By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?
    11 hours ago
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    2 days ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    2 days ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    2 days ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા, કોઈ ઈન્ડિયન PMની આ પહેલી મુલાકાત
    11 hours ago
    મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કાર ઊભી પિકઅપમાં ઘૂસી જતાં 9નાં મોત
    11 hours ago
    ‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ’
    11 hours ago
    ઇઝરાયલનો ઇરાનના પરમાણુ રિએક્ટર પર હુમલો
    12 hours ago
    નવો FASTag કેવી રીતે ખરીદવો? માન્યતા કેટલી છે? કઈ ટ્રિપ્સ ગણાશે?
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    11 hours ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    2 days ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    3 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    4 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    14 hours ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    2 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    3 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    6 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સનાતન વિરુધ્ધનાં ષડ્યંત્રોને ઉઘાડાં કરતું અદ્ભૂત પુસ્તક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સનાતન વિરુધ્ધનાં ષડ્યંત્રોને ઉઘાડાં કરતું અદ્ભૂત પુસ્તક
રાજકોટ

સનાતન વિરુધ્ધનાં ષડ્યંત્રોને ઉઘાડાં કરતું અદ્ભૂત પુસ્તક

Khaskhabar Editor
Last updated: 2025/01/31 at 4:58 PM
Khaskhabar Editor 5 months ago
Share
6 Min Read
SHARE

‘નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય’

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

હિંદુ સનાતન ધર્મ પ્રારંભથી જ લવચીક રહ્યો છે. જે ધર્મના પાયામાં જ ઉદાર ભાવના સમાયેલી હોય, જ્યાં વિવિધ મત, પંથ અને વિચારધારાને સહજપણે સ્વીકારી તેને એક માળામાં મણકાની જેમ પરોવીને અદ્વૈતની ઊંચાઈએ પહોંચાયું હોય – તે શ્રેષ્ઠતમ હોય તેમાં કોઈ બે મત નથી. સનાતન ધર્મ અનેકવિધ મત અને સંપ્રદાયમાં વહેંચાયેલો દેખાય છે, પણ અંતે તો સાકાર પંચદેવની ઉપાસના દ્વારા નિરાકાર પરબ્રહ્મની પ્રાપ્તિ જ હિંદુ ધાર્મિક વ્યક્તિનો ધ્યેય હોય છે.
પણ સનાતનની આ જ વિશેષતાનો દૂરુપયોગ કરી અમુક સ્વાર્થી વ્યક્તિઓ સંપ્રદાયના નામે પોતાના વ્યક્તિગતલાભ કે સત્તા લાલસા માટે ધર્મ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ અને સત્ય વિરુદ્ધ એક અલગ વિચારધારા સર્જી લોકસમૂહને છળ દ્વારા અધર્મ – પાપના માર્ગે દોરી જાય છે. ભૂતકાળમાં પણ વખતોવખત આવા ધર્મ વિરુદ્ધના કાર્યોનો વિરોધ લોકો દ્વારા થયેલ. જેમ કે પુષ્ટીમાર્ગ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટો વિરુદ્ધ કરસનદાસ મૂળજીએ અવાજ ઉઠાવેલો (મહારાજ લાયબલ કેસ) જેના પરિણામરૂપ લોકોને પુન: સનાતનના માર્ગે પરત લાવવામાં સફળતા મળી હતી.
આજે ફરીથી સનાતન ધર્મ વિરુદ્ધ ષડ્યંત્ર રચાયું છે. જેને ખુલ્લું પાડવા આ પુસ્તક કોણ સ્વામી અને કોણ નારાયણ? સામે આવ્યું છે. વૈષ્ણવ સંપ્રદાયની જેમ જ કૃષ્ણભક્તિ ઉપર આધારિત ઉદ્ધવ સંપ્રદાય જે કાળક્રમે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પરિવર્તન પામ્યો, તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના શાસ્ત્રોમાં છેડખાની કરી કેવું સનાતન વૈદિક ધર્મ વિરોધી સ્વરૂપ ઉત્પન્ન કરવામાં આવ્યું તે આ પુસ્તક વિગતે જણાવે છે. વીસ પ્રકરણોમાં ફેલાયેલ આ પુસ્તકમાં પોતાના ઈષ્ટદેવ કૃષ્ણને સાઈડમાં ધકેલીને સહજાનંદ સ્વામી ‘સર્વોપરી ભગવાન’ કેવી રીતે બની ગયા કે બનાવી દેવાયા તેનો પ્રમાણ સહિત ઇતિહાસ છે. કઈ રીતે ગુજરાતના હિંદુઓને આ સંપ્રદાય દ્વારા પંચદેવ પૂજાથી વિમુખ કરવામાં આવે છે અને સંપ્રદાય કઈ રીતે પોતાની મૂળ હિંદુ સનાતન ધર્મની વિચારસરણીથી ભટકી ગયેલ છે? – આ બધાં પ્રશ્ર્નોનો જવાબ આ પુસ્તકમાંથી મળી રહે છે. લેખકે સંપ્રદાયના પ્રારંભથી આજદિન સુધીની તમામ બાબતો આવરી લીધી છે. કૃષ્ણભક્ત સંતથી અવતાર અને પછી સર્વોપરી ભગવાન, અક્ષરધામનું જૂઠ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, અંગ્રેજો અને ખ્રિસ્તી પાદરીઓની મદદથી સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો સ્થપાવો, શાસ્ત્રોના નકલી પુરાવાઓ, પુરાણોના વિકૃત અર્થઘટનો, સોશિયલ મીડિયા પર સનાતનીઓની જાગૃતિથી ઉભુ થયેલું જન આંદોલન, સંઘ અને શંકરાચાર્ય, પરંપરાવાદી સંતો અને સંઘ સમર્થિત સંતો તેમજ સંપ્રદાય વિરુદ્ધ જાગૃતિ માટે સનાતનીઓ દ્વારા આજદિન સુધી થયેલા પ્રયત્નો અને તમામ બાબતોની વિસ્તૃત છણાવટ છે.

