ભડકાઉ ભાષણ અને ટિપ્પણીઓને લઇને હવે દિલ્હી પોલીસ હવે એક્શન મોડમાં છે. હવે આ બાબતે દિલ્હી પોલીસ મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. પોલીસ આ કેસમાં સોશ્યલ મીડિયા કંપનીઓને જલ્દી જ એક નોટિસ જાહરે કરશે. પોલીસનું કહેવું છે કે, તેમણે કથિત રૂપે નફરત ફેલાવે તેવા નિવેદનો ફેલાવવા તેમજ ધાર્મિક ભાવનોએ ઠેસ પહોંચાડવાને લઇને આઇએમઆઇએમના પ્રમુખ અસદુદીન ઓવૈસી અને વિવાદસ્પદ પુરોહિત યતિ નરસિંહાનંદ સહિત 31 લોકોની સામે કેસ દાખલ કરવામાં આવશે, જેના માટે તેઓ સોશ્યલ મીડિયા કંપનીને નોટિસ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે, જામા મસ્જિદની બહાર પ્રદર્શનને લઇને પણ પોલીસએ કેસ દાખલ કર્યો છે.
- Advertisement -
નોટિસ બાબતે ખુલાસો માંગવામાં આવશે
દિલ્હી પોલીસની તરફથી સોશ્યલ મીડિયા કંપનીઓને નોટિસ મોકલિને નફરત ફેલાવવાવાળા નિવેદનોથી જોડાયેલી પોસ્ટને લઇને ખુલાસો માંગવામાં આવશે. એટલે કે પોલીસ આ કેસમાં કોઇ પણની તરફથી કોઇ ચૂક રાખવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પ્રદેશ બીજેપી મીડિયા પ્રવક્તાના પૂર્વ પ્રમુખ નવીન કુમાર જિંદાલ અને પત્રકાર સબા નકવી સામે કરેલા કેસમાં આ સહિત 31 લોકોનો સમાવેશ થાય છે. જિંદલને પયગંબર મહોમ્મદના વિરૂદ્ધ વિવાસ્પદ ટીપ્પણીઓને લઇને પાર્ટીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નૂપુર શર્મા પર બીજો કેસ દાખલ
એક તરફ દિલ્હી પોલીસ જામા મસ્જિદની બહાર પ્રદર્શન કરવાવાળાની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ નૂપુર શર્માની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા પર બીજો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, સોશ્યલ મીડિયા પર તેમની સામગ્રીનું વિશ્લેષણ કર્યા પછી બે પ્રાથમિકતા દાખલ કરવામાં આવી છે.
- Advertisement -
નોટિસમાં મળેલા જવાબના આધાર પર તપાસ
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ કેસની તપાસમાં સોશ્યલ મીડિયા કંપનીને નોટીસ મોકલવાનું ચાલુ કરી દીધું છે. તે જ હિસાબે તેમની તપાસ થઇ રહી છે.