– ઘરની બહાર 25 લોકો હથિયાર સાથે ધસી આવ્યા: મુંબઈ પોલીસ અલર્ટ
જાણીતી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનો કિરદાર ભજવનાર દિલીપ જોષીની સિક્યોરિટી અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ‘આજતક’ના અહેવાલ પ્રમાણે, દિલીપ જોષીના નામે નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો. આ ફોનમાં કહેવામાં આવ્યું હતું કે, અભિનેતાના ઘરની બહાર 25 લોકો બંદૂક ને હથિયાર લઈને ઊભા છે.
- Advertisement -
પહેલી ફેબ્રુઆરીના રોજ નાગપુર કંટ્રોલ રૂમમાં એક અજાણી વ્યક્તિએ ‘કટકે’ નામથી ફોન કર્યો હતો. આ વ્યક્તિએ કહ્યું હતું કે, ‘તારક મહેતા..’માં કામ કરનાર દિલીપ જોષીના ઘરની બહાર શિવાજી પાર્કમાં 25 લોકો બંદૂક ને હથિયાર લઈને ઊભા છે. આ સાથે જ મુકેશ અંબાણી, ધર્મેન્દ્ર તથા અમિતાભ બચ્ચનના ઘરને બોમ્બથી ઉડાડવાની ધમકી આ ફોનમાં આપવામાં આવી હતી. આ વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે તેમાંથી કેટલાક લોકો વાતો કરતા હતા કે આ 25 લોકો મુંબઈમાં આ ઘટનાક્રમને અંજામ આપવા માટે શહેરમાં પ્રવેશી ચૂક્યા છે.
નાગપુર પોલીસે આ ફોન અંગેની માહિતી મુંબઈ પોલીસને આપી હતી અને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનને અલર્ટ કર્યું હતું. મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશને આ અંગેની તપાસ શરૂ કરી છે.
તપાસમાં એ વાત સામે આવી કે, નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાંથી જે નંબર પરથી ફોન આવ્યો તે નંબર દિલ્હીની એક સિમ કાર્ડ કંપનીમાં કામ કરતા યુવકનો હતો. તે યુવકનો નંબર તેની જાણ બહાર હેક કરીને એક વિશેષ એપની મદદથી ઉપયોગ કરીને ફોન કરવામાં આવ્યો હતો. પોલીસ હવે તે ફોન કરનાર અસલી વ્યક્તિને શોધી રહી છે.
- Advertisement -