છત્તીસગઢ નક્સલ પ્રભાવિત પ્રદેશ છે. ત્યાંના દાંતીવાડા જિલ્લાની કુલ વસ્તી 14 હજારથી પણ ઓછી છે. ચારે તરફ ગાઢ જંગલો છે, જે નકસલીઓના રહેઠાણ આવેલા છે.
આ જંગલોની વચ્ચે થઇને નક્સલી પોલીસ અને અર્ધ સૈનિક દળો પર હુમલો કર્યો છે. આ નક્સલીઓએ હમાસના આતંકીઓની જેમ દાંતીવાડામાં સુરંગ બનાવી લીધી છે. આવી જ એક સુરંગનો ખુલાસો દાંતીવાડાની પોલીસે કર્યો છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે.
- Advertisement -
30 જાન્યુઆરી 2024ના સુકમા અને બીજાપુરની જિલ્લાની સીમાઓની વચ્ચે બનાવવામાં આવેલા નવા સિક્યોરિટી કેમ્પમાં નકસલીઓ હુમલો કરીને ત્રણ સીઆપીએફ જવાનો શહીદ થયા છે. જેમાંથી બે કોબરા બટાલિયનથી હતી. આ સિવાય 14 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. સુરક્ષાની દ્ષ્ટિએ આ સુરંગનું મળવું એ ગંભીર બાબત છે.
સુરંગનો વીડિયો જોતાં ખબર પડે છે કે, તે ઘણી ઉંડી અને ખુલ્લી છે. વચ્ચે-વચ્ચે સુરંગ ઘણી ખુલ્લી જોવા મળે છે, જેથી નકસલીઓ આમાંથી બહાર નીકળીને સુરક્ષદળો પર હુમલો કરી શકે. આ સુરંગને છુપાવવા માટે લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને તેના પર માટીથી ઢાંકવામાં આવી છે.
#WATCH | Chhattisgarh: Visuals from a tunnel dug by Naxalites to be used as a bunker, in Dantewada.
- Advertisement -
(Source: Dantewada Police) pic.twitter.com/04gRKCtWYl
— ANI (@ANI) January 31, 2024
નકસલીઓએ ટેકુલાગુડેમ ગામમાં સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. આ પહેલા આ જગ્યા પર 2021માં એન્કાઉન્ટર થયું હતું. જેમાં 23 સૈનિકો માર્યા ગયા હતા. નવા સિક્યોરિટી કેમ્પ બનાવ્યા પછી કોબરા કમાન્ડો, સ્પોશ્યલ ટાસ્ક ફોર્સ અને ડિસ્ટિ્ક્ટ રિઝર્વ ગાર્ડની ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નિકળ્યા હતા.
પહેલીવાર નકસલીઓએ સુરંગ બનાવી
આવી સુરંગ પહેલીવાર નકસલી પ્રભાવિત વિસ્તારમાં જોવા મળી છે. જાણકારી અનુસાર, સુરંગ દાંતીવાડા-બીજાપુર સીમા પર બનાવવામાં આવી હતી. એર સ્ટ્રાઇકથી બચવા માટે આવા બંકરો હમાસે ઇઝરાયલમાં બનાવ્યા હતા. સુરક્ષાને ધ્યાને રાખીને આ વાતની ચર્ચા ચાલી છે કે, આવી ટનલ પહેલા ક્યારેક નકસલીઓએ બનાવી નથી કે જોવા મળી નથી.