ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા તા.22 ના રોજ યુનિવર્સિટીના તમામ વહીવટી સ્ટાફ માટે એક દિવસીય તાલીમનું આયોજન થયું. આ તાલીમના અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ પ્રો.લલિતકુમાર પટેલ તથા મુખ્ય વક્તા તરીકે અત્રેના મુખ્ય હિસાબી અધિકારી હર્ષદકુમાર પરમાર ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત અત્રેની યુનિવર્સિટી સંચાલિત કોલેજના આચાર્ય ડો.નરેન્દ્રકુમાર પંડ્યા અને અનુસ્નાતક ભવનના અધ્યક્ષ પ્રો.વિનોદ કુમાર ઝા સહિત અત્રેની યુનિવર્સિટીના તમામ વિભાગોના વડાઓ અને વહીવટી સ્ટાફ મળી કુલ-30 જેટલા લોકોએ ખૂબ ઉત્સાહથી તાલીમમાં ભાગ લીધો હતો. આ તાલીમમાં સૌપ્રથમ તાલીમના અધ્યક્ષ અને કાર્યકારી કુલસચિવ પ્રો.લલિતકુમાર પટેલે પ્રાસ્તાવિક ઉદ્બોધન કર્યું હતું.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે તમામ વહીવટી સ્ટાફ માટે એક દિવસીય તાલીમ યોજાઇ
