By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યમનને ઈઝરાયલની ચેતવણી: હૂથીઓએ શસ્ત્રો ન મૂક્યા તો ખતરનાક પરિણામો ભોગવવા પડશે
    9 hours ago
    ટ્રમ્પે સૂચવ્યું નવું વિઝા મોડેલ: લોટરી નહીં, હવે કૌશલ્ય અને ગુણાંકને પ્રાથમિકતા
    1 day ago
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    1 day ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    2 days ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેદારનાથ ધામ સુધી 7 કિ.મી.ની ટનલ બનશે : 11 કિ.મી.નો રસ્તો ઘટશે
    4 hours ago
    ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ સુધર્યું હવે વર્લ્ડ ઈન્ડેક્ષમાં 77માં સ્થાને
    4 hours ago
    રાજસ્થાનમાં અકસ્માત: શાહાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરના મોત, 24ને ઈજા
    4 hours ago
    શોષણ વધ્યું, ગરીબી વધી, અમીર- ગરીબનું અંતર વધ્યું : મોહન ભાગવત
    4 hours ago
    બિહાર વોટર વેરિફિકેશન, સંસદમાં વિરોધ પ્રદર્શન: વિપક્ષના સાંસદોએ વેલમાં કાળા વાવટા ફરકાવ્યા
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    8 hours ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    2 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    6 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    6 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    6 hours ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    1 day ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    2 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    2 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    4 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    4 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    5 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડાપ્રધાન મોદી જનતાને જવાબ આપવાથી ડરી રહ્યા છે એટલા માટે રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવે છે : પ્રિયંકા ગાંધી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વડાપ્રધાન મોદી જનતાને જવાબ આપવાથી ડરી રહ્યા છે એટલા માટે રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવે છે : પ્રિયંકા ગાંધી
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી જનતાને જવાબ આપવાથી ડરી રહ્યા છે એટલા માટે રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવે છે : પ્રિયંકા ગાંધી

Khaskhabar Editor
Last updated: 2024/05/09 at 5:27 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણીના નિવેદન મુદ્દે પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9

- Advertisement -

ઉત્તરપ્રદેશની બે હાઈપ્રોફાઈલ બેઠક અમેઠી અને રાયબરેલીમાં આગામી 20 મેના રોજ પાંચમાં તબક્કા (લોકસભા ચૂંટણી 2024)માં મતદાન થશે. ભલે પ્રિયંકા ગાંધી ઉમેદવાર નથી પરંતુ પાર્ટીના પ્રચાર અભિયાનમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા તરીકે તેઓ સૌથી આગળ છે. તેમના ભાઈ રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવાર છે, જ્યારે ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્મા અમેઠીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. પ્રિયંકા ગાંધી રાયબરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા.

લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારબાદ તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ વધુ ઝડપી કરી દીધી છે. આ વચ્ચે રાયબરેલી પહોંચેલા પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે, દેશમાં બદલાવનો જુસ્સો આવી ચૂક્યો છે અને વડાપ્રધાન મોદી હવે ડરી રહ્યા છે. તેઓ ખેડૂતો-મહિલાઓની વાત નથી કરી શકતા. 10 વર્ષમાં તેમણે સંપત્તિ મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દીધી છે. જનતાના સવાલોના જવાબ નથી આપી રહ્યા એટલા માટે તેઓ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણીના નિવેદન મુદ્દે પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા
પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણી વાળા નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ’આજે તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી હવે અદાણી-અંબાણીનું નામ નથી લઈ રહ્યા. અમે રોજ તેનું સત્ય સામે લાવીએ છીએ. તેમણે 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા. ઉત્તરપ્રદેશના ખેડૂતો એક-એક લાખ રૂપિયા માટે આપઘાત કરી રહ્યા છે. 10 વર્ષ માટે તેમને માત્ર ભ્રમિત કર્યા છે. તમામ સંપત્તિ કરોડપતિ મિત્રોને આપી દીધી છે.’

- Advertisement -

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ’જનતાનો થાકી ગઈ છે આવી વાતોથી અને ખોટા વચનોથી. જનતા આજે ઈચ્છે છે કે સમસ્યાનો ઉકેલ આવે. જનતા કહી રહી છે કે 10 વર્ષમાં શું કર્યું ? અમે કામના આધારે મત આપવા માંગીએ છીએ. જનતા ઈચ્છે છે કે અમારા માટે શું યોજના લાવી રહ્યા છો. કોંગ્રેસ જનતાના મુદ્દાઓ પર ચૂંટણી લડવા માંગે છે.’

