-અમો થાકતા નથી કારણ કે લોકો જ અમોને આગળ લઈ જાય છે: ઉદગાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તેના 125 દિવસમાં 10 રાજયો અને 52 જિલ્લાઓમાં થી પસાર થઈને તેના અંતિમ ચરણમાં દેશના સૌથી સંવેદનશીલ રાજય જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશી છે અને હવે અહી તા.20 સુધી યાત્રા રાજયના અનેક વિસ્તારોમાં ફરશે તથા તા.30 જાન્યુઆરીના રોજ યાત્રા તેના અંતિમ દિને શ્રીનગરમાં હશે.
- Advertisement -
#WATCH | Bharat Jodo Yatra resumes from Kathua in Jammu & Kashmir on the 125th day of its journey; sees the participation of Shiv Sena (Uddhav Thackeray) leader Sanjay Raut today pic.twitter.com/Ve81omvQ5m
— ANI (@ANI) January 20, 2023
- Advertisement -
જયારે રાહુલ ગાંધી લાલચોકમાં ત્રિરંગો લહેરાવશે. દેશમાં કોઈપણ રાજનેતા દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી પદયાત્રા આજે જમ્મુ-કાશ્મીરના કથુઆમાં પ્રવેશી હતી. લખનપુરમાં રાહુલ ગાંધીએ તેઓ પોતાના વડાઓની ધરતી પર આવ્યા હોવાનો ઉદગાર કરતા જણાવ્યું કે હું મારા મૂળમાં પરત ફરી રહ્યો છું. હું જમ્મુ-કાશ્મીરના લોકોનું દુ:ખ સમજુ છું અને મારૂ માથુ નીચું રાખીને આપની પાસે આવ્યો છું. રોજના 25 કી.મી.ની પદયાત્રા બાદ રાહુલ ગાંધી કાશ્મીરથી કન્યાકુમારી પહોંચ્યા છે.
My ancestors belonged to this land (J&K). I feel I am returning home. When a person goes back to his roots, he gets to know a lot about himself and the country. I have come here to learn from you. I know the suffering of the people of Jammu and Kashmir: Congress MP Rahul Gandhi pic.twitter.com/ezjnSgOSXp
— ANI (@ANI) January 19, 2023
તેઓને આવકારવા જમ્મુ-કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા સહિતના નેતાઓ હાજર હતા. રાહુલે કહ્યું કે અમો થાકતા નથી. કારણ કે લોકો જ અમોને આગળ લઈ જઈ રહ્યા છે. કોઈ પક્ષ જાય તો પણ થોડી સેક્ધડોમાં તેને સહારો મળી જાય છે. રાહુલની યાત્રા સંવેદનશીલ ક્ષેત્રમાં પ્રવેશતા તેની સુરક્ષા પણ વધારવામાં આવી છે.