-કોંગ્રેસના નેતાનો ડિપ્લોમેટીક પાસપોર્ટ સરન્ડર થતા હવે સામાન્ય નાગરિક તરીકે નવો પાસપોર્ટ મેળવશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને હવે એક સામાન્ય નાગરિક તરીકે હાલ 3 વર્ષનો પાસપોર્ટ મળશે. રાહુલે મોદી સરનેમ વિવાદમાં તેનું લોકસભા સભ્યપદ ગુમાવ્યા બાદ તેનો ડિપ્લોમેટીક પાસપોર્ટ સરક્ધડર કરી દીધો હતો અને રાહુલે નવા પાસપોર્ટની અરજી કરી હતી પણ ભાજપના પુર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરલ્ડ સહિતના કેસમાં રાહુલ ગાંધી જામીન પર હોવાથી તમોને પાસપોર્ટ આપવામાં આવે
- Advertisement -
તો ગમે ત્યારે દેશ છોડીને જશે અને અદાલતી સુનાવણી સમયે હાજર રહેશે નહી તેવી રજુઆત કરી રાહુલ ગાંધીને નવા પાસપોર્ટ આપવાનો વિરોધ કર્યો હતો. જો કે દિલ્હીની સાઉથ એવન્યુ કોર્ટે રાહુલ ગાંધીની અરજી સ્વીકારી તેમને હાલ 3 વર્ષની એસીડીટી ધરાવતો પાસપોર્ટ આપવાની મંજુરી આપી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલને 1 વર્ષની મુદત માટે અને દર વર્ષે રીવ્યુ રીપોર્ટના આધારે પાસપોર્ટ આપવાની દલીલ કરી હતી પણ તે સ્વીકારાઈ ન હતી.