આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેએ ઓફિશિયલી પોતાના રિલેશનશિપને ક્યારેય એક્સેપ્ટ નથી ક્યું. પરંતુ બન્નેના અફેરની ખબર ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે.
અનન્યા પાંડે હાલ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર અનન્યા પાંડે બોલિવુડ એક્ટર આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. કરણ જોહર પોતાના ચેટ શોમાં અનન્યા અને આદિત્યના રિલેશનશિપમાં હોવાનો હિંટ આપતા જોવા મળ્યો હતો. અનન્યાએ જણાવ્યું હતું કે તેને આદિત્ય હોટ લાગે છે. હવે આદિત્ય રોય કપૂરે પોતાના મેરેજ પ્લાન્સ પર વાત કરી છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
લગ્ન પર શું કહ્યું આદિત્યએ?
આદિત્ય રોય કપૂરે એક વાતચીતમાં પોતાના વેડિંગ પ્લાન્સ વિશે જણાવ્યું. લગ્નના સવાલ પર આદિત્યએ કહ્યું- હું લગ્નમાં બિલકુલ વિશ્વાસ રાખુ છું. જો થવાની હશે તો થઈ જશે. આ કંઈ એવું નથી જેને હું મેનિફેસ્ટ કરવાની કોશિશ કરી રહ્યો છું. હું દરેક દિવસને એવી રીતે જ લઉ છું જેવી રીતે તે આવે છે. માટે જો લગ્ન થવાના હશે તો થશે. હું હાલ કોઈ પ્લાન્સ નથી બનાવી રહી.
View this post on Instagram
પરિવાર સાથે સમય પસાર કરવાનું છે પસંદ
આદિત્યએ જણાવ્યું કે તેમને પરિવારની સાથે સમય પસાર કરવું ખૂબ જ પસંદ છે. એક્ટરે કહ્યું- ફેમિલીની સાથે ટાઈમ સ્પેંડ કરવું, મારૂ ગિટાર વગાડવું, સ્પોર્ટ અને ટ્રાવેલ કરવામાં મને સુકુન મળે છે. જ્યારે તમે ટ્રાવેલ કરો છો તો તમે હંમેશા રિફ્રેશ થઈને આવો છો. તમારે વસ્તુઓને જોવાનો નજરીઓ બદલાઈ જાય છે અને તેનાથી ખૂબ જ સુકૂન મળે છે.