– રાજ્યના તમામ ખેડૂતો માટે ૩૦ જૂન સુધીની રાજ્ય સરકારની ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત
સરકાર ચૂકવશે.
કોરોના મહામારીના સમયમાં આમ પ્રજાજનની સાથે સાથે જગતના તાત ખેડૂતની પણ હાલત
દયનીય થઇ ગઈ હતી. જેથી આવા કોરોનાના કપરા કાળમાં પણ ખેડૂતને કોઈ મુશ્કેલીમાંથી પસાર
ન થવું પડે તથા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંગઠન દ્વારા થતી માંગણીને ધ્યાને લઇ ગુજરાતના
સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા કોરોનાના કપરા કાળમાં રાજ્યના
ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતા વધુ એક કિસાનનો હિતકારી નિર્ણય લીધેલ
છે. જેને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રીશ્રી વિજયભાઈ કોરાટએ અભિનંદન સાથે આવકાર્યો
હતો.
વધુમાં વિજયભાઈ કોરાટએ જણાવ્યું હતું કે, માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્ય
સરકાર દ્વારા રાજ્યભરમાંથી રાષ્ટ્રીય અને ખાનગી બેંકો. માંથી ધિરાણ લેનારા ખેડૂતોને આ લાભ
નહિ મળતો હોવાથી આખા વર્ષનું ૭% વ્યાજ ભરવુ પડે એમ હતું. જેથી રાજ્યના ખેડૂતોને પાક
ધિરાણ ભરવા માટે સહકારી બેંકોના ધિરાણ ને ૩૦ જૂન સુધી મુદત વધારી આપી હતી. સાથે સાથે
રાજયની નેશનલાઈઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઇપણ બેન્કમાંથી ખેડૂતોએ
લીધેલા ટુંકી મુદતના પાક ધિરાણ ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદત ૩૦ જૂન સુધી
લંબાવવામાં આવી છે
રાજ્ય સરકાર દ્વારા રાજ્ય ના ખેડૂતો અને ખેડૂત સંગઠનોની માંગણીને માન્ય રાખી મુખ્ય
મંત્રીશ્રીએ રાજ્યના કિસાનોના હિતમાં એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યના આવા તમામ ખેડૂતો
માટે ૩૦ જૂન સુધીની રાજ્ય સરકારની ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર ચૂકવશે તથા આ કૃષિ
હિતલક્ષી નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત
રૂ.૨૪૧.૫૦ કરોડનો ખર્ચ ભોગવશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ કોરોના સંકટના આ સમયે
રાજ્યના ધરતી પુત્રોને મોટી આર્થિક રાહત આપી એક સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
સરકાર ચૂકવશે.
કોરોના મહામારીના સમયમાં આમ પ્રજાજનની સાથે સાથે જગતના તાત ખેડૂતની પણ હાલત
દયનીય થઇ ગઈ હતી. જેથી આવા કોરોનાના કપરા કાળમાં પણ ખેડૂતને કોઈ મુશ્કેલીમાંથી પસાર
ન થવું પડે તથા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંગઠન દ્વારા થતી માંગણીને ધ્યાને લઇ ગુજરાતના
સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા કોરોનાના કપરા કાળમાં રાજ્યના
ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતા વધુ એક કિસાનનો હિતકારી નિર્ણય લીધેલ
છે. જેને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રીશ્રી વિજયભાઈ કોરાટએ અભિનંદન સાથે આવકાર્યો
હતો.
વધુમાં વિજયભાઈ કોરાટએ જણાવ્યું હતું કે, માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્ય
સરકાર દ્વારા રાજ્યભરમાંથી રાષ્ટ્રીય અને ખાનગી બેંકો. માંથી ધિરાણ લેનારા ખેડૂતોને આ લાભ
નહિ મળતો હોવાથી આખા વર્ષનું ૭% વ્યાજ ભરવુ પડે એમ હતું. જેથી રાજ્યના ખેડૂતોને પાક
ધિરાણ ભરવા માટે સહકારી બેંકોના ધિરાણ ને ૩૦ જૂન સુધી મુદત વધારી આપી હતી. સાથે સાથે
રાજયની નેશનલાઈઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઇપણ બેન્કમાંથી ખેડૂતોએ
લીધેલા ટુંકી મુદતના પાક ધિરાણ ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદત ૩૦ જૂન સુધી
લંબાવવામાં આવી છે
રાજ્ય સરકાર દ્વારા રાજ્ય ના ખેડૂતો અને ખેડૂત સંગઠનોની માંગણીને માન્ય રાખી મુખ્ય
મંત્રીશ્રીએ રાજ્યના કિસાનોના હિતમાં એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યના આવા તમામ ખેડૂતો
માટે ૩૦ જૂન સુધીની રાજ્ય સરકારની ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર ચૂકવશે તથા આ કૃષિ
હિતલક્ષી નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત
રૂ.૨૪૧.૫૦ કરોડનો ખર્ચ ભોગવશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ કોરોના સંકટના આ સમયે
રાજ્યના ધરતી પુત્રોને મોટી આર્થિક રાહત આપી એક સંવેદનશીલ નિર્ણય કર્યો છે.