પાક. સેના પર ફરી બલૂચ બળવાખોરો ભારે પડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
બલૂચિસ્તાન પ્રાંતમાં બુધવારે થયેલા એક હુમલામાં પાક સેનાના ચાર સૈનિકોના મોત થયા છે અને બીજા પાંચ ઘાયલ થયા છે. પાક સેના તરફથી અપાયેલી જાણકારી પ્રમાણે હુમલો કરનારા ભારે હથિયારોથી સજ્જ હતા અને તેમણે સેનાની એક પોસ્ટને ટાર્ગેટ કરીને ફાયરિંગ કર્યુ હતુ.
- Advertisement -
પાક સેનાએ તેને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો છે અને કહ્યુ છે કે, પાક સેનાએ વળતો જવાબ આપ્યો હતો અને તેમાં ત્રણ આતંકીઓના મોત થયા છે. ભારે ફાયરિંગમાં ત્યાંથી પસાર થતી એક મહિલાને પણ જીવ ગુમાવવો પડ્યો છે. હુમલો કરનારા અને બચી ગયેલા બે વ્યક્તિઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે. બલૂચિસ્તાનની શાંતિનો ભંગ કરનારા તત્વોના પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે પાકિસ્તાની આર્મી મક્કમ છે.
દરમિયાન હુમલાની જવાબદારી તહરિક એ જિહાદ પાકિસ્તાન નામના ઓછા જાણીતા સંગઠને લીધી છે. પાકિસ્તાન બલૂચિસ્તાન તેમજ ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં લાંબા સમયથી ચાલી રહેલા હુમલાઓના કારણે પરેશાન છે. બલૂચિસ્તાનમાં બલૂચ બળવાખોરો અને ખૈબર પખ્તૂનખામાં તહેરિક એ તાલિબાન પાકિસ્તાન નામુ સંગઠન છાશવારે પાક સેના પર હુમલો કરી રહ્યુ છે. આ મહિનાની શરુઆતમાં જ બલૂચિસ્તાનમાં બળવાખોરોએ કરેલા હુમલામાં ચાર સુરક્ષાકર્મીઓના મોત થયા હતા.