લેખક ડો. કૌશિક ચૌધરી જે હિંદુ આધ્યાત્મ અને આઘુનિક વિજ્ઞાનને જોડતા પુસ્તકોના લેખક અને ગુજરાત સમાચાર તેમજ લોકસત્તા જનસત્તા જેવા વર્તમાન પત્રોના કોલમિસ્ટ છે, તેમણે આ વિષય પર પોતાના સંસ્મરણોની એક કથા રૂપે આખો વિષય વર્ણવ્યો છે. અને તે કથા તેમાં આવતા પ્રમાણભૂત સંદર્ભો, વિડિયો અને પુસ્તકોની વેબ લિંકો તેમજ તેમના આ વિષય પર લખાયેલા ગહન લેખો વડે એટલી અદભુત રીતે ગુંથવામાં આવ્યું છે કે વાચક પુસ્તક એકવાર પકડે એટલે નવ દસ પ્રકરણ એકસાથે વાંચી નાખે. પુસ્તક એટલી સખત રીતે તેના પ્રવાહમાં તમને ઝકડી રાખે છે, કે કોઈ અગત્યના સામાજિક-ધાર્મિક મુદ્દા પર ઉપલબ્ધ થનાર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ સાથે એક સ્વતંત્ર પુસ્તક તરીકે પણ રસપ્રદ, રોચક અને સફળ સાબિત થાય છે.
પુસ્તકમાં હિંદુ ધર્મના શાસ્ત્રો સાથેના પ્રમાણો એટલા સખત રીતે અપાયા છે કે કોઈ એમ ના સમજી શકે કે લેખક દ્વારા સંપ્રદાય પ્રત્યે દ્વેષભાવ કે ઈર્ષાના કારણે હવા-હવાઈ વાતો લખાઈ છે. દરેક પ્રકરણમાં પોતાની વાત અને તર્ક માટે શાસ્ત્ર સંમત સત્ય પણ દર્શાવ્યુ છે. સંપ્રદાયના સનાતન વિરોધી સ્વરૂપ અને ગતિવિધિઓના વિષયને પંદર પ્રકરણોનો પહેલો ખંડ જુએ છે, અને પછી એ તમામ મુદ્દે જ્યાં સંપ્રદાય દ્વારા ધાર્મિક ભ્રષ્ટાચાર અને જૂઠ, પ્રપંચ નિર્માણ કરાયા છે ત્યાં વેદ અને પુરાણોમાં શું કહેવાયું છે તેને વેદો અને પુરાણોની શ્લોક સંખ્યા સાથે બીજા ખંડમાં કહેવાયું છે. વેદોના ભગવાન વિષ્ણુ, શિવ, શક્તિ, સૂર્ય અને ગણેશનું સ્વરૂપ શું છે, અને પુરાણોમાં તેમનું સ્વરૂપ કઈ રીતે સાકાર બનાવી પંચદેવ ઉપાસના સ્થાપિત કરાઈ છે તેનું સુંદર શાસ્ત્રોક્ત જ્ઞાન બીજા ખંડમાં મળે છે.
આમ, એક સાચા સનાતનીને આ પુસ્તક ના ફક્ત એક સંપ્રદાય વડે હિંદુ ધર્મ વિરૂધ્ધ થયેલા આક્રમણ અને પ્રપંચનું જ્ઞાન આપે છે, પણ તેને હિંદુ ધર્મના તત્વજ્ઞાન, અને તેના સાકાર નિરાકાર દેવી દેવતાઓના સ્વરૂપનું પણ ગહન જ્ઞાન આપે છે. તે અસત્ય બતાવીને સત્ય શું છે તે સ્થાપિત કરે છે, અને એજ આ પુસ્તકને એક ઉચ્ચતમ કોટિનું પુસ્તક બનાવે છે. સનાતનીઓ જેમને કઢીભગત કહે છે તેવા હરિભક્તોએ સાચો ‘હરિ’ કોણ છે એ જાણવા અને હરિભક્તો જેમને ટનાટની કહે છે તેવા સનાતનીઓ એ પોતાના વિરોધ માટે જરૂરી પુરાવા અને તર્ક મેળવવા આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.
પાખંડમાં જોડાયેલા અને અજાણતા ષડ્યંત્રનો ભાગ બની ગયેલા આપણા જ હિંદુ સનાતની ભાઈ બહેનો આ પુસ્તકના માધ્યમથી પૂન: જાગૃત થઇ સંપ્રદાયમાં ફેલાયેલા સડાને દૂર કરવામાં મદદરૂપ થાય. તેમજ ઉદ્ધવ (સ્વામિનારાયણ) સંપ્રદાય પુન: કૃષ્ણ ભક્તિના સનાતન હિંદુ માર્ગે પરત ફરે તેવા શુભ હેતુથી લખાયેલ પુસ્તકને હું આવકારું છું. હજારો સનાતનીઓની (અને સંપ્રદાયના કેટલાક આશ્રિતોની પણ) ભાવનાને વાચા આપવા બદલ લેખકને અનેકોઅનેક ધન્યવાદ.
જાગૃતિ માટે પ્રયત્નશીલ હજ્જારો સનાતની યોધ્ધાઓની મહેનત સફળ થાય તેવી પ્રભુ પ્રાર્થના.

