By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    4 hours ago
    તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી આવશે ભારતની મુલાકાતે
    6 hours ago
    POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
    7 hours ago
    રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
    7 hours ago
    જાપાન/ સાને તાકાઇચી એલડીપીના નવા નેતા તરીકે ચૂંટાયા, ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પીએમ બનશે
    7 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
    4 hours ago
    પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
    4 hours ago
    ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
    6 hours ago
    નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
    6 hours ago
    ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    4 hours ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    5 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    5 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    5 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    2 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    2 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    5 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    3 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વ્હોટઅબાઉટ્રી અથવા વ્હોટઅબાઉટીઝમનું રાજકારણ શું છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > વ્હોટઅબાઉટ્રી અથવા વ્હોટઅબાઉટીઝમનું રાજકારણ શું છે?
AuthorHemadri Acharya Dave

વ્હોટઅબાઉટ્રી અથવા વ્હોટઅબાઉટીઝમનું રાજકારણ શું છે?

Khaskhabar Editor
Last updated: 2023/09/02 at 4:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

મારુ બધું તો સમજ્યાં, પણ તું તારું સંભાળ…

વર્તમાન રાજકારણનાં બદલાતાં વહેણની વિશેષ તરાહમાં બે બાબતો ખાસ ધ્યાન ખેંચે છે, જેના માટે વિશેષ શબ્દો પ્રયોજાય છે, એક તો પોસ્ટ ટ્રુથ, અને બીજો છે વ્હોટઅબાઉટ્રી અથવા વ્હોટઅબાઉટીઝમ

- Advertisement -

આપણે જોયું છે કે, ભૂતકાળમાં બીલ્લા-રંગા, રાજકોટ ન્યારી પ્રકરણ અને નજીકના ભૂતકાળમાં નિર્ભયા કેસ. આ ત્રણેય ઘટના વખતે દેશ આખાયે સાથે મળીને એકઅવાજે વિરોધ નોંધાવ્યો હતો પણ હવે આ સામાજિક સમરસતાનું ચિત્ર બદલાયું છે. હવે ક્યાંય પણ ગુનાહિત પ્રવૃત્તિ થાય ત્યારે પહેલા પીડિતનો અને આરોપીનો ધર્મ, જે રાજ્યમાં ઘટના બની ત્યાં કોની સરકાર છે, વળી પીડિત-આરોપી જે સમુદાયમાંથી આવે છે તે સમુદાય ચોક્કસ રાજનીતિક પક્ષ માટે ફાયદાકારક કે નુકશાનકારક છે એ બધાં પાસા વિચારીને જ, તેનો વિરોધ અથવા હિત સાચવવાં કે ઘટનાની ગંભીરતા ઓછી કરવાં માટે બચાવ પણ થાય છે! સમાંતરે અથવા ભૂતકાળમાં બનેલ કોઈ ઘટના સંદર્ભ આપીને, અત્યારે તો બોલો છો પણ આ ઘટના બની ત્યારે કેમ ચૂપ હતાં? એનું શું? આવું કરી લોકો પણ જાણે ઘેરબેઠાં રાજકારણ રમે છે.

આને વ્યવહારીક પ્રયોગ સાથે સમજાવતાં એમ કહી શકાય કે, ‘અમારા દોષ તો ઠીક પણ, વ્હોટ અબાઉટ યુ?’ ‘…ત્યારે તમે ક્યાં હતાં?’ ‘અમારા વાંક જુઓ છો! એ તો બધું સમજ્યા પણ તમે જે-તે વખતે આમ આમ કર્યું હતું કે કરો છો એનું શું?’ “અમારાથી આ ભૂલ થઈ તો, તેના માટે જવાબદાર તમારી જે તે વખતની નીતિ છે!’ ટૂંકમાં જે-તે બાબત વિશે વ્યક્તિ પાસે સાચો જવાબ કે વાંકમાં હોય ત્યારે જવાબ દેવામાંથી છટકી જવા માટે, સવાલ કરનાર પર જ દોષારોપણ અથવા ટીકાઓ કરી આખીયે પરિસ્થિતિને ચકડોળે ચડાવી દેવાની ધૂતર્તાપૂર્ણ તર્કપદ્ધતિ છે. મુદ્દાથી ધ્યાન ભટકાવીને અહીં-તહીંની વાતો કરવી અને સવાલ કરનાર વ્યક્તિને જ દોષિત ઠેરવી દેવો કે તેનો હુરિયો બોલાવવાથી જવાબ આપવાનું ટળી જતું હોય છે. વળી તેને સાંભળનારા પણ ઘડીભર મતિભ્રમ થઈને મૂળ મુદ્દો શું હતો એ ભૂલી જઈને બચાવ રૂપે જે ભ્રામક તર્ક રજૂ કરવામાં આવ્યા છે તેના પર વિચારવા લાગે છે.

