ફેબ્રુઆરી મહિનામાં જ ઝડપથી તાપમાન વધવા લાગ્યુ છે. જેના કારણે ખેતી પાકની સાથે ફળ અને શાકભાજીમાં રોગ લાગુ પડવાની અને ઉપજમાં મોટો ઘટાડો થવાની આશંકા છે. તાપમાનના દબાણના કારણે સમય પહેલા જ પાક પાકવાથી તેની ગુણવતા પર પણ અસર પડશે.
હાલના દિવસોમાં ન્યુનતમ તાપમાન 15 ડીગ્રીથી અધિકતમ 21 ડિગ્રી સુધીનું હોવું જોઈએ, પરંતુ અનેક વિસ્તારોમાં પાંચ મહિનામાં સંભવિત તાપમાન 28 ડિગ્રીને પણ હાલ પાર કરી ગયું છે.
- Advertisement -
ઘઉંની ગુણવતા અને ઉત્પાદન પર મોટી અસર: ઘઉંના વહેલા પાકમાં દાણો બની રહ્યો છે પણ વધુ તાપમાનથી તે સંકોચાઈ જશે અને પાક સમય પહેલા પાકી જશે. પાછોતરા (મોડેથી વાવેલા) પાકમાં ગરમીના કારણે દાણો નહીં બની શકે. 32થી35 ડીગ્રી તાપમાન થવા સુધીમાં ઉપજ પર 15થી20 ટકા અને 35 ડીગ્રીથી વધુ તાપમાન થવા પર 30 ટકા સુધી નુકસાન થઈ શકે છે.
આઈવીઆરઆઈ બરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. રણજીતસિંહે જણાવ્યું હતું કે સરસવના પાક પર પણ વધતા તાપમાનની અસરનો ઈન્કાર કરી નથી શકાતો. ચંદ્રશેખર આઝાદ કૃષિ અને ટેકનોલોજી યુનિવર્સિટી કાનપુરના સંશોધન ડિરેકટર ડો. વિજયકુમાર યાદવ માને છે કે ચણા, વટાણા, મસુર, રાજમા વગેરે દાળના પાકમાં હજુ નુકસાનની સંભાવના ઓછી છે.
ટમેટાં, બટેટાં સહિત વિભિન્ન શાકભાજીઓમાં થશે નુકસાન: શાકભાજી વૈજ્ઞાનિક ડો. રામ બટુકસિંહ અનુસાર વટાણા, ટમેટાં, બટેટાં, ફલાવર, કોબીજ, બ્રોકલી, શિમલા મરચાં, પાલક, મેથી, ધાણા, મુળા, લસણ, લીલી ડુંગળી, રિંગણા, દૂધી વગેરેને અસર થશે. આ શાકભાજીને માહુ કીટ, તના છેદક કીટ, ફલ છેદક કીટ, બળી જવાનો રોગ લાગુ પડી શકે છે.
- Advertisement -
હાલના સમયે ટમેટાં, મરચાં અને રિંગણાના ફલ ઝડપથી મળી રહ્યા છે. કેરી, લીચીના મોર ખરી રહ્યા છે. ફળોમાં રોગ આવવાથી તેમાં મીઠાશ ઘટવાની સંભાવના છે. તાપમાન વધ્યું તો કેરીના મોર ખરવા માંડશે.