By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    2 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    2 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    3 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    4 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    8 hours ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    10 hours ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    2 days ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    2 days ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    11 hours ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    3 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    9 hours ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    2 days ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    3 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    4 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રથમ પૂજનીય દેવ ગણેશજીના ભારતભરના સુપ્રસિદ્ધ મંદિરોનો ઈતિહાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > પ્રથમ પૂજનીય દેવ ગણેશજીના ભારતભરના સુપ્રસિદ્ધ મંદિરોનો ઈતિહાસ
ધર્મરાષ્ટ્રીય

પ્રથમ પૂજનીય દેવ ગણેશજીના ભારતભરના સુપ્રસિદ્ધ મંદિરોનો ઈતિહાસ

Khaskhabar Editor
Last updated: 2024/09/09 at 11:16 AM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

ગણપતિ બપ્પા મોરયા. દુંદાળા દેવ ગણેશજીના ભક્ત કોણ નથી. ભારતમાં ગણેશ ચતુર્થી પર ધામધૂમથી ગણપતિની સ્થાપના કરી તેમની વિશાળકાય પ્રતિમાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. પ્રથમ પૂજનીય દેવ ગણેશજીની ભક્તિભાવથી આરાધના કરવામાં આવે છે અને ગણપતિ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ જામે છે. પરંતુ શું તમે ભારતના તમામ પ્રખ્યાત ગણેશ મંદિરો વિશે જાણો છો…કે પછી આ વિનાયક મંદિરોની વિશેષતાઓ વિશે તમે જાણો છો. તો ચાલો આજે તમને જણાવીએ ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલા ગણેશ મંદિરો વિશે જેનો અનોખો મહિમા છે.

શ્રી સિદ્ધિવિનાયક મંદિર – મુંબઈ,મહારાષ્ટ્ર

- Advertisement -


મહારાષ્ટ્રના મુંબઈનું નામ પડે અને સૌ કોઈને યાદ આવે મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર. મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલું આ ગણપતિ મંદિર ભારતભરમાં ગણેશ મંદિરોમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. ઈ. સ. 1801માં નિર્માણ પામેલા આ મંદિરની અંદર માથું નમાવવા માટે ભક્તોની ભીડ રહેતી હોય છે. મુંબઈની માયાનગરીના સેલિબ્રિટીઝ અને જાણીતા લોકો સિદ્ધિવિનાયક મંદિરે દર્શન અને પૂજા અર્ચના કરવા આવતા હોય છે. અહીંના ગણેશજીને નવસાચા ગણપતિતરીકે ઓળખવામાં આવે છે,જેમના નામનો અર્થ થાય છે જે તમે અહીં સાચા મનથી ઈચ્છા કરશો તે ફળીભૂત થશે. મંદિરમાં પ્રવેશવા માટે બે દ્વાર છે. સિદ્ધિ ગેટથી વિનામૂલ્યે ભગવાનના દર્શન કરવા જઈ શકાય છે જ્યારે રીદ્ધિ ગેટથી સામાન્ય દર્શન થાય છે. જ્યાં સિનિયર સિટીઝન, બાળકો, દિવ્યાંગો, નાના બાળકો સાથેની મહિલાઓ, એનઆરઆઈ માટે દર્શનની ખાસ સુવિધા છે જ્યાં 50 રુપિયા ચડાવી પેઈડ દર્શન કરી શકાય છે. સિદ્ધિવિનાયક મંદિર જવા માટે તમારે મુંબઈ પહોંચવાનું રહે છે. દેશના તમામ શહેરોમાંથી બસ, ટ્રેન, પ્લેનની સુવિધા મળી રહે છે. મુંબઈના પ્રભાદેવી વિસ્તાર જવા માટે તમે બસ કે ટેક્સી દ્વારા જઈ શકો. અને ટ્રેનથી જવું હોય તો દાદરની લોકલ ટ્રેન દ્વારા જઈ શકો.

શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણેશમંદિર – પૂણે,મહારાષ્ટ્ર


સિદ્ધિવિનાયક મંદિર બાદ મહારાષ્ટ્રનું બીજું પ્રખ્યાત ગણેશમંદિર છે દગડુશેઠ હલવાઈ ગણેશમંદિર જે પૂણે ખાતે આવેલું છે. જ્યાં ગણપતિની સોનાજડિત મૂર્તિ 7.5 ફીટ ઊંચિ અને 4 ફીટ પહોળી છે.પ્રતિમાનો મુગટ 9 કિલોથી પણ વધુ વજન ધરાવે છે. એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના જાણીતા મીઠાઈ વિક્રેતા દગડુશેઠ હલવાઈ દ્વારા પોતાના મૃત પુત્રની યાદમાં 1893માં આ ભવ્ય ગણેશ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. કહેવાય છે કે લોકમાન્ય ટિળક દ્વારા મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની શરૂઆત અહીંથી જ કરવામાં આવી હતી ત્યારથી અહીં દર વર્ષે ગણેશોત્સવની ધૂમ રહે છે. દગડુશેઠ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જામે છે. દગડુશેઠ મંદિરમાં દર્શન કરીને ભક્તોની મનોકામના પુર્ણ થતી હોવાનું અને વિઘ્નહર્તા સૌ વિઘ્ન દૂર કરતા હોવાની માન્યતા છે. શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર પહોંચવા માટે તમે સડક માર્ગ, રેલવે કે હવાઈ માર્ગથી પૂણે પહોંચી શકો છો. રેલવે સ્ટેશનથી આ મંદિર માત્ર 5 કિમી દૂર છે તો એરપોર્ટથી 12 કિમીના અંતરે આવેલું છે.

- Advertisement -

ગણપતિ પૂળે મંદિર-રત્નાગિરિ, મહારાષ્ટ્ર


ગણપતિ બાપ્પાની બોલબાલા મહારાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળે છે. અને મહારાષ્ટ્રમાં ગણપતિ મંદિરો પણ વધુ જોવા મળે છે ત્યારે મહારાષ્ટ્રના રત્નાગિરિમાં આવેલું ગણપતિ પૂલે મંદિર પણ પ્રસિદ્ધ છે. ગણપતિ પૂલે મંદિરમાં ગણેશજીની મૂર્તિ પશ્ર્ચિમ દિશા તરફની રહે તે રીતે સ્થાપિત કરવામાં આવી છે. આશરે 400 વર્ષ જૂની આ મૂર્તિ માટે એમ કહેવાય છે કે તે સ્વયંભૂ પ્રગટ થયેલી છે.મંદિરની રચના એવી રીતે થયેલી છે કે ફેબ્રુઆરીથી નવેમ્બર મહિના સુધી મંદિરમાં સૂર્યના પ્રથમ કિરણો મળતા રહે છે. ગણપતિપૂલે કોંકણમાં સૌથી વધુ પૂજા કરાનાર મંદિરોમાંથી એક છે. મંદિર પાછળ એક નાનકડી પહાડી છે જે ગણેશજી સાથે જોડાયેલી છે અને શ્રદ્ધાળુઓ તેની પરિક્રમા કરતા હોય છે. ગણપતિ પૂલે જવા માટે સૌથી નજીકનું એરપોર્ટ કોલ્હાપુર છે, રેલવે માર્ગ પસંદ કરો છો તો કોંકણ માર્ગ પર ભોકે સૌથી નજીકનું રેલવેસ્ટેશન છે, જો કે રત્નાગિરી પણ નજીક પડે. સડક માર્ગે ગણપતિપૂલે મુંબઈ, પુણે અને કોલ્હાપુર થઈને જઈ શકાય.

