પંજાબ સરકાર બદલાખોરીની રાજનીતિ અપનાવતી હોવાનો ધારાસભ્યનો આરોપ
પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખલાલ ખેહરાના નિવાસે પોલીસે આજે વહેલી સવારે દરોડો પાડીને સુખપાલની ધરપકડ કરી હતી. ખુદ સુખલાલે આ જાણકારી આપતા કહ્યું હતું કે તેની સામે ચાલી રહેલા એક જુના એનડીપીએસ કેસમાં તેની ધરપકડ થઈ છે. સુખલાલે આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી ભગવંત માન બદલાખોરીની નીતિ અપનાવી રહ્યા છે પણ હું અવાજ ઉઠાવતો રહીશ.
- Advertisement -
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ખેહરાની 2015ના એનડીપીએસ એકટમાં નોંધાયેલા એક કેસમાં ધરપકડ કરાઈ છે, જયારે આ મામલે સુખપાલનું કહેવું છે કે, એક કેસ ખોટો હતો. સુપ્રીમ કોર્ટે પણ તેને આ કેસમાં રાહત આપી દીધી છે.
Congress MLA Sukhpal Singh Khaira detained by Punjab Police
Read @ANI Story |
https://t.co/pLVdSiFDNT#SukhpalSinghKhaira #Congress #PunjabPolice #Punjab #CongressMLA pic.twitter.com/9z3ubVEe1E
- Advertisement -
— ANI Digital (@ani_digital) September 28, 2023
ખેહરાને જલાલાબાદ કોર્ટમાં રજુ કરાશે. ધરપકડ પુર્વે ખેહરા અને પોલીસ વચ્ચે શાબ્દીક ટપાટપી થઈ હતી. ખેહરાએ પોલીસ પાસે ધરપકડ વોરંટ માગ્યું હતું. ખેહરાએ કહ્યું હતું કે પંજાબ સરકાર તેની સામે બદલાખોરીની નીતિ અપનાવી રહ્યું છે તે પંજાબ સરકાર સામે અવાજ ઉઠાવે છે એટલે સરકાર તેની સામે બદલાખોરીની નીતિ અપનાવે છે.