નોર્વના ઉપ વિદેશ મંત્રી એન્ડ્રિયાસમોત્જફેલ્ટ ક્રાવિકે ભારત સાથે થયેલી દ્વિપક્ષીય વાતચીતમાં બંન્ને દેશો વચ્ચેના પરસ્પરના સંબંધોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, દુનિયાના સૌથી મોટા લાકતાંત્રિક ભારતને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદામાં પ્રગતિ માટે જરૂરી માનવામાં આવી રહ્યો છએ. કોઇ પણ આતંરરાષ્ટ્રીય મુદાને કોઇ વૈશ્વિક સમાધાન મેળવવું ભારતનો સમાવેશ કર્યા વગર શોધવું અશક્ય છે.
ભાગીદારીને મજબૂત કરવાના સૂવર્ણ અવસર
તેમણે વધુમાં કહ્યું કે, અમે ભારતને વર્તમાનના મહત્વપૂર્ણ મુદા જેવા કે જળવાયુ પરિવર્તનથી લડવા, બહુપક્ષવાદનો વિસ્તાર કરવા, આતંરરાષ્ટ્રીય કાયદામાં સમાધાન મેળવવા અનિવાર્ય ગણીએ છીએ. નોર્વ-ભારત ભાગીદારી વિશે કહ્યું કે, ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારી પાસે કેટલાય અવસર છે. ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો અને કહ્યું કે, આ બંન્ને દેશોની સમસ્યાના સમાધાન મેળવવા માટે સમાન રૂપથી પ્રતિબદ્ધ છે.
- Advertisement -
Minister @PiyushGoyal met @Akravik79, Deputy Foreign Minister, Norway.
They discussed the progress of Free Trade Agreement (FTA) negotiations with European Free Trade Association (EFTA) nations and explored avenues to further strengthen India-Norway partnership. 🇮🇳🤝🇳🇴 pic.twitter.com/JCAn6BPKMS
— Piyush Goyal Office (@PiyushGoyalOffc) November 23, 2023
- Advertisement -
શિખર સંમેલ્લનમાં વડાપ્રધાન મોદીના સામેલ થવાની આશા વ્યક્ત કરી
તેમણે કહ્યું કે, ભારત અમારૂ મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમારી છેલ્લી મીટિંગમાં આ પ્રતિબદ્ધતાઓની ખાતરી કરી છે. ભારત-નોર્ડિક શિખર સંમેલ્લન વિશે કહ્યું કે, શિખર સંમેલ્લન વ્યાપાર ક્ષેત્ર, વૈજ્ઞાનિક સમુદાય અને વિભિન્ન સરકારી એજન્સીઓમાંથી અમારા પ્રતિનિધિઓને બોલાવવા માટે એક મંચ છે. જેના માટે અમારી પાસે અલગ-અળગ દષ્ટિકોણ છે. અમારા વિદેશ મંત્રીએ જયશંકરને ઓસ્લોમાં આમંત્રિત કર્યા છે. જે આ વર્ષના અંતમાં મળશે. નોર્વિક-ભારત શિખર સંમેલ્લન ઉનાળા પછી અથવા શરદ ઋતુમાં યોજવામાં આવશે. અમને આશા છે કે વડાપ્રધાન મોદી પણ સામેલ થશે.
ભારતીય બજારોની પ્રશંસા કરી
ભારતીય બજારો વિશે બોલતા કહ્યું કે, ભારતીય બજારોની સાથે જોડાવાના બે ફાયદા છે. પહેલો આર્થિક મજબૂતી અને બીજો રાજનૈતિક લાભ. નોર્વે ભારતના એક પુલના રૂપમાં જોવામાં આવે છે. એક બજારના રૂપે ભારત ઘણા દિલચસ્પ બનશે. ભારતીય બજાર સરકારની સાથે-સાથે ખાનગી ક્ષેત્રના વેપારીઓ અને બીજા હિતધારકો માટે મહત્વપૂર્ણ છે. અમે આર્થિકની સાથે-સાથે રાજનૈતિક કારણોથી પણ ભારતીય બજારો સાથે જોડાવા માટે પ્રતિબદ્ધ છીએ.