પ્લાસ્ટિક પ્રતિબંધ અને સફાઈ બાબતે તંત્રએ ખૂબ કાળજી લીધી
જૂનાગઢ પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં પધારેલા યાત્રાળુઓએ પ્રતિભાવ આપતા પરિક્રમાના અનુભવો જણાવ્યા હતા.જામનગરથી ગિરનાર લીલી પરિક્રમા કરવા માટે પધારેલા મહેશભાઈ જણાવે છે કે, યાત્રિકોને કોઈપણ તકલીફ ન પડે તે માટે તંત્ર ખડેપગે છે. જંગલમાં કચરો નથી, સુરક્ષા માટે પોલીસકર્મીઓ અને વન વિભાગનો સ્ટાફ ખડેપગે છે, લોકોને કચરો કરવા દેવામાં પણ નથી આવતો. ઉપરાંત અન્નક્ષેત્રોમાં પણ ભાવિકોને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવી રહ્યું છે. આમ, પીવાના પાણી, લાઈટ સહિતની સુવિધાઓ છે અને યાત્રાળુઓને કોઈ તકલીફ પડતી નથી.
- Advertisement -
નડિયાદના ચકલાસી ગામેથી પ્રથમ વાર ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા મિલીન ગોર જણાવે છે કે, સ્વચ્છતા માટે પ્રશાસન દ્વારા ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે, પ્લાસ્ટિક અભયારણ્ય વિસ્તારમાં ના આવે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પ્લાસ્ટિકથી વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચે છે. જેથી પ્લાસ્ટિક જંગલ બહાર રાખી તંત્રને સહકાર આપવો જોઈએ.