સતત એકના એક પ્રશ્ન પૂછવામાં આવે તો પણ તે જાણે સમજતા જ નથી એમ યોગ્ય જવાબ આપવાને બદલે, વોટઅબાઉટિઝમને અનુસરતા નેતા-પ્રવક્તાઓ પોતે ઉભા કરેલાં મુદ્દાને વળગી રહે છે. તદ્દન અસંગત, અસંબંધિત મુદ્દાઓ વચ્ચે ખોટી સમાનતા સ્થાપીને ઘણીવાર ગર્ભિત અથવા સ્પષ્ટ દાવો કરવામાં આવે છે કે આ જે થયું તેને ખોટું દર્શાવવામાં આવ્યું છે પણ, અન્ય પક્ષ દ્વારા જે-તે સમયે કરવામાં આવેલા જે-તે કાર્ય કરતાં આ કંઈ વધુ ખરાબ નથી!

- Advertisement -

ખાસ કરીને રાજકીય ચર્ચાઓમાં જ્યાં એક પક્ષ ભૂતકાળની ઘટનાઓ/કાલ્પનિક ઘટનાઓ અથવા સામા પક્ષના ખોટા કાર્યોને રજૂ કરીને ટીકાથી બચી શકે છે, પછી ભલે તે વર્તમાન મુદ્દા સાથે સંબંધિત ન હોય. આવું કરતા રહેવાથી જનતાને સામી પાર્ટીના દોષ સિવાયનું કશું યોગદાન દેખાતું નથી. આમ, કરનાર પોતે જવાબ આપવાથી બચી જઈ અને સામા પક્ષની ગરિમાને પણ ખંડિત કરી, એક કાંકરે બે પક્ષી મારે છે.

વ્હોટઅબાઉટ્રી અથવા વ્હોટઅબાઉટીઝમ એટલે વાકપટુતા સાથે તાર્કિક ભ્રામકતા ફેલાવી, વાંધો ઉઠાવનાર પર જ કોઈ રેફરન્સના હવાલે દોષારોપણ કરવાની, પ્રશ્ર્ન પૂછનારને ‘આપના તો અઢાર વાંકા’ કહી દેવાની, પરિસ્થિતિને ઘુમાવી નાખવાની કલા (અપલખણ) જે સામાન્ય રીતે ચર્ચાઓ, રાજકીય ડિબેટ્સ, રાજકીય સભાઓ તેમજ રાજકીય પ્રવચનમાં વપરાય છે

વ્હોટઅબાઉટિઝમના ઉદાહરણ
જો એક નેતા કહે કે, નહેરુજીના કપડાં વિલાયતમાં ધોવડાવતાં તો બીજો કહેશે કે તમારા મોદીજી પણ દસ લાખનો સૂટ પહેરે છે! તમે કહો કે મણિપુર ઘટના બહુ ઘૃણાસ્પદ છે તો સામે વાળો કહેશે, કેમ એમાં જ બોલ્યા? રાજસ્થાનમાં બળાત્કાર થતા રહે છે કેમ ચૂપ? અહીં ઉપરની બન્ને ઘટના સ્વતંત્ર રીતે ચિંતા કરવાની ઘટના જ છે. પણ અહીં, રાજસ્થાનમાં ય આવું થાય છે એટલે મણિપુરમાં થાય તો દુ:ખ શેના વ્યક્ત કરો છો એમ કહેવાનું! તાજેતરમાં મુઝફરનગર મુસ્લિમ વિદ્યાર્થીને હિંદુ વિદ્યાર્થીના હાથે માર ખવડાવતી ઘટના વિશે બહુ સિફતાઈથી બોલાય છે કે ઘટના તો બહુ ઘૃણાસ્પદ છે આવું ન થવું જોઈએ… ‘પણ…’ ઈન્દોરના આઠ વર્ષના બાળકનું મુસ્લિમ દ્વારા અપહરણ કરીને તેની સુન્નત કરી નાખવામાં આવી એનું શું! એના વિશે તો કોઈ ન બોલ્યા!

