વિજ કંપનીના રકમ ભરવાના જૂનાં કેસોમાં વ્યાજ, કોર્ટ ફી, વકીલ ફી માફ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
વિસાવદર રાષ્ટ્રીય કાનૂની સેવા સમિતિની માર્ગદર્શિકા મુજબ વિસાવદરની ત્રણેય કોર્ટ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં તા.22 જુને ભવ્ય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પીજીવીસીએલ.કંપનીના વીજ બીલના તમામ પ્રકારના દાવાઓ તથા કોર્ટના હુકમ બાદ કોર્ટમાં કરવામાં આવેલી રકમ વસુલ કરવાની દરખાસ્તો તથા પાવરચોરીનું બિલ હોય તેવા ગ્રાહકોને વીજ કંપની દ્વારા થ્રિ ટાયર સ્કીમ મુજબ રકમ ભરી 20% કે વધુમાં વધુ રૂપિયા 20,000તે બન્ને માંથી જે ઓછું થતું હશે તેનો લાભ આપવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે
તેમજ વીજ કંપનીના રકમ ભરવાના જુના કેસોમાં વ્યાજ, કોર્ટ ફી, વકીલ ફી માફ કરી આપવામાં આવનાર છે, બેંકોના લેણા અંગેના દાવાઓ અને દરખાસ્તોમાં તથા પક્ષકારો વચ્ચેના દીવાની દાવાઓ તથા ફોજદારી કબૂલાત પાત્ર કેસો અને પારિવારિક તકરારોને લગતી અરજીઓમાં પણ બંને પક્ષને યોગ્ય લાભ મળે અને તકરારનો સુખદ ઉકેલ લાવવામાં આવે તે માટે વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન અને મુખ્ય સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી દ્વારા છેલ્લા બે મહિનાથી આ અંગે વીજ કંપની, બેંકોના મેનેજરશ્રીઓ, વકીલ મંડળ તથા પોલીસ વિભાગ સાથે મિટિંગો યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે તથા અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રી જે.એલ.શ્રીમાળી સાહેબ તથા ફેમિલી જજ પી.વી.શ્રીવાસ્તવ દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપી લોક અદાલતને સફળ બનાવવા માટે પ્રયત્નો થઇ રહેલ છે.