જૂનાગઢ ઓવરબ્રિજ મુદ્દે વેપારીઓનું આવેદન સાથે વિરોધ
જૂનાગઢ-રાજકોટ હેરિટેઝ રોડ બચાવવા વેપારીઓ મેદાને
- Advertisement -
ઓવરબ્રિજ ડિઝાઇનથી અનેક વેપારીઓની મુશ્કેલી વધશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ શહેર રેલવે ફાટકની સમસ્યા ઘેરાયેલું જોવા મળી રહ્યું છે શહેરમાં મિત્ર ગેઈજ રેલવે લાઈનના 7 જેટલા ફાટકો અને તેની સાથે બ્રોજગેજ લાઈનના શહેરમાં બે ફાટકો આવેલ છે જેના લીધે ટ્રાફિક સમસ્યા ખુબ મોટો પ્રશ્ર્ન છે.ત્યારે શહેરને ફાટક મુક્ત કરવા ઘણા સમયથી લોકોની માંગ છે.એવામાં હવે જોશીપુરા ઓવરબ્રિજને મહા નગર પાલિકા દ્વારા મંજૂરીની મોહર મારવામાં આવી છે.ટેન્ડર પ્રક્રિયા પણ થઇ છે ત્યારે જોશીપુરા ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર થતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.અને જે પેહલા ડિઝાઇન બનાવી હતી તે યોગ્ય હતી પણ ડિઝાઇનમાં ફેરફાર થવાથી અનેક મુશ્કેલી ઉભી થશે તેવા આક્ષેપ સાથે આજે કલેકટર સહીત સંધિત વિભાગને લેખિતમાં મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદન પત્ર આપીને ઓવરબ્રિજ ડિઝાઇન મુદ્દે વિરોધ પ્રગટ કર્યો હતો.
જૂનાગઢ જોષીપુરા રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રીજ બનાવવાનો જે પ્રશ્ર્ન હાલ જૂનાગઢ મ્યુ.કોર્પોરેશન દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર હાથ ધરવામાં આવેલ છે. અગાઉ ઘણી વખત મહાકાય ડિઝાઇનો તૈયાર થયેલ છે. આ ડીઝાઇનો પાછળ લાખો રૂપિયાના ખર્ચ કરી જરૂરી વિભાગોની મંજૂરીઓ પણ લીધેલ હતી પરંતુ પ્રજા ઉપયોગી ડીઝાઇનો ન હોવાથી કોઇને કોઇ કારણસર પ્રોજેકટને મુલત્વી રાખેલ છે જે ઓન રેકર્ડ છે. હાલ જે પ્રોજેકટ થઇ રહ્યો છે પણ લોકો ઉપયોગી અને લોકો સહેલાઇથી વાપરી શકે તેમ નથી. સવાર એ છે કે શાટે પ્રજાને મુશ્કેલી પડે તેવી ડિઝાઇનો ત્ કરવામાં આવે છે તે સમજાતુ નથી અને વારંવાર પ્રજાના પૈસાનો વ્યય કરવામાં આવે છે તેથી અમારી નમ્ર અને પ્રજાલક્ષી રજૂઆત ઘ્યાને લેવા વિનંતી.
હાલ જે ઓવર બ્રીજની ડિઝાઇન બહાર પાડવામાં આવે છે તે ડિજિાઇનથી પંકજ બંગલોની જમીન, એલસીબી ઓફીસની જમીન, એસટી વર્કશોપની જમીન, પી.ડબ્લ્યુની જમીનો ફ્રન્ટ લાઇન કપાતમાં જવાથી સો ટકા પ્રભાવિત થાય છે અને એન્ટ્રી માટે મુખ્ય રોડ મળશે નહીં
- Advertisement -
તેથી બાકી બચતી હજારો મીટર જમીન કરોડો રૂપિયાની ઓવરબ્રીઝને કારણે ભવિષ્યમાં આ સરકારી પડતર જમીન ઉપર એક પણ પ્રોજેકટ થવા લાયક ન રહેવાથી ખંડેરમાં ફેરવાશે તેથી કલેકટરે આ બાબતમાં કોઇની શરમ રાખ્યા વિના ગંભીર નોંધ લેવી જરૂરી છે રેલવે ક્રોસીંગ બહાર પૂર્વ સાઇડની પિલર્સ ઉપર ટોપ લેવલ પર સળંગ સીધી ર00 મીટર લંબાઇ વધારવામાં આવે છે તે માત્ર પ્રોજેકટ કોસ્ટ ઉંચી લાવવા માટેનો જ મતલબ છે બીજો કોઇ જ નથી. રેલવે હદની બહાર તેમાં રેલવે બોર્ડ પણકોઇ વાંધો ન જ હતો તે પિલર્સ ઉપરની લંબાઇને જો ઢાળમાં ફેરવવામાં આવે તો સીધો જે આકારે પંકજ બંગલાની જમીન ઉપર લેન્ડ થઇ શકે અથવા તો પંકજ બંગલાની પશ્ર્ચિમ બેક સાઇડની બીન ઉપયોગી રેલવે લાઇન બાજુની જમીન ઉપર લેન્ડ કરવામાં આવે તો કોઇ પ્રકારની અડચણ વગર લેન્ડ થઇ શકે. સર્વિસ રોડ આવતો ન હોવાથી જમીનની બચત થશે. અદ્યતન ટેકોનલોજીના યુગમાં બધુ શકય છે. જેથી કોઇપણ પ્રકારની અડચણ વગર શહેરના હૃદય સમા મુખ્ય હેરિટેજ રોડ જે ગાંધી ચોકથી મજેવડી ગેટ સુધી સરકારશ્રીએ હેરિટેજ રોડ જાહેર કરેલ છે તેવા રોડનું અને શહેરનું સૌંદર્ય જળવાઇ રહે તેમ છે અને સૌથી ઓછા ખેર્ચ અને ઓછા સમયમાં કોઇ પણ પ્રકારના રોડ ડાયવર્ઝન કે મુખ્ય રોડની ટ્રાફિક અડચણ વગર નિર્વિઘ્ને પ્રજા ઉપયોગી કોઇપણ પ્રકારના વિવાદ વગર આદર્શ નમુનાનું નજરાણુ એવા ઓવર બ્રીજની ભેટ શહેરને આપી શકીએ.
