અખિલ ભારતીય શિક્ષા સમાગમનો પ્રારંભ: દેશની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિહાળ્યો કાર્યક્રમ
ખાસ-ખબર સંવાદદાતા
નવી શિક્ષણ નીતિ-2020ને ત્રણ વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા દેશના વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ કર્યો હતો. રાજકોટ જિલ્લાની તમામ શાળામાં લાઈવ ટેલિકાસ્ટ કાયક્રમ દેખાડાયો હતો. શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. ભારતીય શિક્ષા સમાગમ બે દિવસ સુધી ચાલશે. વડાપ્રધાન મોદીએ દિલ્હીની કેટલીક આંગણવાડીમાં જઈને બાળકો સાથે સમય વીતાવ્યો હતો. શિક્ષા સમાગમ કાર્યક્રમ નવા એક્ઝિબિશન સેન્ટરમાં થયો હતો.
- Advertisement -
જેમાં યુનિવર્સિટીના કુલપતિ-પ્રોફેસરો સહિત ત્રણ હજાર લોકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, યુવાઓના નિર્માણમાં માતા-પિતા અને શિક્ષકોની ભૂમિકા હોય છે. બે દિવસ દરમિયાન સ્કૂલો કેવી હોય અને નવી શિક્ષણ નીતિ મુજબ શું ફેરફાર થવા જોઈએ તેની ચર્ચા કરાશે.