By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    10 hours ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    1 day ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CNGમાં ₹2નો ભાવવધારો
    8 hours ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    8 hours ago
    ફરી યુદ્ધ ભડક્યું
    8 hours ago
    રણવીર સિંહને હવે કોઈ ફિલ્મમાં નહીં લે!
    8 hours ago
    સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    8 hours ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    1 day ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    3 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    3 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    4 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    4 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોને લઈને રેલવે મંત્રી થયા ભાવુક: જુઓ વીડિયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોને લઈને રેલવે મંત્રી થયા ભાવુક: જુઓ વીડિયો
ખાસ-ખબરરાષ્ટ્રીય

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોને લઈને રેલવે મંત્રી થયા ભાવુક: જુઓ વીડિયો

Khaskhabar Editor
Last updated: 2023/06/05 at 10:28 AM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં લાપતા લોકોની વાત કરતા-કરતા અશ્વિની વૈષ્ણવ થઈ ગયા ગળગળા

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થઈ ગયા હતા. વાત જાણે એમ છે કે, રેલ્વે મંત્રી અસરગ્રસ્ત ટ્રેકના પુનઃસ્થાપન અંગે મીડિયાને માહિતી આપી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને ગૂંગળાઇ ગયા હતા. આ તરફ ગળગળા અવાજ સાથે રેલ્વે મંત્રીએ કહ્યું કે, બાલાસોર રેલ દુર્ઘટના સ્થળ પર રેલ ટ્રેકના પુનઃસ્થાપનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે બંને બાજુથી (UP-DOWN) રેલ ટ્રાફિક માટે રસ્તો સાફ કરવામાં આવ્યો છે. એક તરફનું કામ એક દિવસમાં પૂર્ણ થયું હતું, હવે બીજી સાઈટનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. આ પછી તેણે ટ્રેન દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોનો ઉલ્લેખ કર્યો. રેલ્વે મંત્રીએ કહ્યું કે, ટ્રેક પર રસ્તો સાફ થઈ ગયો છે, પરંતુ અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી.

- Advertisement -

અમારો ધ્યેય ગુમ થયેલા લોકોને શોધવાનો છેઃ રેલ્વે મંત્રી
રેલ્વે મંત્રીએ રડતાં રડતાં કહ્યું કે, અમારો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો શક્ય તેટલી વહેલી તકે તેમના સંબંધીઓને મળી શકે. તેઓ શક્ય તેટલી વહેલી તકે શોધી શકાય. અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી. તમને જણાવી દઈએ કે, બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના થઈ હતી ત્યાં યુદ્ધના ધોરણે કામ ચોવીસ કલાક ચાલુ હતું. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે સતત હાજર રહ્યા હતા. સેંકડો રેલવે કર્મચારીઓ, કર્મચારીઓ રાહત બચાવ ટીમના ટેકનિશિયનથી માંડીને એન્જિનિયરો દિવસ-રાત કામ કરતા રહ્યા.

#WATCH | Balasore,Odisha:…"Our goal is to make sure missing persons' family members can find them as soon as possible…our responsibility is not over yet": Union Railway Minister Ashwini Vaishnaw gets emotional as he speaks about the #OdishaTrainAccident pic.twitter.com/bKNnLmdTlC

— ANI (@ANI) June 4, 2023

- Advertisement -

ક્ષતિગ્રસ્ત બોગીને શનિવારે રાત્રે જ હટાવી લેવામાં આવી
અકસ્માત બાદ ઘટનાસ્થળે પરિસ્થિતિ ઝડપથી બદલાતી રહી. પાટા પર વિખરાયેલા બોગીઓને શનિવારે રાત્રે જ કિનારે હટાવી દેવામાં આવી હતી. અકસ્માત બાદ એક્સપ્રેસ ટ્રેન અને ગુડ્સ ટ્રેનના બાકીના ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા. આ પછી રવિવારે આખો દિવસ ટ્રેકના રિસ્ટોરેશનનું કામ ચાલુ રહ્યું હતું. આના પરિણામે અકસ્માતના 51 કલાક પછી જ આ ટ્રેક પર પ્રથમ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. જેને ટ્રેક યોગ્ય રીતે ફીટ કરવામાં આવ્યો છે કે કેમ તે જોવા માટે દોડાવવામાં આવી હતી અને ત્યાર બાદ રવિવારે મોડી રાત્રે અપ અને ડાઉન બંને લાઇનના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હવે આ લાઇન અને અસરગ્રસ્ત ટ્રેક પરની ટ્રેનો ફરી એકવાર આગળ વધવા માટે તૈયાર છે.

