોટના ઠાકોર સાહેબ) સાથે ભડવાણાના પ્રદ્યુમનસિંહ રાણા, ડો. રૂદ્રદત્તસિંહ ઝાલા (ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ), પર્વ મેટલના એસ.ડી. ઝાલા, પીજીવીસીએલના પૂર્વ એમડી એમ.બી. જાડેજા, જયપાલસિંહ સરવૈયા, કે.બી. ઝાલા (નિવૃત્ત ડીવાયએસપી), પરબતસિંહ જાડેજા (હરભમજી છાત્રાલય ટ્રસ્ટી), દેવેન્દ્રસિંહ જાડેજા (સોળિયા), દૈવતસિંહ જાડેજા, હરિશ્ર્ચંદ્રસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ), અંબાદાન રોહડીયા, જયંતભાઇ પંડ્યા, ભવતુભા ઝાલા (નિવૃત્ત ડીવાયએસપી), એ.પી. જાડેજા, એસ.બી. ગોહિલ, આર.જી. વાઘેલા, જે.કે. ઝાલા, ડી.એમ. વાઘેલા, સી.પી. દલાલ અને જયેન્દ્રસિંહ જાડેજા, વિષ્ણુદાન ગઢવી-નિવૃત્ત ડીવાયએસપી તથા આર.આર. ગોહિલ અને એ.જે. જાડેજા, આર.એફ. ગોહિલ-નિવૃત્ત પીઆઇ તેમજ ભક્તિનગરના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, આજી ડેમ પીઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ ઝાલા, આર.કે. જાડેજા, સી.બી. જાડેજા સહિતના અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
એસપી તરીકે પ્રમોશન મેળવનાર પ્રદિપસિંહ જાડેજાને બિરદાવવા યોજાયેલા સન્માન સમારોહમાં આ ચાર સંસ્થાઓનો સિંહફાળો હતો, જેમાં શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય, કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ગરાસીયા એસોસિએશન, શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ અને શ્રી પ્રવિણસિંહ (સોળિયા) હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળનો સમાવેશ થાય છે.
સુકી સાજડીયાળી પરિવાર દ્વારા ચારેય સંસ્થાઓને 1,44,111નું દાન
- Advertisement -
પ્રદિપસિંહ જાડેજા જે ગામના વતની છે તે સુકી સાજડીયાળી પરિવાર દ્વારા શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયને 1,11,111, કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસીયા એસોસિએશનને 11,000, શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલને 11,000 તથા શ્રી પ્રવિણસિંહ (સોળિયા) હરભમમજી ગરાસીયા છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળને 11,000 મળી કુલ 1,44,111નું દાન આપવામાં આવ્યું હતું. સુકી સાજડીયાળી પરિવારના પરબતસિંહ જાડેજા, જે.બી. જાડેજા, આઇ.બી. જાડેજા, જયદિપસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, એસ.પી. જાડેજા તથા હર્ષરાજસિંહ જાડેજા આ સુંદર પળોના સાક્ષી બન્યા હતાં.