એક વ્યક્તિને સામાન્ય એવું નુકસાન થતું હોય અને સામે વિશાળ જનસમુદાયને ફાયદો થતો હોય ત્યારે એક વ્યક્તિનું નુકસાન ધ્યાને લઈ શકાય નહીં તેવી અરજી કરવામાં આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
વિસાવદરના પીજીવીસીએલ કંપનીના સબ ડિવિઝન નંબર એકના વિજલાઈન ખેડૂતની જમીનમાંથી પસાર કરવા કાર્યવાહી કરતા નાના હડમતીયા ગામના પોપટભાઈ ભીખાભાઇ પોકિયા તથા જાદવભાઈ ભીમાભાઈ પોકિયા તરફથી તેમના ખેતર માથી વીજ લાઇન પસાર કરવા કે થાંભલા ખોડવા સામે પીજીવીસીએલ કંપનીના સબ ડિવિઝન નંબર એકની કચેરીમાં વાંધો લેવામાં આવેલ અને જ્યારે આવો વાંધો ખેડૂત તરફથી લેવામાં આવે ત્યારે પીજીવીસીએલ કંપનીના અધિકારીને ઇન્ડિયન ટેલિગ્રાફ એકટની જોગવાઈઓ મુજબ લાઇન પસાર કરવાના અધિકાર રહેતા ન હોય અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીની મંજુરી વગર પીજીવીસીએલ કંપનીના અધિકારીને લાઇન પસાર કરવાનો અધિકાર નથી તેવી લેખિતમાં રજુઆત કરતા પીજીવીસીએલ કંપનીના જુનાગઢના મુખ્ય અધિકારી બી.ડી.પરમારની સૂચનાથી પીજીવીસીએલ કંપનીના સબ ડિવિઝન નંબર એકના અધિકારી દ્વારા પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર સમક્ષ લાઇન પસાર કરવાની મંજૂરી માંગવા કેસ દાખલ કરવામાં આવેલ હતો જે કેસમાં પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતના ખેતરના સેઢેથી લાઇન પસાર કરવાની પીજીવીસીએલ.કંપનીને મંજુરી આપવામાં આવેલ હતી.
ત્યાર બાદ ખેડૂતો તરફથી પ્રાંત અધિકારીના હુકમને પડકારી ખેડૂતની જમીન માથી વીજ લાઇન પસાર કરવાના હુકમને પડકારી તે હુકમ રદ કરવાની માંગ સાથે વિસાવદરના પ્રાંત અધિકારીને આવો હુકમ કરવાની સતા કાયદાથી ન હોય તેવી તકરાર સાથે અપીલ કરી લાઇન પસાર કરવાના નિણર્ય સામે વળતરનો હુકમ થયેલ ન હોય તેવી તકરાર સાથે મનાઈ હુકમની માગણી કરતી અરજી કરેલ હતી જેમાં પીજીવીસીએલ કંપની તરફથી તેમના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી તરફથી વાંધો લઈ ઉચ્ચઅદાલતોના ચુકાદાઓ રજૂ કરી વચગાળાના તબક્કે આવો હુકમ થઈ શકે નહીં તેમજ એકવ્યક્તિને સામાન્ય એવું નુકસાન થતું હોય અને સામે વિશાળ જનસમુદાયને ફાયદો થતો હોય ત્યારે એક વ્યક્તિનું નુકસાન ધ્યાને લઈ શકાય નહીં અને વાંધો લેનારને વીજ પુરવઠો મળ્યા બાદ ગામમાં અન્ય કોઈ વ્યક્તિને વીજ પુરવઠો ન મળે તેવા હેતુથી અરજી લાવેલ હોય તેમજ કંપનીની કાયદેસરની કાર્યવાહી કરતા અટકાવવા વાંધો લેવામાં આવેલ હોય તે સબધેની રજુઆત કરતા અને નાયબ કલેકટર તરફથી સરકારી વકીલ વિજયભાઈ માઢકની રજુઆત દયાને મનાઈ હુકમની અરજી રદ કરવા રજુઆત કરતા વિસાવદરના અધિક ડિસ્ટ્રીકટ જજ જયેશકુમાર શ્રીમાળી દ્વારા મનાઈ હુકમની અરજી રદ કરવા હુકમ કરેલ છે.