મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ કેસ અંગે ઈલાહાબાદ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે શાહી ઈદગાહ સંકુલમાં ASI સર્વે કરવાની મંજૂરી આપી દીધી છે
ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. વાત એમ છે કે ‘ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન’ સહિત 7 લોકોએ વકીલ દ્વારા ઈલાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં ASI સર્વેની માંગ કરવામાં આવી હતી.
- Advertisement -
#WATCH | On Krishna Janmabhoomi case, Vishnu Shankar Jain, the lawyer for the Hindu side says, "Allahabad HC has allowed our application where we had demanded survey of (Shahi Idgah Masjid) by advocate commissioner. The modalities will be decided on Dec 18. The court has rejected… pic.twitter.com/OLSeYYSe50
— ANI (@ANI) December 14, 2023
- Advertisement -
વધુમાં વાત કરીએ તો અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા સંકેતો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું.
મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ કેસ અંગે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે સર્વે કરવાની મંજૂરી આપી છે. એક તરફ કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. બીજી તરફ ઈદગાહ કમિટી અને વક્ફ બોર્ડની દલીલોને કોર્ટે ફગાવી દીધી છે.