ઉચ્છી પિલ્લયર મંદિર તિરુચિરાપલ્લી, તમિલનાડુ


મહારાષ્ટ્ર બાદ કોઈ ગણેશ મંદિર પ્રખ્યાત છે તો તે છે ભારતના દક્ષિણ ભાગમાં તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચી , તામિલનાડુમાં આવેલું ઉચ્છી પિલ્લયર મંદિર. 7મી શતાબ્દિમાં નિર્માણ પામેલું આ ગણેશ મંદિર ત્રિચીના રોક ફોર્ટ પર આવેલું છે. આ સુંદર મંદિર 273 ફુટની ઊંચાઈએ આવેલું છે જ્યાં પહોંચવા માટે લગભગ 400 પગથિયા ચડવા પડે છે. આ મંદિરમાં ગણેશજીની પૂજા બાદ 6 વખત આરતી થાય છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજવંશના સમયમાં પર્વત પર નિર્માણ પામેલું આ મંદિર બેનમૂન પર્વતીય સ્થાપત્યનું ઉદાહરણ છે. મંદિરને લઈને માન્યતા છે કે ગણેશજી વિભીષણથી છુપાઈને અહીં આવ્યા હતા. કહેવાય છે કે ક્રોધિત વિભીષણે ગણેશજી પર પ્રહાર કર્યો જેના નિશાન અહીંના મૂર્તિના મસ્તક પર જોવા મળે છે.

ગણેશટોક મંદિર – ગંગટોક,સિક્કિમ


દક્ષિણ ભારત પછી એક નજર કરીએ ભારતની પૂર્વ છેડા પર. ભારતના પૂર્વોત્તર રાજ્ય એવા સિક્કિમની રાજધાની ગંગટોકમાં આવેલું,કાંચનજંઘાની ઊંચી અને નયનરમ્ય ગિરિમાળામાં આવેલું ગણેશટોક મંદિર અદ્ભુત છે. ગંગટોકમાં ટેકરીની ટોચ પર આવેલું આ મંદિર યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે ખૂબ પવિત્ર અને મુલાકાત લેવા યોગ્ય સ્થાનક છે.અહીંનું સુંદર હરિયાળું વાતાવરણ અને પર્વતીય પ્રદેશ પણ પર્વતારોહકો તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કારણ બને છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત લેતા હોયછે.

ત્રિનેત્ર ગણેશ મંદિર- રણથંભોર, રાજસ્થાન


પૂર્વ ભારતના ગણેશ મંદિરના દર્શન બાદ મુલાકાત લઈએ રાજા-રજવાડાંઓના પ્રદેશ એવા રાજસ્થાનના ગણપતિ મંદિરોની.રાજસ્થાનમાં મુખ્ય અને લગભગ 6500 વર્ષ પ્રાચીન ગણેશ મંદિર છે રણથંભોર નેશનલ પાર્કમાં આવેલું ત્રિનેત્ર ગણેશ મંદિર.એક કથા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણી પોતાના લગ્ન માટે આશીર્વાદ મેળવવા આ મંદિરે ગણેશજીના દર્શન કરવા ગયા હતા.રણથંભોરના કિલ્લાની અંદર આવેલા ત્રિનેત્ર ગણેશ મંદિરે દર વર્ષે લગ્ન પૂર્વે ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવવા લગ્નની કંકોત્રીઓ તથા ભેટસોગાદો મૂકવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે.ત્રિનેત્ર પ્રકારની મૂર્તિ સ્વરૂપનું આ ભારતનું પ્રથમ ગણેશમંદિર છે. દર વર્ષે ગણેશચતુર્થી દરમિયાન યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આ સ્થાનની મુલાકાતલેતા હોય છે.

કનીપકમ વિનાયક મંદિર- ચિત્તુર, આંધ્રપ્રદેશ


ગણપતિ બપ્પા દક્ષિણ ભારતમાં પણ પુરી આસ્થા સાથે પૂજાય છે. આંધ્રપ્રદેશના ચિત્તુરમાં આવેલું લગભગ 700 વર્ષ પૌરાણિક કનિપક્કમ ગણેશ મંદિર ખુબ જ પ્રાચીન અને સ્થાપત્યની દ્રષ્ટિએ અલૌકિક છે. આ મંદિરને પાણીના દેવતાનું મંદિર પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે અહીં ભગવાન ગણેશની મૂર્તિનો આકાર વધી રહ્યો છે. વિનાયકચતુર્થીથી 20 દિવસ સુધી અહીં બ્રહ્મોત્સવ ઉજવવામાં આવે છે. નદીકિનારે આવેલું હોવાથી આ તીર્થને કનિપક્કમ કહેવામાં આવે છે. આ વિનાયક મંદિર આંધ્રપ્રદેશના તિરૂપતિથી માત્ર 72 કિમીના અંતરે આવેલું હોવાથી અહીંનું પણ ધાર્મિક મહત્વ વધી જાય છે. અહીં પહોંચવા માટે સડક માર્ગ દ્વારા તિરુપતિ બસસ્ટેશનથી બસ અને કેબ મળી શકે છે. તો ટ્રેન દ્વારા જવા ઈચ્છતા હો તો તિરુપતિ રેલવે સ્ટેશન 70 કિમી અને હવાઈ માર્ગે તિરુપતિ એરપોર્ટ 86 કિમી દૂર છે.

