By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    7 hours ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    7 hours ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    1 day ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    7 hours ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    11 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    1 day ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    1 day ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 day ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    8 hours ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 day ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    10 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    10 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    10 hours ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 day ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વક્ફની ભારતમાં ક્યારે શરૂઆત થઈ, તે કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યુ છે, જાણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વક્ફની ભારતમાં ક્યારે શરૂઆત થઈ, તે કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યુ છે, જાણો
રાષ્ટ્રીય

વક્ફની ભારતમાં ક્યારે શરૂઆત થઈ, તે કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યુ છે, જાણો

Khaskhabar Editor
Last updated: 2025/04/02 at 12:46 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

સંસદીય બાબતો અને લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ 8 ઓગસ્ટ, 2024ના રોજ લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું, જેને વિપક્ષના હોબાળા બાદ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવ્યું હતું. સંસદીય સમિતિમાં કુલ 44 સુધારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 14 સુધારાને જગદંબિકા પાલની આગેવાની હેઠળની JPC દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. સંશોધિત બિલને કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિલ આજે રજૂ થવા જઈ રહ્યું છે, તો તે પહેલા વક્ફ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો જાણી લઈએ.

વક્ફ શું છે?

- Advertisement -

વક્ફ એ અરબી ભાષામાંથી ‘વકુફા’ શબ્દ પરથી આવ્યો છે. વકુફાનો અર્થ થાય છે રોકવું. તેના પરથી બન્યો ‘વક્ફ’ એટલે કે ‘સાચવવું’. જો આપણે તેને કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો, વક્ફ એટલે ‘ઈસ્લામમાં, જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક કારણોસર પોતાની મિલકત દાન કરે છે, તો તેને વક્ફ એટલે કે સંપત્તિનું એન્ડોમેન્ટ કહેવામાં આવે છે.’ પછી તે થોડા રૂપિયા હોય, મિલકત હોય, કિંમતી ધાતુ હોય કે ઘર, મકાન કે જમીન.

આ દાનમાં આપેલી મિલકતને ‘અલ્લાહની મિલકત’ કહેવાય છે અને જે વ્યક્તિ પોતાની મિલકત વક્ફને આપે છે તેને ‘વકીફા’ કહેવાય છે. વકીફા અથવા વક્ફ દ્વારા દાનમાં આપવામાં આવેલી આ મિલકતો વેચી શકાતી નથી અને તેનો ધર્મ સિવાયના અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાતો નથી.

રાજ્ય સ્તરે રચાયેલ વક્ફ બોર્ડ રાખે છે વક્ફ મિલકતોની સંભાળ

- Advertisement -

વક્ફ મિલકતોના વહીવટ માટે વક્ફ બોર્ડ છે. આ સ્થાનિક અને રાજ્ય સ્તરે બનાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં પણ અલગ-અલગ શિયા અને સુન્ની વક્ફ બોર્ડ છે. રાજ્ય સ્તરે રચાયેલ વક્ફ બોર્ડ આ વક્ફ મિલકતોની સંભાળ રાખવી, તેની જાળવણી કરવી, તેમાંથી થતી આવકની સંભાળ રાખવી વગેરે જેવું કામ કરે છે. કેન્દ્રીય સ્તરે, સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ રાજ્યોના વક્ફ બોર્ડને માર્ગદર્શિકા આપવાનું કામ કરે છે. દેશભરમાં બનેલા કબ્રસ્તાનો વક્ફ જમીનનો ભાગ છે. દેશભરમાં લગભગ 30 વક્ફ બોર્ડ છે, જે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વક્ફ મિલકતોનું સંચાલન કરે છે.

ભારતમાં વક્ફની પરંપરા ક્યારે શરૂ થઈ?

ભારતમાં વક્ફની શરૂઆત ઇસ્લામના આગમન સાથે થઇ હોવાનું કહેવાય છે. તેનો ઈતિહાસ 12મી સદીમાં દિલ્હી સલ્તનતના સમય સાથે જોડાયેલો છે અને ભારતમાં આઝાદી પછી 1954માં પહેલીવાર વક્ફ એક્ટ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ વર્ષ 1995માં આ એક્ટમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવો વક્ફ કાયદો બનાવવામાં આવ્યો અને વર્ષ 2013માં પણ તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા.

વર્ષ 2013 પછી, 8 ઓગસ્ટ, 2024 ના રોજ, વક્ફ કાયદામાં સુધારો કરીને એક નવું વક્ફ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેની સામે દેશભરમાં ભારે વિરોધ થયો હતો. વિરોધ પછી, બિલનો ડ્રાફ્ટ તૈયાર કરીને સંસદના જેપીસીને મોકલવામાં આવ્યો હતો, જેની ચર્ચા કરવામાં આવી હતી અને 27 જાન્યુઆરી 2025ના રોજ, જેપીસીએ બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી અને 14 સૂચવેલા સુધારાઓને સ્વીકાર્યા હતા.

આ પછી, JPC રિપોર્ટ 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો. 19 ફેબ્રુઆરી 2025 ના રોજ કેબિનેટની બેઠકમાં સંશોધિત વક્ફ બિલને મંજૂરી આપવામાં આવી હતી અને હવે આજે એટલે કે 2 ફેબ્રુઆરીએ, આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે, જેના પર 8 કલાક સુધી ચર્ચા થશે અને પછી તેના પર મતદાન થશે.

