-બે વખત ઓલિમ્પિયન અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા’તા તુલસીદાસ
દેશના શ્રેષ્ઠ ફૂટબોલર્સ પૈકીના એક એવા ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગ (1951-1962)નો હિસ્સો રહેલા તુલસીદાસ બલરામનું કોલકત્તાની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. તેમની તબિયત બગડતાં ગત વર્ષે 26 ડિસેમ્બરેત ેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
તુલસીદાસ બલરામ ઉત્તરપરામાં હુગલી નદીના કિનારે આવેલા એક ફ્લેટમાં રહેતા હતા. કોલકત્તામાં 1957માં તેમણે એક મકાન દત્તક લીધેલું હતું. સ્થિતિ બગડ્યા બાદ તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. યુરિન ઈન્ફેક્શન અને પેટ સંબંધિત બીમારીની તેમની સારવાર ચાલી રહી હતી.
જો કે સારવાર કારગત નહીં નિવડતા ગત બપોરે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. વર્ષ 2021માં પણ તેમના મગજમાં લોહીની ગાંઠ જામી ગઈ હતી. તેમણે 1956 અને 1960માં બે ઓલિમ્પિકમાં ભારત વતી રમ્યા અને એશિયન ફૂટબોલના શિખર પર પહોંચ્યા હતા.
મહાન કોચ સૈયદ અબ્દુલ રહીમના માર્ગદર્શનમાં ભારતે 1962માં કોરિયાને 2-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો જે ટીમનો હિસ્સો તુલસીદાસ હતા.