આમ જનતાને મુખ્ય રોડ ઉપર નિયમો અનુસાર પૂરતો સર્વિસ રોડ ન મળવાથી ફૂટપાથ મળશે નહીં ઐતિહાસીક નગરીના ભવિષ્યના સૌંદર્ય પ્રોજેકટ માટે વિકલ્પ રહેશેનહીં જે ખાસ નોંધનીય છે., બસ સ્ટેન્ડથી તાલુકા પોલીસ ચોકી સુધીનો 6 કી.મી. લાંબો શહેરનો જીવાદોરી સમાન ફોર લેન્ડ રોડ છે આ રોડ ઉપર કયારેય પણ ટ્રાફીકની સમસ્યા થયેલ નથી તેમજ શહેરના વ્યાપાર ધંધાઓ આ રોડ ઉપર જ આવેલ છે મુખ્ય રેલવે સ્ટેશન, સકકરબા, દોલતપરા, માર્કેટ યાર્ડ, જીઆઇડીસી, ભવાની એસ્ટેટ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે રાજયના મેટ્રો સીટીમાં જવા માટે આ એક જ રોડનો શહેરના તમામ લોકો તથા એસટી ઉપયોગ કરે છે તેથી ટ્રાફીકને અડચણ કોઇ જ પ્રોજેકટ આ રોડ ઉપર મુકવા વ્યાજબી નથી.
આ ઓવરબ્રીઝ ડીઝાઇનથી ઇન ડાયરેકટ પ્રભાવી થતી મિલકતો હોટલો, પેટ્રોલ પંપ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળ ચર્ચ, નાના મોટા ધંધાર્થીઓ જેઓ સરકારી નિયમો અનુસાર પશ્ર્ચિમ લય પોતાનો વ્યવસાય કરે છે તેઓને માત્ર સર્વિસ રોડ મળશે જેથી પોતાની એન્ટ્રી છીનવાઇ જશે ના છૂટકે પોતાનો ખટખટાવવાની ફરજ પડશે આ પ્રોજેકટ અધરતાલ થશે તેથી યોગ્ય ઉકેલ લાવવો એ જ ઉચીત છે.
પીડબલ્યુની જમીનો એક ઇંચ પણ પ્રભાવિત થશે નહી આ તમામ જમીનો ભવિષ્યમાં શહેરના વિકાસ માટે સરકારી પ્રોજેકટ માટે ઉપયોગમાં લઇ શકાશે તેમજ શહેરના મુખ્ય માર્ગ જે સકારશ્રીએ હેરિટેજ રોડ જાહેર કરેલ છે તેની આન બાન શાન અબાધિત જળવાઇ રહે ગાંધી ચોક, સરદાર ચોક, રેલવે સ્ટેશન મીટરની ત્રિજયામાં આવતો ઐતિહાસીક મકરબો આ તમામ ઐતિહાસિક સ્થળોના સૌંદર્યને કોઇ આચ આવશે નહીં અને શહેરની આમ જનતા વ્યાપી વર્ગ તથા પ્રભાવિત થતા તમામ વર્ગના લોકોમાં ખુશીની લહેર નિર્માણ થશે અને પ્રજાના પ્રશ્ર્ને ઝડપથી વાચા મળશે અને શહેરની ખરડાતી છાપને સુધારી શકાશે અને વડાપ્રધાન નરેન્દ્રમોદીનું પ્રથમ સ્લોગન સૌનો સાથ સૌનો વિકાસ સાકાર થશે.