જાણો વક્ફ બોર્ડ કેટલી મિલકત ધરાવે છે

ભારતમાં, દરેક રાજ્યમાં સ્થાનિક સ્તરે વક્ફ બોર્ડ છે, જે વક્ફ મિલકતોનું સંચાલન કરે છે. વક્ફ બોર્ડ પાસે આશરે 9.4 લાખ એકર જમીન અને 8.7 લાખ મિલકતો છે. આ મિલકતોની કુલ કિંમત રૂ.1.2 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જે તેને ભારતના સૌથી મોટા જમીનમાલિકોમાંની એક બનાવે છે. વક્ફ બોર્ડ દ્વારા સંચાલકીય ભૂલો અને કાયદાકીય વિવાદોને કારણે ઘણી વક્ફ મિલકતો કોર્ટમાં પણ ગઈ છે.

સરકાર દ્વારા રજૂ કરાયેલ વક્ફ સુધારા બિલ શું છે?

છેલ્લા ઘણા સમયથી વક્ફ સુધારા બિલ ચર્ચામાં છે. સરકાર વક્ફ બોર્ડમાં સંશોધન સંબંધિત બિલ સંસદમાં રજૂ કરી શકે છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ 8 ઓગસ્ટના રોજ લોકસભામાં વક્ફ (સુધારા) બિલ, 2024 અને મુસ્લિમ વક્ફ (સુધારા) બિલ, 2024 રજૂ કર્યા હતા. જો કે, તે પછીથી જેપીસીને મોકલવામાં આવ્યું હતું.

આ બિલમાં કેન્દ્ર અને રાજ્ય વક્ફ બોર્ડમાં મુસ્લિમ મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની વાત પણ છે. તેમજ કોઈપણ ધર્મના લોકો તેની સમિતિના સભ્ય બની શકે છે. આ કાયદામાં છેલ્લે વર્ષ 2013 માં સુધારો કરવામાં આવ્યો હતો.

શા માટે સરકાર વક્ફ કાયદામાં સુધારો કરી રહી છે?

વક્ફ એક્ટ 1995 માં પ્રસ્તાવિત સુધારાનો હેતુ વક્ફ બોર્ડની કામગીરીમાં ટ્રાન્સપરન્સી લાવવાનો અને તેના સંચાલનને વધુ અસરકારક બનાવવાનો છે. હાલમાં વક્ફ બોર્ડના મોટાભાગના સભ્યો ચૂંટણી દ્વારા ચૂંટાય છે, પરંતુ નવા બિલ હેઠળ આ બોર્ડના સભ્યો સરકારી નોમિની હશે. આ ઉપરાંત, વક્ફ મિલકતોની નોંધણી અને યોગ્ય રીતે વેલ્યુએશન કરવું ફરજિયાત રહેશે, જેથી મિલકતોનું યોગ્ય રીતે સંચાલન થઈ શકે.

વક્ફ બિલમાં શું ફેરફાર સૂચવવામાં આવ્યા છે?

1. વક્ફ મિલકતોની નોંધણીઃ જિલ્લા કલેક્ટર પાસે વક્ફ મિલકતોની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે જેથી તેની સાચી કિંમત અને સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય.

2. બોર્ડના સભ્યો: નવા બિલ મુજબ, વક્ફ બોર્ડના તમામ સભ્યો હવે સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવશે. આમાં બિન-મુસ્લિમ લોકો પણ બોર્ડના સભ્ય બની શકે છે અને ઓછામાં ઓછા બે સભ્યો બિન-મુસ્લિમ હોવા જોઈએ. આ સિવાય વક્ફ બોર્ડના સીઈઓ પણ બિન-મુસ્લિમ હોઈ શકે છે.

3. મહિલાઓની ભાગીદારીઃ આ બિલમાં એવો પણ પ્રસ્તાવ છે કે વક્ફ બોર્ડમાં મહિલાઓની ફરજિયાત ભાગીદારી હોવી જોઈએ, જેથી સમુદાયમાં સમાનતા અને પ્રતિનિધિત્વ લાવી કરી શકાય.

આ બિલ પર વિપક્ષ અને મુસ્લિમ સમાજનો વિરોધ શા માટે?

જો કે સરકાર ટ્રાન્સપરન્સી લાવવા માટે આ સુધારો કરી રહી છે. પરંતુ મુસ્લિમ સમુદાય અને વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ સુધારાથી વક્ફ બોર્ડના કામકાજમાં સરકારની દખલગીરી વધશે અને તેનાથી ધાર્મિક બાબતોમાં સરકારની દખલગીરી વધશે. ઘણા લોકો માને છે કે આનાથી મુસ્લિમ સમુદાયની સ્વતંત્રતા પર પણ અસર થશે અને વક્ફ બોર્ડમાં સત્તાનું કેન્દ્રીકરણ થશે, જે લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન પહોંચાડશે.

શું વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારી શકાય?

હા, વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકાય છે. હાઈકોર્ટ આ નિર્ણયને સુધારી અથવા સુધારી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ સુધારા કાયદાનો આખરે અમલ કેવી રીતે થાય છે અને તેની શું અસર થાય છે.

You Might Also Like

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

TAGGED: Waqf Bill, What is Waqf Amendment Bill
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આત્માના શુધ્ધિકરણ માટે કિચડથી સ્નાન કરવાનું
Next Article ગિબલી, ઘિબલી કે જિબલી? જાણો Ghibliનો સાચો ઉચ્ચાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

khaskhabarrajkot khaskhabarrajkot 11 hours ago
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?