આમ, દરેક બાબતે ઉપરછલ્લો અફસોસ જતાવ્યાં બાદ, આ મણ એકનો ‘પણ’ મૂકીને દરેક પક્ષ તેને સામા લાગતા પક્ષ કે સમુદાય સાથે બનેલી દુર્ઘટનાની તીવ્રતા ઓછી કરી નાંખે છે.

કઠુઆ રેપમાં બોલ્યા અને શ્રદ્ધા કેસમાં કેમ ન બોલ્યાં? શ્રદ્ધા કેસમાં બોલ્યા પણ કઠુઆ કેમ નહોતા બોલ્યા?
1984ના દંગા વિશે બોલો તો ગોધરાકાંડ યાદ કરાવશે. ગોધરાકાંડ વિશે બોલો તો મોપલા કાંડ અને 1984 દંગા યાદ કરાવશે કે એના વિશે કેમ ન બોલ્યા!
મોદી સરકાર વિશે કોઈ તંદુરસ્ત ટીકા કરો તો તેના સમર્થકો કહેશે કે બહુ તકલીફ હોય તો પાકિસ્તાન ભેગા થઈ જાવ!
આ રીતના તર્કનો નહીં તો કશો અર્થ કે ન તો કોઈ આધાર હોય છે.

આ ઉદાહરણો દર્શાવે છે કે, જે પરણતું હોય, તે સમયે એના જ ગીત ગાવાના હોય, બે સ્વતંત્ર ઘટના વિશે અલગ અલગ રોવાનું હોય, એકબીજાને સામસામે રાખીને ફિટુસ ન કરવાનું હોય એટલુ સામાન્ય વિવેકભાન પણ લોકો હવે ગુમાવતાં જાય છે.

ઉપર કહ્યું તેમ, નૈતિક સાપેક્ષવાદ પર આધારીત વ્હોટબાઉટિઝમ કરી નેતા એમ સૂચવે છે કે, પોતાની ક્રિયાઓ, નિષ્ફળતાઓ એટલા માટે વાજબી છે અથવા માફીપાત્ર છે કારણ કે અન્ય કોઈએ ભૂતકાળ કે વર્તમાનમાં, કંઈક આવું અથવા આનાથી વધુ ખરાબ કર્યું છે! આ પરિબળ સમાજમાં, નૈતિકતાના સ્તરને નીચું લાવે છે. વળી, નેતાઓના બીજા પર આવા તદ્દન અનૈતિક વલણથી, શુ સાચું,? કોણ સારું? કોનો વિશ્વાસ કરવો? આ બધા મુદ્દે જનતા ભ્રમિત થઈ જાય છે. પોતાના આદર્શ નેતા અને તેના પ્રવક્તાઓને નિમ્નકક્ષાનું રાજકારણ કરતા જોઈને, સમજદારોમાં નિરાશા તેમજ રાજનીતિ પ્રત્યે ઉદાસીનતાનું વલણ કેળવાય છે.

નેતા-પ્રવક્તાઓ દ્વારા આચરવામાં આવતી આવી યુક્તિઓ રચનાત્મક ચર્ચાને નબળી પાડે છે. સમસ્યાનાં નિરાકરણને અવરોધે છે. વોટએબાઉટિઝમ વાદ-વિવાદ અથવા ચર્ચાને બિનઉત્પાદક રીતે આગળ વધારી તેનો નિષ્કર્ષ શૂન્ય કરી નાંખે છે. આપણે ટીવી ડીબેટોમાં જોઈએ છીએ કે જોરશોરથી શરુ કરવામાં આવેલી ડિબેટ્સમાં ભાગ્યે જ કોઈ પ્રવક્તા તર્કસંગત જવાબ આપે છે. અને જો તેના રેઢિયાળ જવાબમાં કોઈ તાર્કિક સવાલ ખડો કરે તો હોહા કરવામાં, એકબીજા પર દોષારોપણ કરવામાં જ મૂળ વિષય વિશે આખરે અર્થપૂર્ણ સંવાદ વગર જ ચર્ચા પુરી થાય છે!

