મહારાણા પ્રતાપની પ્રતિમાને સુંદર ફુલહાર, દીપ પ્રાગટય, મહારાણા વંદના, મહાઆરતી, પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમ યોજાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
રાજકોટ ખાતે હિન્દવા સૂરજ સનાતન ધર્મરક્ષક રાષ્ટ્રનાયક વીર શિરોમણી ક્ષત્રિય કુળભુષણ વીર શિરોમણી રાજાધીરાજ મહારાણાપ્રતાપજીની 484મી જન્મ જયંતિ વિક્રમ સંવત તિથિ મુજબ જેઠ સુદ ત્રીજ રવિવાર તા.09/06/2024 ના રોજ મહારાણા પ્રતાપજી ની પ્રતિમા સોરઠીયા વાડી સર્કલ રાજકોટ ખાતે મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમાં મહારાણા પ્રતાપજી ની પ્રતિમાને સુંદર ફુલહાર,દીપ પ્રાગટય,મહારાણા વંદના,મહાઆરતી, પુષ્પાંજલી કરાઈ હતી.
આ કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત સમાજ અગ્રણીઓ વિવિધ સંગઠન સંસ્થા હોદેદારો તથા વિવિધ સનાતન હિન્દૂ સમાજની સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ મેયર નયનાબેન પેઢડિયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર રાજે બહેન ડોડીયા, કોંગ્રેસ અગ્રણી મનીષાબા વાળા તથા સામાજિક આગેવાનોમાં ધીરુભા ડોડીયા, રમેશસિંહ ચૌહાણ, બલદેવસિંહ સિંધવ, ચંદુભા પરમાર, વિક્રમસિંહ પરમાર, રણજીતસિંહ વાઢેર, પ્રવિણસિંહ હેરમા, ભરતસિંહ ચુડાસમા, જયેશસિંહ ડોડીયા, કિશોરસિંહ રાઠોડ, બકુલસિંહ સિંધવ, કાનાજી ચૌહાણ, દોલુભા ડાભી, ભૂપતસિંહ જાદવ, ઉદયસિંહ જાદવ, સંજયસિંહ ચાવડા, સુખદેવસિંહ ડોડીયા, સંજયસિંહ વાઘેલા, મોહિતસિંહ સિંધવ, જોગેન્દ્રસિંહ ચંપાવત, ચંદ્રસિંહ ચાવડા, ચન્દ્રસિંહ ડોડીયા, પ્રવિણસિંહ સિંધવ, સંદીપસિંહ ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા, રણજીતસિંહ જાદવ, ભાવસિંહજી ઓરા, દીપકસિંહ ઝાલા, હિતુભા ડોડીયા, અનિલસિંહ પરમાર, અજીતસિંહ પરમાર, ધનરાજસિંહ ડોડીયા, અશોકસિંહ પરમાર, રાજભા ચૌહાણ તથા વડીલો અને યુવાનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપણી સંસ્કૃતિ પરંપરાનુ વહન કર્યું હતું. મહારાણા પ્રતાપ જયંતિમાં ઉપસ્થિત રહેનાર સર્વે બંધુઓનો આયોજક સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે. આ સુંદર કાર્યક્રમનુ આયોજન ક્ષત્રિય રાજપૂત સમાજ, રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાત (સુપ્રીમ કાઉન્સિલ) તથા ક્ષત્રિય કરણી સેના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.