ઉતરપુર્વના રાજા મણીપુરમાં સતત વણસી રહેલી સ્થિતિ વચ્ચે ગઈકાલે સૈન્ય વડા ઈમ્ફાલ પહોંચ્યા બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પણ નાના રાજયની ત્રણ દિવસની મુલાકાતે પહોંચી ગયા છે અને રાજયમાં સર્જાયેલી દાવાનળ જેવી સ્થિતિમાં તેઓ નિર્ણાયક પગલાની જાહેરાત કરશે. આ વચ્ચે છેલ્લા બે દિવસમાં ચાલી રહેલી હિંસામાં તોફાનીઓએ ઠેરઠેર આગજની અને હુમલાઓ ચાલુ રાખ્યા છે
અને ગોળીબારમાં વધુ 5 ના મૃત્યુ થતા હવે આ હિંસામાં માનવ ખુવારી સતત વધતી જાય છે. સૈન્યએ પરીસ્થિતિ પર અંકુશ લેવાનાં પ્રયાસ કર્યા છે પણ તોફાનીઓ સામાન્ય નાગરિકોને હ્યુમન-શિલ્ક તરીકે આગળ ધરીને તેના કૃત્યોને અંજામ આપી રહ્યા છે.
- Advertisement -
આ અંગેના સંદેશાઓ ભારતીય સેનાએ આંતરતા ઘટસ્ફોટ થયો છે કે આ રાજયમાં વ્યાપક હિંસાની તૈયારી છે.ખાસ કરીને નિર્દોષ નાગરિકો આ પ્રકારના હુમલાનો ભોગ બને છે તેથી હવે સૈન્યએ નાગરિકોને તેમના ઘરમાં જ રહેવા માટે ચેતવણી આપી છે.