જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી, 31 જુલાઈએ મુદ્દત પૂર્ણ
સમગ્ર રાજ્યમાં બક્ષીપંચ અનામત મુદ્દે રાજ્ય સરકારનો કોઈ નિર્ણય બાકી
- Advertisement -
સ્થાનિક નેતાઓમાં મનપા ચૂંટણી બાબતે અલગ અલગ મંતવ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ મહાનગર પાલિકા ચૂંટણીની છેલ્લી તાર્રીખ 31 જુલાઈ 2024 છે ત્યારે મનપાની ચૂંટણીને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એવામાં ચૂંટણી યોજાશે કે, નહિ તેના માટે હજુ અવઢવ જોવા મળી રહ્યો છે.સ્થાનિક નેતાઓમાં ચૂંટણી બાબતે અલગ અલગ મતભેદ જોવા મળી રહ્યો છે.કોઈ કહે છે.કે, ચૂંટણી યોજાશે તો કોઈ કહે છે સમયસર ચૂંટણી નહીં થાય અને બે ત્રણ મહિના પછી થશે તેવી વાતો થઇ રહી છે.હવે જયારે મહાનગર પાલિકાની ચૂંટણી સમયસર યોજાય તો હવે માત્ર 42 દિવસનો સમય બાકી રહ્યો છે.જો ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી મુદ્દે સત્તાવાર કોઈ જાહેરાત થઇ નથી.ત્યારે હવે ક્યારે ચૂંટણી યોજાશે તેની તરફ લોકોની મીટ મંડાઈ છે. જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી સમયસર થશે કે નહિ તે બાબતે સ્થાનિક આગેવાનએ પોતાનું અંગત મંતવ્ય જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટેની સૂચના મુજબ બક્ષીપંચ અનામત મુદ્દે ઝવેરી કમિશન રિપોર્ટ તૈયાર કરવામાં આવેલ છે
- Advertisement -
પણ હજુ સુધી રાજ્ય સરકારે બંક્ષીપંચ અનામત મુદ્દે સરકારે કોઈ નિર્ણય નથી કર્યો જેના લીધે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને નગર પાલિકા સહીતની ચૂંટણી હજુ સુધી યોજાય નથી ત્યારે વધુ માં જણાવ્યું કે, બક્ષીપંચ અનામત મુદ્દે રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડવું પડે અને વાંધા સૂચનો મંગાવવા પડે અને જે અરજીઓ આવે તો તેના પર વિચાર વિમર્શ કરવો પડે ત્યારે આ બાબતોને ધ્યાને લેતા હજુ સુધી કોઈ નિર્ણય થયો નથી એટલે જૂનાગઢ મનપાને પણ બક્ષીપંચ અનામતના નિયમો લાગુ પડે જેના લીધે ચૂંટણી સમયસર ન થઇ શકે તેવું પણ ચર્ચાય રહ્યું છે. જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી 31 જુલાઈ સુધી યોજાવાની હોઈ તો પેહલા મતદાર યાદી બહાર પાડવી પડે તેના વાંધા સૂચનો મંગાવવા પડે ત્યારે હજુ સુધી કોઈ મતદાર યાદીની હિલચાલ જોવા નથી મળતી અને કોઈ પક્ષમાં પણ હજુ જૂનાગઢ મનપા ચૂંટણી બાબતે ગરમાવો જોવા નથી મળતો ત્યારે મહાનગર પાલિકા ચૂંટણી યોજાશે કે, નહિ તે બાબતે નેતાઓના અલગ અલગ મંતવ્યો આવી રહ્યા છે.જયારે મનપા ચૂંટણી બાબતે એક એડવોકેટે પણ ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું હતું કે, જૂન – જુલાઈ માસમાં ચૂંટણી યોજાય તો ચોમાસાની ઋતુ શરુ હશે અને ગત વર્ષે ચોમાસાની સીઝનમાં ખુબ વરસાદ પડતા જળ હોનારત જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જો આ વર્ષે ચૂંટણી યોજાય તો ફરી આવી સ્થિતિનું નિર્માણ થાય તો તેની સીધી અસર ચૂંટણી પર પડે જેના લીધે ચૂંટણી ચોમાસા દરમિયાન નહિ યોજવા ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો.
હજુ સ્થાનિક સ્વરાજની અનેક ચૂંટણી યોજાઇ નથી ત્યારે જૂનાગઢ મનપા ચૂંટણી યોજાશે ?
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીની મુદત 31 જુલાઈ 2024ના પૂર્ણ થાય છે ત્યારે મનપાની ચૂંટણી યોજાશે કે, નહિ તે બાબતે હજુ અવઢવ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ વાત કરીયે તો બક્ષીપંચ અનામત મુદ્દાને લઈને રાજ્યની સ્થાનિક સ્વરાજમાં તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત અને પાલિકા સહીતની અનેક ચૂંટણી યોજાય નથી એવા સમયે બક્ષીપંચ અનામત મુદ્દે જૂનાગઢ મનપાને પણ નિયમ લાગુ પડે તો હજુ સુધી કોઈ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય થયો નથી એવા સમયે શું ચૂંટણી યોજાશે કે, નહિ તે બાબતે લોકોના અલગ અલગ મંતવ્યો જોવા મળે છે.