સામ પિત્રોડાના નિવેદન મુદ્દે પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ સામ પિત્રોડાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ’અમારી પાર્ટી મોટી પાર્ટી છે. કોઈ કંઈ કહી જાય છે. અમેરિકામાં બેઠેલા કોઈએ કંઈક ટિપ્પણી કરી દીધી તો આખા દેશમાં એવો માહોલ બનાવી દીધો જેમ કે કોઈ મોટા નેતાએ નિવેદન આપ્યું હોય. ચૂંટણીનો માહોલ છે અને ભાજપ આખા દેશમાં આવો માહોલ જાણીજોઈને બનાવી રહ્યું છે જેથી બેરોજગારી, ગરીબી અને શિક્ષણના મુદ્દાથી ભટકાવી શકાય.’

રાયબરેલીમાં રાહુલ ગાંધી ટત દિનેશ પ્રતાપ સિંહ

1952માં પોતાની પહેલી લોકસભા ચૂંટણી બાદથી કોંગ્રેસ માત્ર ત્રણ વખત રાયબરેલી હારી છે. 1977માં ઈમરજન્સી બાદની ચૂંટણી અને 1996 અને 1998ની ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પર હારી ગઈ હતી. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપ અને મોદી લહેર હોવા છતાં રાયબરેલી બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. આ વખતે સ્વાસ્થ્યના કારણોસર તેમણે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો અને રાજ્યસભામાં ચાલ્યા ગયા છે. આ વખતે કોંગ્રેસે તેમના પરંપરાગત ગઢમાંથી રાહુલ ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ એક સમયે ફિરોઝ ગાંધી અને ઈન્દિરા ગાંધી કરી ચૂક્યા છે. રાયબરેલીમાં રાહુલ ગાંધીનો મુકાબલો યુપીના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ સાથે છે, જેઓ 2019ની ચૂંટણીમાં સોનિયા ગાંધી સામે 1.67 લાખથી વધુ મતોથી હારી ગયા હતા.

મોદીજીએ જેટલા પૈસા અંબાણી-અદાણીને આપ્યા છે ને એટલા અમે પ્રજાને પાછા આપીશું : રાહુલ ગાંધી

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9

ધાન મોદીએ તેલંગાણામાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પૂછ્યું કે રાહુલ ગાંધી હવે અંબાણી અને અદાણીનું નામ કેમ નથી લઈ રહ્યા. તેમણે ઉદ્યોગપતિઓથી કેટલા પૈસા મળે છે. વડાપ્રધાન મોદીના આ નિવેદન પર હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણી વાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, ’મોદી જી… થોડા ડરી ગયા છો કે શું. તમે બંધ રૂમમાં અંબાણી-અદાણીની વાત કરતા હોવ છો, પરંતુ પહેલીવાર તમે જાહેરમાં જાહેરમાં આ વાત કરી. તમને એ પણ ખબર છે કે તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે. શું તમારો આ પર્સનલ એક્સપીરિયન્સ છે? એક કામ કરો સીબીઆઈ ઈડીને ત્યાં મોકલીને જલ્દીથી તપાસ કરાવો. ડરો નહીં મોદીજી.’ આ ઉપરાંત હું દેશને કહું છું કે ‘જેટલા રૂપિયા મોદીજીએ આમને આપ્યા છે એટલા જ રૂપિયા અમે હિન્દુસ્તાનની ગરીબ જનતાને આપવા જઈ રહ્યા છીએ.

મહાલક્ષ્મી યોજના, પહેલી નોકરી પક્કી યોજના, જેના માધ્યમથી અમે કરોડો લખપતિ બનાવીશું. તેમણે 22 અરબપતિ બનાવ્યા છે અમે કરોડો લખપતિ બનાવીશું.’ એટલું જ નહીં રાહુલ ગાંધીએ આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું કે ’ભાજપના ભ્રષ્ટાચારના ટેમ્પોના ડ્રાઈવર અને ખલાસી કોણ છે, દેશ જાણે છે.’ જણાવી દઈએ કે, આજે(બુધવાર) તેલંગાણામાં એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શેહજાદા છેલ્લા 5 વર્ષથી સવારે ઉઠતા જ માળા જપવાનું શરૂ કરતા હતા. જ્યારથી તેમનો રાફેલ વાળો મામલો ગ્રાઉન્ડેડ થઈ ગયો, ત્યારથી તેમણે એક નવી માળા જપવાનું શરૂ કરી દીધું. પાંચ વર્ષથી એક જ માળા જપતા હતા. પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ. પછી ધીરે-ધીરે કહેવા લાગ્યા. અંબાણી-અદાણી. પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે. તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું. શેહજાદા જાહેર કરો. આ ચૂંટણીમાં અંબાણી-અદાણીથી કેટલો માલ ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે, કાળાનાણાના કેટલા કોથળા ભરીને રૂપિયા માર્યા છે.

