દીવાલમાં મોટા પથરા નાખીને પંચાયત દ્વારા લોટ, પાણીને લાકડાં જેવું કામ કરાયું હતું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
- Advertisement -
બીલખામાં આવેલ સગર સમાજની વાડી પાસે નદીના કાંઠે તાજેતરમાં જ ગ્રામ પંચાયત બીલખા દ્વારા પુર સરક્ષણ દિવાલ બનાવવામાં આવેલ જેથી નદીના પુરના પાણીથી લોકોનો બચાવ થાય. આ દીવાલનું કામ અતી નબળુ કરવામાં આવેલ દીવાલમાં મોટા મોટા પથરા નાખીને પંચાયત દ્વારા લોટ પાણીને લાકડા જેવું કામ કરવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, બીલખામાં હજુ સાવ સામાન્ય વરસાદ પડયો છે અને નદીમાં પુર પણ નથી આવ્યા ત્યાં જ આ દિવાલ પડી જતા પંચાયતનો ભયંકર ભ્રષ્ટ્રાચાર ખુલો પડી ગયો છે. આ અંગે સરપંચ ભાવનાબેન અને તેમના પતિને ફોન કરતા ફોન પણ ઉપાડતા નથી અને આ અંગે કોઇ ખુલાસો પણ આપતા નથી.
આ વોર્ડના સભ્ય મહેશભાઇ ડોસાણીનો સંપર્ક કરતા તેમણે જણાવેલ છે કે, હુંતો સરપંચના કહેવાથી માત્ર દેખરેખ રાખતો હતો આકામ સરપંચનાકહેવા પ્રમાણે કરવામાં આવેલ છે. પંચાયત દ્વારા કરવામાં આવેલ અનેક કામોમાં ભયંકર ભ્રષ્ટ્રાચારની ફરિયાદ કરવામાં આવેલ હતી ભુતકાળમાં પણ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા એનુ આ પરિણામ છે આ કામની યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલા લેવામાં આવેએવી લોક લાગણી પ્રબળ બની છે.