13 મામલતદાર, 118 નાયબ મામલતદારને બઢતીના હુકમો જારી કરતી રાજ્ય સરકાર
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર-કચ્છના 2 મામલતદાર અને 62 નાયબ મામલતદારની બઢતી અને 44 મામલતદારની બદલીના રાજ્ય સરકારે ઓર્ડર કર્યા છે. આ ઉપરાંત રાજ્યના કુલ 155 મામલતદારોની બદલીના હુકમો પણ કરવામાં આવ્યા છે. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા લાંબા સમયથી જે નાયબ મામલતદારો પોતાના પ્રમોશનની રાહ જોઈને બેઠા હતા તે ફાઈલ અંતે સરકારે ક્લિયર કરી છે.
રાજકોટથી મામલતદાર તરીકે પ્રમોશન પામેલા શૈલેષ હાંસલિયાને જામનગર કલેકટર કચેરી- ચૂંટણી શાખામાં મામલતદાર તરીકે નિમણુંક અપાઈ છે. 118 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવા સાથે બદલી કરી દિવાળીની ભેટ રાજ્ય સરકારે આપી છે.
- Advertisement -
સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતાં બે મામલતદારને ડેપ્યુટી કલેકટરના પ્રમોશન અપાયા છે. જેમાં બોટાદ જિલ્લાના ગઢડાના મામલતદાર એમ. એ. ઝાલાને મોરબીના કલેકટર તરીકે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર મામલતદાર આઈ. આર. પરમારને આણંદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના 62 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરના શંકર ભૂંશડિયા રણછોડભાઈ ચૌહાણ, આદમભાઈ પિપરવાડિયા, જયેશકુમાર દવે, રાજકોટના ચુનીલાલ ચોવટિયા, વિનોદરાય ધાનાણી, શૈલેષ હાંસલિયા, હરસુખલાલ પરસાણિયા, રાણાભાઈ લાવડિયા, બળવંત પંડ્યા, ભાવનગરના મોહનભાઈ જોડીયા, માનસી વહોનિયા, ભરતસિંહ પણદા, જીવણભાઈ ચૌધરી, આસિફ ઈકબાલ કુરેશી, દેવસિંહ ફટાણિયા, જીતેશભાઈ જોશી, દુર્લભજીભાઈ પાલ, કેતનકુમાર મહેતા, ઉષાબેન વાઘેલા, પ્રવિણકુમાર ભટ્ટ, બોટાદ જિલ્લાના ઘનશ્યામસિંહ રાઠોડ સહિત ગિર સોમનાથના, કચ્છના, જામનગરના, પોરબંદરના અને અમરેલી જિલ્લાના નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના 6 નાયબ મામલતદારોને મામલતદારના પ્રમોશન આપવામાં આવ્યા. જેમાં ચુનીલાલ ચોવડિયાને જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, વિનોદભાઈ ધાનાણીને સુત્રાપાડા, શૈલેષ હાંસલિયાને જામનગર ચૂંટણી શાખામાં, રાણાભાઈ લાવડિયાને થાનગઢ, બલવંત જે. પંડ્યાને અમદાવાદ કલેકટર ચિટનીશમાં મૂકવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં ફરજ બજાવતાં નવ મામલતદારોમાં પશ્ર્ચિમ મામલતદાર વી. એમ. ભગોરાને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળમાં દક્ષિણ મામલતદાર સી. એમ. દંગીને આઈ.ઓ.આર.એ. ગાંધીનગર બિનખેતીના એચ. સી. તન્નાને જામનગર પીઆરઓ, હક્કપત્રકના વિરલકુમારી માંકડિયાને લીલિયામાં, રૂડાના જાનકી પટેલને રાજકોટ પશ્ર્ચિમ મામલતદાર, અધિક ચિટનીશ આર. જી. ઝાલાને ભાવનગર ગ્રામ્યમાં ચૂંટણીના શૈલેષભાઈ દેસાઈને ચોટીલામાં, ડિઝાસ્ટરના યુ. વી. કાનાણીને ગિરગઢડામાં, પ્રોટોકોલના જે. એન. મહેતાને જાફરાબાદમાં તેમજ લોધિકા મામલતદાર કે. કે. રાણાવસિયાને સરસ્વતી મામલતદાર તરીકે મૂકવામાં આવ્યા છે. આમ રાજ્ય સરકારે 13 મામલતદાર, 118 નાયબ મામલતદારને પ્રમોશન આપી દિવાળીની ગિફ્ટ આપી છે.


