ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આગામી તા.14ના મકરસંક્રાંતી પર્વના દિવસે પતંગોત્સવની ઉજવણી ઐતિહાસીક ઉપરકોટ કિલ્લામાં મનપા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યુ છે.
જેના ભાગરૂપે મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, સ્થાયી સમિતી ચેરમેન હરેશ પરસાણા તેમજ ડીએમસી એ.એસ.ઝાપડા સહિતના અધિકારીઓએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી અને આગામી મકરસંક્રાંતી તહેવારની પતંગોત્સવની ઉજવણી ઉપરકોટ કિલ્લા ખાતે કરવામાં આવશે.
જૂનાગઢ મકરસંક્રાંતી પર્વની ઉજવણી મનપા દ્વારા ઉપરકોટ કિલ્લા ખાતે થશે
