અગાઉ કોન્ટ્રાક્ટરને હનીટ્રેપમાં ફસાવી 2.83 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી
પોલીસ લોકઅપમાં ગયેલા નીપા ઝાલા છે રાજકોટ આમ આદમી પાર્ટીની કાર્યકર્તા
- Advertisement -
જેલની હવા ખાઈ ચૂકેલા ગુનેગારોથી ખદબદતી આમ આદમી પાર્ટી પ્રજાનું શું ભલું કરશે?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના ઉમેદવારો રાહુલ ભુવા સહિતના પણ પ્રચારમાં લાગી ગયા છે ત્યારે આ ઉમેદવારો વતી પ્રચાર કરતા આપના કાર્યકરોમાં અમુક ગંભીર ગુનાના આરોપીઓ પણ જોડાયા હોય તેવું લાગી રહ્યું છે આપની કાર્યકર્તા નીપા ઝાલા જે અગાઉ 2019માં હનીટ્રેપ જેવા ગંભીર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી છે તે નીપા ઝાલા હવે આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી લોકો પાસે મત માંગી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે જે કાર્યકરો પ્રચાર કરી રહ્યા છે તે કોઈ સામાન્ય કાર્યકરો નહીં પરંતુ ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અને હવાલાતની હવા પણ ખાઈ ચૂકેલા આરોપી છે પ્રાપ્ત માહિતી મુજબ આપનો પ્રચાર કરી રહેલ આ નીપા ઝાલા ઉપરાંત ઉષા ડોબરીયા અને પ્રદ્યુમ્ન નામના શખ્સ સામે 2019માં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગોંડલ રહેતા અને બાંધકામનો કોન્ટ્રાકટ રાખી કામ કરતા યુવકને ફસાવ્યો હતો નીપા ઝાલા મુખ્ય સૂત્રધાર હતી તેણે યુવકને પોતાના છૂટાછેડા થઇ ગયા છે અને પોતે મૈત્રિકરારથી તેની સાથે રહેવા માંગે છે તેવું કહેતા યુવક ફસાઈ ગયો હતો બાદમાં પોતે નીપા ઝાલાને ખરીદી કરવા માટે પણ લઇ ગયો હતો બાદમાં તેના જણાવ્યા મુજબ ઘરે ગયો હતો ત્યારે નીપા ઝાલા અને ઉષા ડોબરીયાએ તેને ફસાવી પ્રદ્યુમ્ન નામનો શખ્સ પોલીસની ઓળખ આપી આવ્યો હતો અને ધમકાવી તમે ગોરખ ધંધા કરો છો કહી 10 લાખની માંગણી કરી હતી તે પછી 2.83 લાહ રૂપિયા પડાવ્યા હતા.
આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે નીપા ઝાલા, ઉષા ડોબરીયા સહીત ત્રણેયની ધરપકડ કરી હતી હાલ ચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે આ ચૂંટણી પ્રચારમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના પ્રચાર માટે આવા હનીટ્રેપ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને મેદાનમાં ઉતારતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે આવા ગુનેગારોને જોઈને કોઈ પણ વ્યક્તિ પોતાનો કિંમતી અને પવિત્ર મત આપશે નહિ તે નિશ્ચિત છે ત્યારે આવા હવાલાતની હવા ખાઈ ચૂકેલા ગુનેગારોથી ખદબદતી આમ આદમી પાર્ટી પ્રજાનું શું ભલું કરશે તે પણ એક પ્રશ્ર્ન ઉદ્ભવ્યો છે.



