તૃણમૂલ કોંગ્રેસ સાસંદ મહુઆ મોઇત્રા પર પૈસા લઇને સંસદમાં પ્રશ્ન પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ લગાવેલા આરોપો પછી જ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. મહુઆ અને નિશિકાંતની વચ્ચે શાબ્દિક વિવાદ છેડાયો છે. ખોટી ડિગ્રીવાળા નિવેદન પર નિશિકાંતે મહુવાને ફરી એકવાર ઘેરી લીધા છે. તેમણે કહ્યું કે હવે મહત્વનો પ્રશ્ન તેમની ડિગ્રી કે અદાણી સમૂહ નથી, પરંતુ એ છે કે શું મોઇત્રાએ પૈસા લઇને સંસદમાં પ્રશ્ન પૂછયો છે કે નહીં, સાથે જ દુબેએ કહ્યું કે, થોડા પૈસા માટે મહુઆએ પોતાની પ્રામાણિકતા વેચી દીધી.
મહુઆએ મને ખોટી ડિગ્રીવાળો કહ્યો હતો
વૈષ્ણવ દ્રારા નિશિકાંત દુબેને લખવામાં આવેલા પત્ર પર મહુઆ મોઇત્રાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે વળતો જવાબ આપતા એક્સ પર લખ્યું કે, કોણ ખોટું બોલી રહ્યું છે? બે દિવસ પહેલા જ ખોટી ડિગ્રીવાળાએ કહ્યું કે, એનઆઇસીની તપાસ એઝન્સીએ પહેલા જ દુબઇ લોગીન પર સમગ્ર અહેવાલ આપી દીધો છએ. હવે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે. જો લોકસભા તેમજ એથિક્સ કમિટી દ્વારા પૂછવામાં આવે તો એનઆઇસી ભવિષ્યમાં જાણકારી આપશે.
- Advertisement -
મહુઆએ કેન્દ્રિય મંત્રીના પત્રને હાસ્યાસ્પદ બતાવતા લખ્યું હતું કે, તેઓ રાહ જોઇ રહ્યા છે કે ખોટા નિશિકાંત દુબેને કથિત રૂપે એરપોર્ટ પર ATC રૂમમાં ગેરકાનુની રીતે જવાના કેસની તપાસ કરાવવી જોઇએ. મારા પર હુમલો કરવા માટે ભાજપનું સ્વાગત છે, પરંતુ અદાણી+ગોડ્ડા શાયદ સર્વશ્રેષ્ઠ રણનીતિકાર નથી.
નિશિકાંતનો પલટવાર
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ પર કેટલાય આરોપો લગાવ્યા હતા. સોશઅયલ મીડિયા એક્સ પર કહ્યું કે, સંસદમાં હંમેશા પ્રશ્નો ગરિમા, રાષ્ટ્રીય સુરક્ષા અને સાંસદની ઓચિત્ય, ભ્રષ્ટાચાર અને ગુનાઓના વિશે પૂછવામાં આવે છે. તેમણે જવાબ આપવો જોઇએ કે, શું એનઆઇસીનો મેલ દુબઇમાં એક્સેસ થઇ શકે? શું પૈસાના બદલે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા? વિદેશી યાત્રાઓ માટે ખર્ચા કોણે ઉઠાવ્યા હશે?
તેમણે વધુમાં કહ્યું કે, તેમણે જવાબ આપવો જોઇએ કે, તેમણે પોતાની યાત્રાઓ માટે લોકસભા અધ્યક્ષ અને વિદેશ મંત્રાલયની પરવાનગી લેવાની હતી. તેમણે કહ્યું કે, હવે પ્રશ્ન અદાણી, ડિગ્રી કે ચોરીનો નથી, દેશને ગેરમાર્ગ દોરીને ભ્રષ્ટાચાર કરવાનો છે. ભાજપ સાંસદે કહ્યું કે, ડિગ્રીવાળા થોડા પૈસા માટે પ્રામાણિકતા વહેંચી શકે છે, દેશ નહીં.
- Advertisement -
શું છે સમગ્ર કેસ?
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર વિવાદ ત્યારે ઉભો થયો જયારે બીજેપી સાંસદ નિશિકાંત દુબેને સ્પીકરને પત્ર લખીને ટીએમસી સાંસદ સામે કૈશ અને ક્વેરી સબૂત આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, આ સબૂત વકીલ જય અનંત દેહાદ્રાઇ દ્વારા મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસમાં સાંસદની આચાર સમિતિએ દુબે અને અધિક્તા દેહાદ્રાઇ બંન્નેને 26 ઓક્ટોમ્બરના આરોપો માટે મૌખિક હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા છે.