હિંદુ માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને તે દરેક યુગમાં પૃથ્વી પર હાજર રહે છે. ચિરંજીવી માનવામાં આવતા ભગવાન પરશુરામની જયંતી ક્યારે છે અને શું છે તેમની પૂજાનું શુભ મુહૂર્ત વાંચો અહીં.
હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પરશુરામ જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 22 એપ્રિલ 2023, શનિવારે આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ જગતના પાલનહાર માનવામાં આવતા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. માન્યતા છે કે ભગવાન પરશુરામ માનવ માત્રના કલ્યાણ માટે પૃથ્વી પર અવતરિત થયા હતા.
- Advertisement -
આજ કારણ છે કે સુખ-સૌભાગ્યની કામના કરતા લોકો અખાત્રીજ વાળા દિવસે ભગવાન પરશુરામની ખાસ પૂજા કરે છે તેમની મોટી શોભા યાત્રા કાઢે છે. આવો પરશુરામ જયંતીની પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને ધાર્મિક મહત્વને વિસ્તારથી સમજીયે.
પરશુરામ જયંતીનું શુભ મુહૂર્ત
હિંદુ માન્યતા અનુસાર પરશુરામ જયંતી પર શુભ મુહૂર્તમાં ભગવાન પરશુરામની સાધના-આરાધના કવાથી જીવન સાથે જોડાયેલા તમામ કષ્ટ દૂર અને મનોકામનાઓ પુરૂ થઈ જાય છે. પંચાંગ અનુસાર જે વૈશાખ મહિનાના શુક્લ પક્ષે ભગવાન પરશુરામનું પ્રાગટ્ય થયું હતું તે વર્ષે 22 એપ્રિલ 2023એ સૂર્યોદયનો સમય સાંજે 7.49 વાગ્યાથી પ્રારંભ થઈને 23 એપ્રિલ 2023એ સાંજે 7:47 વાગ્યા સુધી રહેશે.
પંચાંગ અનુસાર આ દિવસે કોઈ પણ શુભ કે મહત્વપૂર્ણ કામને કરવું લાભદાયી માનવામાં આવે છે. પંચાંગ અનુસાર અખાત્રીજના દિવસે અભિજીત મુહૂર્ત સાંજે 11:54થી લઈને સાંજે 12: 46 વાગ્યા સુધી રહેશે.
- Advertisement -
પરશુરામ જયંતીનું ધાર્મિક મહત્વ
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવતા ભગવાન પરશુરામનો પ્રાકટ્ય પૃથ્વી પર પાપ અને અધર્મને દૂર કરવા માટે થયો હતો. ભગવાન પરશુરામે એવા અધર્મી રાજાનું વધ કર્યું, જેમણે પોતાના કર્તવ્યોનું પાલન ન કરી, ખોટા કાર્યોને પ્રોત્સાહન આપ્યું હતું.
માન્યતા એવી પણ છે કે અન્ય અવતારોની જેમ પરશુરામ આજે પણ પૃથ્વી પર નિવાસ કરે છે. પરશુરામ જયંતી પર જે પણ ભક્ત સાચ્ચી શ્રદ્ધાથી ભગવાન પરશુરામને યાદ કરે છે. તેમની આરાધના કરે છે તેના પર તેમના આશીર્વાદ વરસી શકે છે અને તેમના જીવન સાથે જોડાયેલી મુશ્કેલી દૂર થાય છે.