લોક અદાલતમાં ઐતિહાસિક 289 કેસોનો ન્યાયિક નિકાલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેન એસ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં લીટીગેશન અને પ્રિલિટીગેશન સહિતના કુલ રૂ.2.41 કરોડના કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં 289 કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને 289 કેસોનો સુખદ નિકાલ થતાં લોક અદાલતનું 100% પરિણામ પ્રાપ્ત થયુ હતું.
- Advertisement -
આ લોક અદાલતમાં સ્પેશિયલ સિટિંગના કુલ 79 કેસોમાં રૂ.15,800નો દંડ વસુલ કરવામાં આવેલ હતો જે મળી ચાલુ 201 કેસોનો નિકાલ કરવામાં આવેલ તથા 88 પ્રિલિટીગેશન કેસો મળી કુલ 289 કેસોનો તથા ફેમિલી કોર્ટ તથા એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટના મળી કુલ 289 કેસોનો ઐતિહાસિક ન્યાયિક નિકાલ કરતા વિસાવદર કોર્ટમાં લોક અદાલતનું ઐતિહાસિક રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું હતું
આ લોક અદાલતમાં વિસાવદર બાર એસો.ના પ્રમુખ રમેશભાઈ ધાધલ, સીરાજભાઈ માડકીયા, વિજયભાઈ જેઠવા, સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ, નયનભાઇ જોશી, અશ્વિનભાઈ દુધરેજીયા, સમીરભાઈ પટેલ, કમલેશભાઈ જોશી, એચ.કે. સાવલિયા તથા સ્ટેટ બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા તથા પીજીવીસીએલની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેલા અને પક્ષકારોને સમજાવટ કરી લોક અદાલતને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપેલ હતો. વિસાવદર કોર્ટના સુપ્રિટેન્ડન્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી, અનુપભાઈ વાઘેલા, સુધીરભાઈ ચાવડા, તથા તમામ કોર્ટ સ્ટાફે લોક અદાલતને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ હતી.