રાજકોટમાં સિંચાઇ વિભાગે આજીમાં 132 MCFT પાણી ઠાલવ્યું
આજીડેમની સપાટી 21 ફૂટને પાર : જનતાને પાણીની કોઈપણ મુશ્કેલી પડશે નહીં
- Advertisement -
બે મહિના ચાલે તેટલું પાણી મંગાવવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાલ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સારી મેઘમહેર વરસી છે. જોકે, રાજકોટ શહેર પર મેઘરાજા નારાજ હોય તેમ જોઈએ તેવો વરસાદ નહીં પડતા ભર ચોમાસે પણ રાજકોટને નર્મદાનો સહારો લેવો પડયો છે. જેમાં મનપા દ્વારા આજી અને ન્યારી ડેમમાં દોઢેક મહિનો ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં સાવચેતીના ભાગરૂપે આજી-1 ડેમમાં 400 તેમજ ન્યારી ડેમમાં 350 મળી કુલ 750 ખઈઋઝ પાણી આપવા રાજ્ય સરકારને પત્ર લખી માગ કરવામાં આવી હતી. જે અંતર્ગત સિંચાઈ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં 132 ખઈઋઝ પાણી ઠલવાઇ જતા આજીડેમની સપાટી 21 ફૂટને પાર પહોંચી છે. ચાલુ મહિનાના અંત સુધી આજીડેમમાં દૈનિક 20 ખઈઋઝ જેટલું પાણી ઠાલવવામાં આવશે. ત્યાર બાદ ન્યારી ડેમમાં નર્મદાનાં નીર આપવામાં આવશે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના આજી-1 ડેમમાં હાલમાં 388 ખઈઋઝ અને ન્યારી-1માં હાલ 382 ખઈઋઝ નીર છે. જે આગામી દોઢેક માસ ચાલી શકે તેમ હોવા છતાં સૌનીથી નીર માગવા માટે પુરતો સમય આપવો જરૂરી હોવાથી વરસાદની રાહ જોયા વગર મનપાએ સરકારને પત્ર પાઠવ્યો હતો. અને આજી-1માં 400 તેમજ ન્યારી ડેમમાં 350 ખઈઋઝ મળી ઓગસ્ટમાં સૌની યોજનાથી વધુ 750 એમ.સી.એફ.ટી. (મિલીયન ક્યુબિક ફૂટ) નર્મદા નીરની માગણી કરતો પત્ર રાજ્ય સરકારને લખાયો હતો.
- Advertisement -
વોટર વર્કસનો હવાલો સંભાળતા ઈજનેર દેથરીયાએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા લખવામાં આવેલા પત્રને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનાં સિંચાઈ વિભાગ દ્વારા સૌપ્રથમ આજીડેમમાં નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી હતી. અને દૈનિક 18-20 ખઈઋઝ પાણી આવતું હોવાથી અત્યાર સુધીમાં 132 ખઈઋઝ પાણી આવી ચૂક્યું છે. ઓગસ્ટના અંત સુધીમાં 400 ખઈઋઝ પાણી આવી જવાની શક્યતા છે. ત્યાર બાદ ન્યારી ડેમ ખાતે પણ નર્મદાના 350 ખઈઋઝ નીર ઠાલવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના આજીડેમમાં 15 સપ્ટેમ્બર અને ન્યારીમાં 30 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ હતું. હાલ જે રીતે પાણી વિતરણ થાય છે તે રીતે કરવામાં આગામી દોઢ-બે મહિના કોઈ મુશ્કેલી પડે એમ નહોતી. છતાં વરસાદ ના પડે તો 20 સપ્ટેમ્બર બાદ સમસ્યા થાય તેવી શક્યતા હોવાથી અગાઉથી જ નર્મદાના પાણીની માગ કરવામાં આવી હતી. અને હવે આ પાણી આવી ગયા બાદ ડિસેમ્બર મહિના સુધી રાજકોટની જનતાને પાણીની કોઈપણ મુશ્કેલી પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે ન્યારીમાં 600 અને આજીમાં 1800 ખઈઋઝ નર્મદાના પાણી સૌની યોજના મારફત ઠાલવવામાં આવ્યા હતા. ગતવર્ષે ઓગસ્ટ-સપ્ટેબરમાં પાછોતરા વરસાદ પડતા તેમાં ડેમ છલકાયા હતા. આ વખતે હજુ વરસાદના દિવસો બાકી છે. પણ જથ્થો ઘટતો જતો હોય સાવચેતી માટે મનપા દ્વારા વધુ બે મહિના ચાલે તેટલું પાણી મંગાવી લેવામાં આવ્યું છે.