વોટઅબાઉટિઝમ વચ્ચે જીવતા આપણે, ધીરે ધીરે મૂલ્યબોધ ગુમાવતા જઈએ છીએ. નીતિમતાથી વિમુખ થતા જઈએ છીએ. કારણ, એ એટલું સામાન્ય થઈ ગયું છે કે ભૂલને સ્વીકારવાને બદલે અન્યોના વાંક દેખાડી, અન્યની લીટી નાની કરવામાં, સામાજિક-નૈતિક જવાબદારીમાંથી છટકી જવામાં છોછ અનુભવવાને બદલે ગર્વ અનુભવતા આપણા નેતાઓને સામાજિક અન્યાય, બળાત્કાર, હત્યા, દંગા, વગેરે પર સવાલ કરવામાં આવે ત્યારે તેઓ પાછળના વર્ષોના સંદર્ભો, વિપક્ષની કેન્દ્ર સરકાર કે પોતાનાથી જુદા પક્ષની સરકારો હોય એવા રાજ્યોમાં થયેલા ગુનાના સંદર્ભો આપી આપીને પોતે તો જવાબદારીમાંથી બચી જાય છે પણ તદ્દન હીંચકારી, વખોડી કાઢવા જેવી ઘૃણાસ્પદ ઘટનાઓ પરત્વે પણ આવું અસંવેદનશીલ વલણ અપનાવી શકાય, અથવા જે કઈ ઘટના બની છે એ તો ફલાણી ઢીંકણી નિતિનું અથવા ઘટનાનું રિએક્શન છે, એટલે વાજબી છે એવો પ્રચ્છન્ન બોધ પણ આપતાં જાય છે! આપણી સંવેદના હવે બુઠ્ઠી થતી જાય છે. જે આપણને અપરાધ બોધમાંથી મુક્ત કરી દે છે અને ન્યાય પ્રત્યેની આપણી નિષ્ઠાને પણ અસર કરે છે. વળી અંગત જીવનમાં પણ આવું વલણ વ્યક્તિને નડી જાય છે.

સોશ્યલ મીડિયાનાં જમાનામાં આજે જ્યારે આમ જનતા પણ રાજનીતિ અંગે રોજબરોજ પોતાનો મત જણાવતી થઈ છે, વિચારોના આદાનપ્રદાનની પ્રબળતા વચ્ચે દરેક વ્યક્તિ માટે આ અનિવાર્ય બની ગયું છે કે તે બુદ્ધિની બારી ખુલ્લી રાખી ખરેખર શું થઈ રહ્યું છે તે સમજે. કોઈએ આપેલા પૂર્વગ્રહયુક્ત રેડીમેઈડ જ્ઞાનને બદલે પોતે ચર્ચાઓને, મૂળ વિષય અથવા તે અંગે કરવામાં આવેલી દલીલો પાછળના હેતુને ઓળખે. વિવિધ પરિસ્થિતિઓ અથવા નીતિઓની તુલના કરવી એમાં કશું ખોટું નથી પરંતુ એમ કરીને જે-તે પક્ષ લોકોને મુદેથી ભટકાવીને છટકી જતો હોય છે, એ સમજવું જરૂરી છે.

You Might Also Like

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

ઇંગ્લેન્ડમાં બનશે મધમાખીઓ માટે ખાસ આવાસ

ચાલો માણસ માણસ રમીએ

TAGGED: POLITICS, whataboutery, whataboutism
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ સિનિયર નેતા વજુભાઈ વાળાની મુલાકાત લીધી
Next Article મેડિકલ ક્ષેત્રે આધુનિક વિજ્ઞાન કરતા પણ આગળ છે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા પધ્ધતિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
ગ્રીનકાર્ડ કેમ મેળવશો?
અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
Author

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?