50 વર્ષથી વધુ જૂના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
વિરમગામ નગરપાલિકા દ્વારા વિરમગામ શહેરના હાર્દ સમા તથા વિરમગામ શહેરમાં પ્રવેશવાના રસ્તા પર વર્ષો જુના દબાણકર્તા દ્વારા દબાણો ખડકી દેવામાં આવ્યા હતાં. જોકે આ દબાણો તોડવા માટે 8 જેટલા ઉંઈઇ અને 3 જેટલા બ્રેકર કામે લાગ્યા હતાં. અંદાજીત 200 જેટલા રહેણાંકના મકાન તથા 10 જેટલા ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. જોકે આ કામ કરવા માટે નગરપાલિકા તંત્ર સાથે 100 જેટલા પોલીસ કોન્સ્ટેબલ 1 પોલીસ ઇન્સ્પેક્ટર તથા 2 ઙજઈં જોડાયા હતાં.
- Advertisement -
વિરમગામ શહેરમાં મુનસર દરવાજા થી ગંગાસર દરવાજા પાણીની ટાંકી સુધી સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઇવે ને જોડતા બાઇપાસ રોડની બંને બાજુ છેલ્લા ઘણા સમયથી દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું જે મામલે પાલિકા તંત્ર દ્વારા આજથી દસ દિવસ પહેલા દબાણ હટાવવા 14 ઓક્ટોબર સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું તેમ છતાં દબાણકારો દ્વારા દબાણ હટાવવામાં નહીં આવતડ્ઢા પાલિકા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 10 મંદિર દરગાહ સહિત 200 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા વિરમગામ શહેરમાં મૂનસર દરવાજા થી ગંગાસર દરવાજા પાણીની ટાંકી સુધી સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે ને જોડતા બાયપાસ રોડ બંને બાજુ છેલ્લા કેટલાક સમયથી દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.
દબાણકારો દ્વારા દબાણ હટાવવા માં નહીં આવતા બાલિકા તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સાત જેસીબી 15 ટ્રેક્ટર છોટાહાથી મજૂરો સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ સમય દરમિયાન તંત્ર અને રહીશો વચ્ચે સંઘર્ષ પેદા ન થાય તે માટે છ પીઆઇ 10 પીએસઆઇ 100 પોલીસ 60 હોમગાર્ડ જવાનો મહિલા સહિતના સ્ટાફ સાથે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં 10 મંદિરો દરગાહ સહિત 200 મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને લોકો બે ઘર બન્યા હતા શહેરના લાકડી બજાર ઐતિહાસિક ગ્રામેલ મંદિર સહિતની વિવિધ વિસ્તારોમાં રહેણાંક મકાનો તોડી પાડવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.