ચાર ધામ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર આવ્યા છએ. ચોર ધઆમના દર્શન ખુલતાની સાથે જ પ્રદેશની સરકાર દર્શન કરનાર લોકોની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. એક વાર ફરીથી સરકારએ ચાર ધામ યાત્રીઓની સંખ્યામાં વધારો કર્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આદેશ આપ્યા કે ચાર ધામના યાત્રીકોની સંખ્યામાં ફરીવાર વધારો કર્યો છે. છેલ્લા નક્કી કરેલી સંખ્યામાં દરરોજના હિસાબે 1000 સંખ્યાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે છેલ્લા વર્ષની તુલનામાં આ વર્ષ 1000થી વધુ શ્રદ્ધાળુઓ દરરોજ દર્શનનો લાભ લઇ શકશે.
- Advertisement -
ઉત્તરાખંડ સરકારએ ચાર ધામ યાત્રા દરમ્યાન વધી રહેલી ભીડ અને અવ્યવસ્થાને
ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના વધતા કેસોની વચ્ચે ગયા વર્ષ ચાર ધામ યાત્રા દરમ્યાન શ્રદ્ધાળુઓની સંખ્યા ઘણી ઓછી રાખવામાં આવી હતી.
આવો જાણીએ, સરકારના આ નિર્ણય પછી ચાર ધામની યાત્રામાં કેટલા શ્રદ્ધાળો દર્શન કરી શકશે
યમુનોત્રી- 5000
ગંગોત્રી- 8000
કેદારનાથ- 13000
બદ્રીનાથ- 16000
- Advertisement -
યાત્રીઓ દરરોજ દર્શન કરી શકશે. આ પહેલા ચાર ધામમાં દરરોજ લોકોની લિમિટને લઇને અસમંજસની સ્થિતિ બની ગઇ હતી, જ્યારે 3 મેના રોજ ચાર ધામ યાત્રાના પ્રારંભે પણ ધામીએ કોઇ લિમિટને લઇને નિવેદન આપ્યુ નહોતુ.
ધામીના આ નિવેદન પરથી માનવામાં આવી રહ્યું છે કે, દરરોજ અગણિત શ્રદ્ધાળુઓ ચાર ધામની યાત્રાના દર્શન કરી શકશે, જો કે ત્યાર બાદ ભીડ વધતા સરકારએ એક લિમિટ નક્કી કરી દીધી.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના કેસો હજુ આવી રહ્યા છે, જેથી ચાર ધામ યાત્રા દરમ્યાન કોઇ પણ રાજયની એસઓપીને ફોલો કરવામાં આવી રહી છે. જેના હેઠળ માસ્કની સાથે બહારના રાજ્યોમાંથી આવનાર શ્રદ્ધાળુઓ માટે 72 કલાકની આરટીપીસીઆરની નેગેટીવ રિપોર્ટ હોવી જરૂરી છે.