કઈ રીતે ગુજરાતના હિંદુઓને આ સંપ્રદાય દ્વારા પંચદેવ પૂજાથી વિમુખ કરવામાં આવે છે અને સંપ્રદાય કઈ રીતે પોતાની મૂળ હિંદુ સનાતન ધર્મની વિચારસરણીથી ભટકી ગયો છે? – બધાં પ્રશ્ર્નોનો જવાબ પુસ્તકમાંથી મળી રહે છે

- Advertisement -

પુસ્તકના લેખક ડૉ. કૌશિક ચૌધરી મો. 99985 69500

You Might Also Like

સ્વ.અજયરાજસિંહ જાડેજાની પૂણ્યતિથિ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ

હિરપરા પરિવારનું ગૌરવ: કુસ્તી વર્લ્ડ કપમાં હીરપરા રૂદ્રએ સિલ્વર મેડલ જીત્યો

સ્વ. લાખાભાઇ દેવાણંદભાઈ ખાદાની 25મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો

સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ: શુલ્ક સોમનાથ જાત્રા

યુવતીએ LRDની પરિક્ષા આપી, 50 માર્કના પ્રશ્ર્ન બાકી રહેતા નાપાસ થવાના ડરથી આત્મહત્યા કરવા નીકળી !

TAGGED: SANATAN, નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવા ફોજદારી કાનૂનના અમલમાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ: અમિત શાહ
Next Article દાહોદમાં મહિલા પર અમાનવીય અત્યાચાર: મહિલાને નિર્વસ્ત્ર કરી બાઇક પાછળ બાંધીને રોડ પર ઢસડી દંડા માર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
સ્વ.અજયરાજસિંહ જાડેજાની પૂણ્યતિથિ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ
પોરબંદર: માધવાણી કોલેજ પાસે કાર પલ્ટી: એકની હાલત ગંભીર, રાજકોટ રેફર કરાયો
હિરપરા પરિવારનું ગૌરવ: કુસ્તી વર્લ્ડ કપમાં હીરપરા રૂદ્રએ સિલ્વર મેડલ જીત્યો
સ્વ. લાખાભાઇ દેવાણંદભાઈ ખાદાની 25મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો
સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ: શુલ્ક સોમનાથ જાત્રા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સ્વ.અજયરાજસિંહ જાડેજાની પૂણ્યતિથિ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

હિરપરા પરિવારનું ગૌરવ: કુસ્તી વર્લ્ડ કપમાં હીરપરા રૂદ્રએ સિલ્વર મેડલ જીત્યો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

સ્વ. લાખાભાઇ દેવાણંદભાઈ ખાદાની 25મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?