ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં લાયબ્રેરી વિભાગ દ્વારા દ્વારા જ્ઞાન, સંસ્કૃતિ અને વારસોની ઉજવણી ભવ્ય પુસ્તક પ્રદર્શનનું આયોજવન કરવામાં આવ્યુ હતુ. જેમાં અંદાજીત એકાદ કરોડથી વધુ મુલ્યનાં 6000થી વધુ પુસ્તકો પ્રદર્શિત કરાયા હતા. પુસ્તક પ્રદર્શનને ખુલ્લુ મુકતા અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાનાં કોઠારી સ્વામિએ જણાવ્યુ હતુ કે પુસ્તકો સાચા મિત્રો ની ગરજ સારે છે. આપણા ધાર્મિક ગ્રંથો, પુરાણો, વેદો વિગેરે જેવા પુસ્તકોમાંથી જગતના અનેક લોકોને જીવનમાં ઉત્સાહ જગાડી કામ કરવાની પ્રેરણા મળે છે. ભારતીય સંસ્કૃતિને વર્ષો સુધી ટકાવી રાખવા માટે પણ પુસ્તકોનો સહારો લેવો પડે છે. મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવાથી વિપત્તિમાં શાંતિ રાખવાની પ્રેરણા મળે છે. સારા પુસ્તક સુખ દુ:ખના સાથી છે ઉત્તમ પુસ્તકો સંમભાવપૂર્વક જીવન જીવવાની પ્રેરણા આપે છે. સારા પુસ્તકો જીવનમાં હિંમત, શોર્ય, બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવા મહાન ગુણોનો વિકાસ કરે છે. સારા પુસ્તકો અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો વગેરે દૂર કરવા અને મૂંઝવણમાંથી માર્ગ કાઢવા માટે પણ ઉપયોગી બને છે. આ પ્રસંગે પ્રાસંગીક વાત કરતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) અતુલ બાપોદરાએ જણાવ્યુ હતુ કે પુસ્તક વાંચન ચિતનો સર્વોત્તમ ખોરાક છે. પુસ્તકો અરીસા સમાન છે. સત્ય અને સ્પષ્ટ વક્તા છે. પુસ્તક તો વ્યક્તિત્વનો પરિચય કરાવે છે, પુસ્તકો મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેનું સરળ સાધન છે, આાજનાં પુસ્તક પ્રદર્શનમાં રજુ થયેલ પુસ્તકો યુનિ. અને વિદ્યાર્થીઓને લાભદાયી બની રહે તે પ્રકારનાં છે જેમાં વિજ્ઞાનથી વેદ સુધીની વાત રજુ થાય તેવા દર્લભ ગ્રંથો આકર્ષણનું કેન્દ્ર છે. પુસ્તકો સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દીવાદાંડી સમાન છે. પુસ્તકોનું સંકલન જ આજના યુગનું વાસ્તવિક વિદ્યાલય છે.
નરસિંહ મહેતા યુનિ. દ્વારા જ્ઞાન, સંસ્કૃતિનાં વારસાની ઉજવણીરૂપે ભવ્ય પુસ્તક પ્રદર્શન યોજાયું

Follow US
Find US on Social Medias