ભૂપત ભાયાણી ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી ઘોંચમાં
હાઇકોર્ટમાં ત્રણમાંથી એક રીટ પાછી ખેંચાઇ
- Advertisement -
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હવે કયારે?
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.09
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકના આમઆદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી યોજાવાની હતી. પરંતુ ભૂપત ભાયાણી સામે ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાં ભૂપત ભાયાણી સામે ત્રણ અલગ-અલગ ઇલેકશન પીટીસન દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે પેટા ચૂંટણીનું કોકડુ ગુંચવાયુ હોય એવુ સામે આવી રહ્યુ છે. ત્યારે હવે વિસાવદરની પેટા ચૂંટણી કયારે યોજાશે તેના પર સૌની મીટ સેવાઇ રહી છે.
- Advertisement -
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી દરમિયાન વિસાવદર બેઠક રથી આપના ઉમેદવાર ભુપેન્દ્ર ભાયાણીની જીતને પડકારતી ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા તથા અન્યો દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી ત્રણ જુદી જુદી ઇલેકશન પિટીશન પૈકીની એક પિટિશન પરત ખેંચી લેવાતા હવે બે પિટિશન પેન્ડીંગ રહી છે. જો કે, ચિન્હ પરથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપત ભાયાણી બાદમાં ભાજપમાં જોડા જતા વિસાવદર બેઠકનું ધારાસભ્ય પદ ખાલી પડયુ હતુ. આ લોકસભા ચૂંટણી સાથે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થવાની પરંતુ તે હજુ સુધી જાહેર કરી શકાઇ નથી. વિસાવદર બેઠક પરથી હારેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા તથા અન્યો દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી ઇલેકશન પિટિશનમાં જણાવ્યુ હતુ કે, 2022ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી વખતે આપના ઉમેદવાર ભુપેન્દ્ર ભાયાણીએ ચૂંટણી ફોર્મ ભર્યુ તેમાં ઘણી મોટી હકીકતો અને ગંભીર ચૂક હતી જેને લઇને અરજદારોએ સ્થાનિક ચૂંટણી પણ કરી હતી. ચૂંટણી ફોર્મમાં ઘણી વિસંગતતાઓની સાથે સાથે આપના ઉમેદવાર ભુપેન્દ્ર ભાયાણી દ્વારા હકીકત દોષ પણ દાખવવામાં આવ્યો હતો.
જેમાં તેમની મિલ્કત સબંધી વિગતોમાં ખામી હતી તો પુત્રના પાન કાર્ડની વિગતો ખોટી લખી હતી. તદઉપરાંત બેક એકાઉન્ટ વાહન મળી, જો અગાઉ સરકારી હોદ્દામાં હોઇ અને તેમાં ગેરિતીના કારણે હકાલપટ્ટી કરાઇ હોય તો તેની વિગતો પણ ફોર્મમાં લખવી ફરજીયાત હોવા છતા ભુપેન્દ્ર ભાયાણી ભૂતકાળમાં સરપંચના હોદ્દા પર રહી ચુકયા હતા અને ગેરરિતીના કારણોસર તેમને સસ્પેન્ડ પણ કરાયા હતા તે સહિતની વિગતો પણ તેમણે ચૂંટણી ફોર્મમાં ઉજાગર કરી ન હતી. આમ લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઇઓનો ભંગ કરીને આપના ઉમેદવાર ચૂંટણી જીત્યા હોઇ તે કાયદાકીય જોગવાઇઓ અને લોકશાહીના પ્રસ્થાપિત મુલ્યોની વિરૂઘ્ધની વાત ગણાવય આ સંજોગોમાં હાઇકોર્ટે આપના ઉમેદવાર ચૂંટણી ફોર્મમાં સાચી હકીકતો છુપાવી, ખોટા નિવેદનો અને ગેરરજૂઆત કરીને ખોટી રીતે વિજયી બન્યા હોઇ હાઇકોર્ટે તેની જીતને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવી જોઇએ. અરજદારપક્ષ તરફથી વિસાવદર બેઠક પર પુન: ચૂંટણી યોજવાપણ દાદા માંગવામાં આવી હતી.