કયા ટેમ્પો ભરીને નોટ કોંગ્રેસ માટે પહોંચ્યા છે. શું સોદો થયો છે?’વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે પ્રિયંકા ગાંધીનો જવાબ ઉત્તરપ્રદેશના રાયબરેલી પહોંચેલા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણીના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ’દેશમાં બદલાવનો જુસ્સો આવી ચૂક્યો છે અને વડાપ્રધાન મોદી હવે ડરી રહ્યા છે. તેઓ ખેડૂતો-મહિલાઓની વાત નથી કરી શકતા. તેઓ સમજી રહ્યા છે કે દેશમાં બદલાવનો જુસ્સો આવી ગયો છે. 10 વર્ષમાં તેમણે સંપત્તિ મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દીધી છે. જનતાના સવાલોના જવાબ નથી આપી રહ્યા એટલા માટે તેઓ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આજે તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી હવે અદાણી-અંબાણીનું નામ નથી લઈ રહ્યા. રાહુલ ગાંધી રોજ અદાણી-અંબાણીની વાત કરે છે. અમે રોજ તેનું સત્ય સામે લાવીએ છીએ. તેમણે 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા. ઉત્તરપ્રદેશના ખેડૂતો એક-એક લાખ રૂપિયા માટે આપઘાત કરી રહ્યા છે. 10 વર્ષ માટે તેમને માત્ર ભ્રમિત કર્યા છે. તમામ સંપત્તિ કરોડપતિ મિત્રોને આપી દીધી છે.’ વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદાણી-અંબાણીવાળા નિવેદન મામલે વળતો જવાબ આપ્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા…! ત્રણ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાને આજે પોતાના જ મિત્રો પર નિશાન તાક્યું છે. આ દર્શાવે છે કે મોદીજીની ખુરશી ડગમગી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.’

You Might Also Like

કેદારનાથ ધામ સુધી 7 કિ.મી.ની ટનલ બનશે : 11 કિ.મી.નો રસ્તો ઘટશે

ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ સુધર્યું હવે વર્લ્ડ ઈન્ડેક્ષમાં 77માં સ્થાને

રાજસ્થાનમાં અકસ્માત: શાહાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરના મોત, 24ને ઈજા

શોષણ વધ્યું, ગરીબી વધી, અમીર- ગરીબનું અંતર વધ્યું : મોહન ભાગવત

બિહાર વોટર વેરિફિકેશન, સંસદમાં વિરોધ પ્રદર્શન: વિપક્ષના સાંસદોએ વેલમાં કાળા વાવટા ફરકાવ્યા

TAGGED: PM Modi, PRIYANKA GANDHI, RAHUL GANDHI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘણા નાના શોપિંગ મૉલ બંધ થવાના આરે
Next Article લિવ ઈન રિલેશનશીપ ભારતીય સંસ્કૃતિ માટે ‘કલંક’ : હાઈકોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ઉમિયાધામ સિદસર દ્વારા કર્મયોગી સંમેલન યોજાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
અમરેલીમાં પ્રભારી સચિવ સંદીપકુમાર દ્વારા જર્જરિત સરકારી મિલકતોની સમીક્ષા
રાજુલા સિવિલ હૉસ્પિટલમાં ધમાલ મચાવનારા 14 આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ
રાજકોટના જાણીતા એન્કર શિવરામસિંહ ચુડાસમાને ‘ગોલ્ડ અવોર્ડ – ધ બેસ્ટ એમસી ઓફ ધ યર’ એનાયત
આપઘાત કરવાના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરતી રાજકોટની અદાલત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કેદારનાથ ધામ સુધી 7 કિ.મી.ની ટનલ બનશે : 11 કિ.મી.નો રસ્તો ઘટશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ સુધર્યું હવે વર્લ્ડ ઈન્ડેક્ષમાં 77માં સ્થાને

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

રાજસ્થાનમાં અકસ્માત: શાહાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરના મોત, 24ને ઈજા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?