રાજકોટમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રાની તૈયારીઓને વેગ
માતૃશક્તિ અને દુર્ગાવાહિનીની બહેનોને જવાબદારી સોંપાઈ
- Advertisement -
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી ભવ્ય શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રાને લઈને તૈયારીઓને હવે વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. શોભાયાત્રામાં પધારનાર મહાનુભાવો તેમજ કૃષ્ણપ્રેમી
ભક્તોના ભવ્ય સ્વાગત અને સન્માનની વ્યવસ્થાને સુચારુ રીતે પાર પાડવા માટે સમિતિના ધર્માધ્યક્ષ પ.પૂ. ભક્તિ પ્રકાશદાસજી મહારાજના આશીર્વાદ સાથે માર્ગદર્શક સમિતિના સભ્યો, અધ્યક્ષ રાજાભાઈ (વાવડી), ધર્મયાત્રા
અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ “રથયાત્રા સ્વાગત સમિતિ”ની રચના કરવામાં આવી છે. સ્વાગત સમિતિની રચના થતાં જ
માતૃશક્તિ અને દુર્ગાવાહિનીની બહેનો તથા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વાગત સમિતિ દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં બહેનો દ્વારા સંચાલિત ધૂળ મંડળો, સેવા મંડળો, ગરબી
મંડળો, શેરી મંડળો તેમજ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આગામી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રામાં વધુમાં વધુ મંડળો, સંસ્થાઓ અને ધર્મપ્રેમી લોકોને જોડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો
છે.
સ્વાગત સમિતિના સંયોજિકા ડો. મનિષાબેન પંડ્યા અને સોનલબેન ચારણિયાએ જણાવ્યું હતું કે શોભાયાત્રામાં જોડાનાર તમામ ધર્મપ્રેમી તથા કૃષ્ણપ્રેમી ભાઈ-બહેનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. ભક્તોના કંકુ-ચાંદલા
તથા ચોખાથી સ્વાગત કરવામાં આવશે. વિવિધ મંડળોના આગેવાનોને ખેસ પહેરાવી તેમજ ફુલહારથી સન્માનિત કરવામાં આવશે. આ સમગ્ર આયોજનનો હેતુ સમરસ અને સંગઠિત હિન્દુ સમાજના નિર્માણ માટે ભગવાન
શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરવાનો રહેશે. સ્વાગત સમિતિના સભ્યો ટીનાબેન પંચાસરા, વૈશાલીબેન ડોબરિયા, જ્યોતિબેન વ્યાસ, શીતલબેન ધામેલિયા, અંજુબેન પટેલ, ધર્મિષ્ઠાબેન સાકરિયા અને મનિષાબેન કુંડલિયાએ
જણાવ્યું હતું કે શોભાયાત્રામાં જોડાનાર વિવિધ મંડળો અને સંસ્થાઓના આગેવાનો તથા કાર્યકર્તાઓનું સન્માન યાદગાર બને તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત સ્વાગત સમિતિની બહેનો દ્વારા ધર્મસભાના સ્ટેજનું સુશોભન, ફ્લોટનું સુશોભન તથા મુખ્ય રથના શણગાર સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. દેવાંશોબા વાઢેર, ભૂમિબેન મહેતા તથા કવિતાબેન
બડગુજરે જણાવ્યું હતું કે આ તમામ કામગીરીમાં નવા અને સર્જનાત્મક વિચારોનો સમાવેશ કરી સમયસર આયોજન પૂર્ણ કરવામાં આવશે. રથયાત્રા સ્વાગત સમિતિ સાથે જોડાયેલી અન્ય બહેનો પણ વિવિધ જવાબદારીઓ સાથે
સક્રિય બની છે. જેમાં જ્યોતિબેન પંડ્યા, ભાવનાબેન કલોલા, હંસાબેન સાપરિયા, જયશ્રીબેન વ્યાસ, સાક્ષીબેન ધામેલિયા, વંદનાબેન સેજપાલ, સપનાબેન પારવાણી, તેજલબેન ત્રિવેદી, પૂજાબેન દાવડા, ભાવનાબેન લીડીયા,
ચાર્મીબા પરમાર, પૂજાબેન રાવલ, રાણીબેન ચૌહાણ, હંસાબેન ગોંડલિયા, તૃપ્તિબેન શુક્લા, શોભાબેન આશરા, ખુશાલીબેન કુબાવત, મિસ્ટીબેન સામાણી, પલવીબેન, વિશ્વાબેન પાબારી, નીતાબા ઝાલા અને નયનાબેન રાવલ
સહિતની બહેનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સંપર્કો કરવામાં આવી રહ્યા છે. શોભાયાત્રાના સ્વાગતને વધુ આકર્ષક, ભવ્ય અને યાદગાર બનાવવા માટે અનેક નવતર અને સર્જનાત્મક વિચારો સાથે આયોજન કરવામાં આવી
રહ્યું છે.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ રાજાભાઈએ જણાવ્યું હતું કે, “આ શોભાયાત્રા માત્ર એક ધાર્મિક આયોજન નહીં પરંતુ સમગ્ર રાજકોટની ધર્મપ્રેમી જનતાના ઉત્સાહ અને આસ્થાનું ભવ્ય પ્રતીક બનશે. દરેક સમાજ, સંસ્થા,
મંડળ અને પરિવારને જોડીને શોભાયાત્રાને ઐતિહાસિક બનાવવાનો સંકલ્પ છે.” દરમિયાન જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલય ખાતે સેવાભાવી કાર્યકર્તાઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ વિવિધ
જવાબદારીઓ સ્વીકારી શોભાયાત્રાને ભવ્ય અને ઐતિહાસિક બનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. સમિતિના કાર્યકર્તાઓ, બહેનો, વિવિધ મંડળો અને સેવાભાવી લોકો દ્વારા ચાલી રહેલી તૈયારીઓના પગલે શહેરમાં ભક્તિ
અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં શોભાયાત્રાને લઈને વિવિધ કાર્યક્રમો અને વ્યાપક સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. ઉપરાંત 31 ઓગસ્ટ, સોમવારના રોજ રાત્રે 9 વાગ્યે યોજાનાર ભવ્ય લોક ડાયરો
“કાઠિયાવાડી રંગત”માં રાજકોટની જાહેર જનતાને ઉપસ્થિત રહી કાર્યક્રમનો આનંદ માણવા માટે માર્ગદર્શક સમિતિના સભ્યો તથા સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલિયાએ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ વતી જાહેર આમંત્રણ
પાઠવ્યું છે.