કલામાસ્સેરી મહાગણપથી મંદિર – કોચ્ચિ, કેરળ


કેરળ રાજ્યમાં આવેલા આ મંદિરમાં ભગવાન ગણેશની સાથે સુબ્રમણ્યમ સ્વામી અને નવગ્રહોનો પણ સમાવેશ થાય છે.આ મંદિરમાં ભગવાન શંકર,દેવી પાર્વતી અને ભગવાન રામની મૂર્તિઓ પણ જોવા મળે છે. ઈ.સ.1 980માં બનેલું આ મંદિર સામાન્ય માણસના ધાર્મિક શ્રદ્ધા અને પ્રેમનું ઉદાહરણ પૂરૂ પાડે છે. મંદિર બહુ ભપકાદાર શૈલીમાં બનાવવામાં આવ્યું નથી,પણ તેનું સાદું સ્થાપત્ય પણ મનને ગમી જાય તેવું છે.શ્રદ્ધાળુઓ અહીં ચાલતા અષ્ટદ્રવ્ય મહાગણપતિ યજ્ઞમાં ભાગ લેતા હોય છે.દર ચાર વર્ષે અહીં ગજપૂજાનું આયોજન થાય છે.મલયાલમ કેલેન્ડરના કર્કડ્ડોકમ મહિનાના પ્રથમ દિવસે મંદિરમાં આનાયૂટ્ટુનું આયોજન કરવામાં આવે છે.કોંક્રિટનું માળખું ધરાવતા આ સાદા ગણેશ મંદિરને શ્રદ્ધાળુઓ પ્રેમથી Roadside Ganapathy તરીકે ઓળખે છે.

વરસિદ્ધિ ગણેશ મંદિર-ચેન્નાઈ


ચેન્નાઈના વસંતનગર વિસ્તારમાં આવેલું ચેન્નાઈનું આ પ્રખ્યાત ગણેશ મંદિર છે.અહીં ભગવાન ગણેશની મૂર્તિ કે જે વાલમપુરી વરસિદ્ધિ વિનાયકાર તરીકે ઓળખાય છે,તેને જમણી તરફ તેમની પત્ની સિદ્ધિ સાથે સ્થાપિત થયેલી છે.મંદિરમાં દર વર્ષે ગણેશચતુર્થી નિમિત્તે ધાર્મિક સંગીતના કાર્યક્રમો થાય છે,જે શ્રદ્ધાળુઓ અને સંગીતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.ઉપરાંત,મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક વિશેષ ઓડિટોરિયમ પણ છે.

You Might Also Like

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ

PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું

રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ

MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન

TAGGED: Worshipful Lord Ganesha
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 43 ગ્રામીણ બેંકોની સંખ્યા ઘટાડીને 30 કરાશે: નાણાં મંત્રાલય દ્વારા કવાયત શરૂ
Next Article દુરાચારી, ખરાબ નજરવાળા દુષ્ટ, કોઈ પણ પ્રકારના કારણ વિના બીજાને હાનિ પહોંચાડતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
મોતના મુખમાં જીવન : પાલિતાણાના ગરજીયા ગામે સિંહણ માલધારીને દબોચી પગ પર આંટી મારી બેસી ગઇ
રાવકી ગામે ખરાબાની જમીન ખાલી કરાવનાર યુવકની ધોકાના ઘા ઝીકી હત્યા
યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર વકીલ સહિત 5 સામે ફરિયાદ
‘કેચ ધ રેઈન’ : ગુજરાતમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’
વોટ્સએપ ચેટ ન બતાવતા ભાવનગરના યુવકે UP જઇ ગર્લફ્રેન્ડની હત્યા કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?