TRP અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસી નેતાઓને ડીટેઈન કરાયા : કોંગ્રેસના સતત 6 દિવસ કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
25 મે, 2024ને શનિવારની ઢળતી સાંજે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ઝછઙ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ગેમ ઝોન પાસે ફાયર ગઘઈ જ નહોતું. હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે ગાઇડલાઇન તો જાહેર કરી, પણ હજુ સુધી સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી. આ ઘટનાની પ્રથમ વરસી નજીક આવતા પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં આગામી પાંચ દિવસ સુધી કોંગ્રેસ દ્વારા વિવિઘ કાર્યક્રમો યોજવામાં આવશે, જેની શરૂઆત આજથી (20 મે, 2025)થી કરવામાં આવી છે.
આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ભાજપ હાય હાય સહિતના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્રિકોણબાગથી મનપા કચેરી સુધીની રેલી શરૂ કરતાની સાથે જ પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાની અટકાયત કરી લેવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશરનો ઘેરાવ કરવાનું આયોજન કરાયું હતું, જેને લઈને સાવચેતીના ભાગરૂપે મનપા કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે જનરલ બોર્ડની બેઠક પણ યોજાનાર હોય ત્યાં પણ કોંગ્રેસના નગરસેવકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ તકે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, મ્યુ. કમિશનર ભાજપનું પીઠું છે. અમારા દ્વારા તેઓને ફરિયાદી બની પદાધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવા વારંવાર રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. છતાં આખું વર્ષ વીત્યા બાદ પણ તેમણે આવી કોઈપણ કાર્યવાહી કરી નથી. તેઓ ભાજપના નેતાઓનાં ઈશારે કામ કરી રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડમાં દોષનો ટોપલો હાલમાં સાગઠિયા ઉપર ઢોળી દેવામાં આવ્યો છે, પરંતુ તેઓએ ડિમોલિશનની નોટિસ આપ્યા બાદ તેને અટકાવનાર કોઈ ભાજપના નેતા જ હોય તે સ્વાભાવિક છે. જેની સામે આજ સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આગામી 25 મેં સુધી વિવિધ કાર્યક્રમો આપી તંત્રને જગાડવા પ્રયાસ કરવામાં આવશે. તો પ્રિમોન્સૂન કામ સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતાં.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, આગામી 25મી મેના રોજ આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી સાચો ન્યાય મળ્યો નથી. અનેક તપાસો થઈ, અધિકારીઓની ધરપકડ થઈ, પરંતુ પીડિતોના આંસુ હજુ સુકાયા નથી. તેમજ પદાધિકારીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. આથી કોંગ્રેસ હવે ચૂપ બેસવા માંગતી નથી. પીડિતોને ન્યાય અપાવવા માટે તમામ સંભવ પ્રયાસો કરશે. જેમાં અજે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના કાર્યકરો, પીડિત પરિવારોના સભ્યો અને ન્યાય માટે લડનારા નાગરિકો દ્વારા પદયાત્રા યોજી મનપા કમિશનરને રજૂઆત કરાશે. જોકે, આ પહેલા ત્રિકોણબાગથી તમામની અટકાયત કરી લેવામાં આવી છે.
- Advertisement -
કોંગ્રેસના 25 મે સુધીના જુદા-જુદા કાર્યક્રમો
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા 6 દિવસના જુદા જુદા કાર્યક્રમોની વાત કરીએ તો આજે ત્રિકોણબાગથી મ્યુ. કમિશનર કચેરી સુધી રેલી યોજવાની હતી, પરંતુ તમામની અટકાયત કરી લેવામાં આવી છે. આવતી કાલે (21 મેને બુધવાર) સવારે પોલીસ કમિશનરને રૂબરૂ મળીને સમગ્ર ઘટનાની ગંભીરતાથી રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ બપોરના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ‘ન્યાય સંકલ્પ રથ’નું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ રથ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે અને પીડિતો માટે ન્યાયની માંગણીને વધુ મજબૂત બનાવવામાં આવશે.
અંતિમ દિવસે કેન્ડલ માર્ચ યોજી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે
આંદોલનના અંતિમ દિવસે 25 મેને રવિવારે સાંજે 7:30 વાગ્યે જિલ્લા પંચાયત ચોક ખાતે એક ભાવુક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે કેન્ડલ માર્ચ યોજી ઝછઙ ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે જોડાશે તેવી અપેક્ષા પણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. તો સાથે જ આ ઘટનામાં બેદરકારી રાખનાર પદાધિકારીનાં નામ જાહેર કરી તેની સામે કાર્યવાહી કરવાની માંગ પણ તેમણે કરી હતી.