Down-line restoration complete. First train movement in section. pic.twitter.com/cXy3jUOJQ2

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2023

પહેલી ટ્રેન રવિવારે રાત્રે 10:40 વાગ્યે શરૂ થઈ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાલાસોરમાં જે સેક્શનમાં અકસ્માત થયો હતો, ત્યાં ભયાનક અકસ્માતના 51 કલાક પછી રવિવારે રાત્રે લગભગ 10.40 વાગ્યે પહેલી ટ્રેન દોડતી જોવા મળી હતી. રેલવે મંત્રીએ અહીંથી માલસામાન ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. કોલસો વહન કરતી આ ટ્રેન વિઝાગ બંદરથી રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ તરફ જઈ રહી છે. શુક્રવારે જે ટ્રેક પર બેંગલુરુ-હાવડા ટ્રેન દુર્ઘટના થઈ હતી તે જ ટ્રેક પર ટ્રેન મુસાફરી કરી રહી હતી. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું હતું કે, “ડાઉન લાઇન પર કામ પૂર્ણ, ટ્રેક પુનઃસ્થાપિત. સેક્શન પર પ્રથમ ટ્રેન દોડશે.” ડાઉનલાઇન પુનઃસ્થાપિત થયાના માંડ બે કલાક પછી, અપલાઇન પણ અવરજવર માટે સંપૂર્ણપણે તૈયાર હતી.

સમગ્ર વિભાગ પર રેલની અવરજવર સામાન્ય કરવાની યોજના
અકસ્માતગ્રસ્ત વિભાગની અપ લાઇન પર દોડનારી પ્રથમ ટ્રેન ખાલી માલ ટ્રેન હતી. આ એ જ ટ્રેક છે કે જેના પર કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇનમાં પ્રવેશતા પહેલા ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. કહેવામાં આવ્યું હતું કે”આ સેક્શનમાંથી ત્રણ ટ્રેનો નીકળી છે (બે ડાઉન અને એક અપ). આ સિવાય રાતોરાત લગભગ સાત ટ્રેનો અહીંથી પસાર થવાની યોજના હતી. આ રીતે આખા સેક્શન પર ટ્રેનોની અવરજવર નોર્મલાઇઝ્ડ કરવી પડશે.

Up-line train movement also started. pic.twitter.com/JQnd7yUuEB

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2023

ગુમ થયેલા લોકોને લઈને રેલવે મંત્રી થઈ ગયા ભાવુક
પોતાના સમગ્ર કામની માહિતી આપતાં રેલવે મંત્રી જે વાત પર રડ્યા તે ગુમ થયેલા લોકો વિશે છે. હકીકતમાં લગભગ 182 મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. સ્થિતિ એ છે કે હોસ્પિટલોના શબઘરો મૃતદેહોથી ભરેલા છે અને આ કાળઝાળ ગરમીમાં મૃતદેહોને સુરક્ષિત રાખવા પ્રશાસન માટે પડકાર બની ગયા છે. આ માટે શાળા અને કોલ્ડ સ્ટોરેજને શબઘરમાં ફેરવવામાં આવ્યું છે.

 

You Might Also Like

CNGમાં ₹2નો ભાવવધારો

દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ

ફરી યુદ્ધ ભડક્યું

રણવીર સિંહને હવે કોઈ ફિલ્મમાં નહીં લે!

સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત

TAGGED: ashwininvaishnaw, balasoretrainaccident, odisha, people, unionrailwayminister
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીમાં અમિત શાહ અને કુસ્તીબાજો વચ્ચે યોજાઇ મુલાકાત: શું આવશે બ્રિજભૂષણ કેસમાં નવો વળાંક
Next Article ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ! ભારે પવન સાથે વરસાદની આગાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીની મચ્છુ નદીના કાંઠે 1200 વીઘામાં 500 લોકોએ 37 દિવસમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
માળિયા હાઈવે પર ટ્રક – કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 4 લોકોના મોત
ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
સ્માર્ટ સિટીના દાવા પોકળ: રાજકોટ મનપાના સિવિક સેન્ટરનું સર્વર ઠપ
‘જૈન સ્વીટ’માં લોકોના આરોગ્ય સાથે ચેડાં: વાસી લોટ, પડતર સમોસા – પપૈયાનો નાશ કરાયો
રિનોવેશનના નામે માર્કેટ ખાલી કરાવી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર બુલડોઝર ફેરવાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

CNGમાં ₹2નો ભાવવધારો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

ફરી યુદ્ધ ભડક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?