શુભમને 60 રન બનાવ્યા; જાડેજાએ 3 વિકેટ ઝડપી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
ભારતે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. રવિવારે કટકના બારાબાતી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ 49.5 ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.
- Advertisement -
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 119 રન બનાવીને પોતાની 32મી વન-ડે સદી ફટકારી હતી. શુભમન ગિલે 60 રન બનાવ્યા. રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 69 અને બેન ડકેટે 65 રન બનાવ્યા. જેમી ઓવરટને 2 વિકેટ લીધી હતી. હવે સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બુધવારે 12મી તારીખે રમાશે.
જો રૂટે 45મી ઓવરનો ત્રીજો બોલ ગુડ લેન્થ પર ફેંક્યો. રવીન્દ્ર જાડેજાએ આગળ વધીને કવર તરફ ચોગ્ગો ફટકાર્યો અને આ સાથે ટીમે ટાર્ગેટ ચેઝ કર્યો. જાડેજા 11 અને અક્ષર પટેલ 41 રન બનાવી અણનમ રહ્યા. ભારત તરફથી રોહિત શર્માએ 119 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલ 60 રન, શ્રેયસ અય્યર 44 રન, કેએલ રાહુલ 10, હાર્દિક પંડ્યા 10, વિરાટ કોહલી 5 રન બનાવીને આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી જેમી ઓવરટને 2 વિકેટ લીધી. આદિલ રશીદ અને ગસ એટક્ધિસને 1-1 વિકેટ લીધી. એક બેટર રન આઉટ થયો હતો.ભારતે 44મી ઓવરમાં 300 રન પૂરા કર્યા. રવીન્દ્ર જાડેજાએ ગસ એટક્ધિસન સામે ચોગ્ગો ફટકારીને ભારતને આ સ્કોર સુધી પહોંચાડ્યું.
રોહિત શર્મા ODIમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો, રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. રોહિતે આ મામલે ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધા છે.રોહિત લાંબા સમય પછી ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તેણે 30 બોલમાં પોતાની કારકિર્દીની 58મી અડધી સદી ફટકારી. રોહિત પોતાની મજબૂત ઇનિંગ્સની મદદથી દ્રવિડને પાછળ છોડી દેવામાં સફળ રહ્યો. રોહિત હવે આ યાદીમાં ચોથા સ્થાને છે અને તેની આગળ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી છે. રોહિત ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો, 2023 ના વનડે વર્લ્ડ કપમાં છેલ્લે સદી ફટકારી હતી. રોહિત છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. રોહિત પ્રથમ વનડેમાં ફક્ત બે રન બનાવી શક્યો હતો.ગયા વર્ષે કોલંબોમાં શ્રીલંકા સામે 64 રન બનાવ્યા બાદ કોઈપણ ફોર્મેટમાં અડધી સદી ફટકારી શક્યો નથી. કટકનો રોહિત એક અલગ જ સ્વરૂપમાં દેખાયો અને તેના રન-સ્કોરિંગના દુકાળનો અંત લાવ્યો. રોહિતે ઈંગ્લેન્ડ સામેની ઘઉઈં શ્રેણી પહેલા રણજી ટ્રોફીમાં રમવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તે ત્યાં પણ નિષ્ફળ ગયો. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા, ભારતીય કેપ્ટન ફોર્મમાં જોવા મળ્યો હતો જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.