પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સાડી, દુપટ્ટા, ઝંડા, ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ડિમાન્ડમાં ઉછાળો
સુરતમાંથી સાડીઓ, દુપટ્ટા અને અમદાવાદમાં બેનર, ઈલેક્ટ્રોનિક્સ સામાનની ભારે માગ
- Advertisement -
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાત સહિત દેશભરમાં ભારે ઉત્સાહ
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની હોવાથી દેશભરમાં વ્યાપારી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. લોકોમાં જબરદસ્ત ઉત્સાહ અને વિવિધ રાજ્યોના 30 શહેરોના વેપાર સંગઠનો તરફ્થી મળેલા પ્રતિસાદ મુજબ ક્ધફેડરેશન ઓફ્ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના (ઈઅઈંઝ) મતે સામાનની ખરીદી અને ઈવેન્ટ્સ વગેરે માટે વિવિધ સેવાઓના કારણે ગુજરાતમાં અંદાજે રૂ. 5,000 કરોડનો વેપાર થવાનું અનુમાન છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અનુસંધાને દેશભરમાં સરઘસો, રામ ચોકી, રેલી, રામ પદયાત્રા, સ્કૂટર તેમજ કાર રેલી અને શ્રીરામ એસેમ્બલીઓનો સમાવેશ થાય છે. બજારોમાં રામના ધ્વજ, બેનરો, કેપ્સ, ટી-શર્ટ્સ અને રામ મંદિરના ફેટો દર્શાવતા પ્રિન્ટેડ કુર્તાઓની ઊંચી માંગ જોવા મળી રહી છે. આ સાથે જ રામ મંદિરના મોડલની માંગમાં પણ ઝડપથી વધારો જોવા મળ્યો છે, અને એવી અપેક્ષા છે કે દેશભરમાં 5 કરોડથી વધુ મોડલ વેચાશે જેના માટે નાના ઉત્પાદન એકમો વિવિધ રાજ્યોના ઘણા શહેરોમાં દિવસ-રાત કામ કરી રહ્યા છે.
ઈઅઈંઝના નેશનલ પ્રેસિડેન્ટે જણાવ્યું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાત સહીત દેશભરમાં ભારે ઉત્સાહ છે.
જે લોકો ત્યાં નથી જઈ શકવાના તેવા લોકો ઘર, ઓફ્સિ, સોસાયટી, કોમ્યુનિટી ગ્રુપ સહિત અલગ અલગ રીતે આ દિવસે ઉજવણી કરવાના છે જેના કારણે ડેકોરેશનનો સામાન, રોશની, લાઈટ એન્ડ સાઉન્ડ જેવા ઈલેક્ટ્રોનિક્સ સામાન, ઝંડા, સાડી, દીવડા, દુપટ્ટા, વગેરે જેવી આઈટમોમાં ડિમાન્ડ વધી છે. આ સ્થિતિને જોતા આ પ્રસંગ માટે ગુજરાતમાં રૂ. 5,000 કરોડ આસપાસ વેપાર થવાની સંભાવના છે. સુરતમાંથી સાડીઓ, દુપટ્ટા જેવી વસ્તુઓની સપ્લાય થઇ રહી છે. અમદાવાદમાં પણ બેનર, ઈલેક્ટ્રોનિક્સ સામાન, કપડા જેવી વસ્તુઓની ભારે માગ છે.
ઈઅઈંઝના નેશનલ સેક્રેટરીએ જણાવ્યું કે, ભગવાન રામના મંદિર પ્રત્યેના અભૂતપૂર્વ ઉત્સાહ અને સમર્પણને કારણે આર્થિક પરિસ્થિતિમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. આ ઇવેન્ટથી ધાર્મિક લાગણીઓમાં વધારો થવાની સાથેસાથે આર્થિક પ્રવૃત્તિઓમાં પણ ઉછાળો આવ્યો છે. લોકોની અસ્થા અને વિશ્વાસ દેશની પરંપરાગત આર્થિક વ્યવસ્થા પર આધારિત ઘણા નવા વ્યવસાયોને લાભકારક સાબિત થશે. સૌથી વધુ અંદાજે રૂ. 20,000 કરોડનો વેપાર દિલ્હીમાં થવાની અપેક્ષા છે. આ ઉપરાંત મુંબઈ, કોલકાતા, નાગપુરમાં પણ આવી વસ્તુઓની ભારે માગ છે.