રાજકોટ મહાપાલિકાની 22,585 ઘરમાં પોરાનાશક કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.24/3/2025 થી તા.30/03/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 22,585 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 988 ઘરોમાં ફોગીંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવે છે.
- Advertisement -
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 313 પ્રીમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી. જેમાં 104 રહેણાંક અને 47 કોર્મશીયલ આસામીને નોટીસ આ5વામાં આવી છે.
તા.24/3/2025 થી તા.30/03/2025 દરમ્યાન મચ્છરજન્ય રોગોમાં પોઝિટિવ કેસની સંખ્યામાં મેલેરિયા 1, ડેન્ગ્યુ 0, ચિકુનગુનિયા 1, શરદી-ઉધરસ 767, સામાન્ય તાવ 730, ઝાડા-ઉલટી 187, ટાઈફોઈડ તાવ 1, કમળો તાવ 2, મરડા 0, કોલેરા 0 કેસો નોંધાયા છે. ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે આટલું જરૂરી કરીએ. પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ. ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ. બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ. અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ. છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ. ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમ્યાળન પુરૂ શરીર ઢંકાય તેવા ક5ડાં 5હેરવા.



