ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢની અન્નદાન અને ગોરક્ષા માટે કાર્ય કરતા ભોલેનાથ અન્નક્ષેત્ર ગૃપ દ્વારા જૂનાગઢથી સોમનાથની પદયાત્રાનો પ્રારંભ કરાયો છે. આ અંગે એડવોકેટ અશ્ર્વિન મણીયારે જણાવ્યુ હતુ કે, દર વર્ષે ભોલેનાથ ગૃપના સેવાભાવી કાર્યકરો દ્વારા જૂનાગઢથી સોમનાની પદયાત્રા કરાય છે તે મુજબઆ વર્ષે પણ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતેથી 150થી વધુકાર્યકરોની પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો.
આ પદયાત્રીઓ રાત્રીરોકાણ મેંદરડા કરશે. પદયાત્રા શરૂ કરી જલંધર બ્રહ્મ સમાજ ખાતે રોકાણ કરશે. રાત્રી રોકાણ ઉમરેઠી કરશેઅને રવિવાર સાંજ સુધીમાં સોમનાથ પહોંચી જશે. બાદમાં સોમનાથ રાત્રી રોકાણકરી ઘ્વજા ચડાવવામાં આવશે. આરીતે ભોલેનાથ ગૃપના સભ્યો દર વર્ષે જૂનાગઢથી પદયાત્રા દ્વારા સોમનાથ જઇ શ્રાવણના બીજા સોમવારે ઘ્વજા ચડાવે છે. શ્રાવવણ મહિનાને લઇને અનેક ભક્તો પોતાની આસ્થા સાથે ધાર્મિક સંસ્થાનોના દર્શનાર્થે જતા હોય છે જેમાં અહીંથી પ્રસ્થાન થયેલી પદયાત્રામાં શ્રઘ્ધાળુઓ ખુશી ખુશી જોડાયા હતા.