– નવા મુસદ્દા મુજબ પીઆઈબી કે સરકારની કોઈ એજન્સી ફેક ન્યુઝની ઓળખ કરશે
કેન્દ્ર સરકારે ફેક (બોગસ)ન્યુઝ હટાવવા માટે નવો સંશોધન મુસદો જાહેર કર્યો છે. આ નવા મુસદા અનુસાર ડિઝીટલ મીડીયા માટે એક નવી કેટેગરી શરૂ કરવાનો પ્રસ્તાવ છે. તેમાં પીઆઈબી કે કેન્દ્ર સરકારની કોઈ એજન્સી ફેક ન્યુઝની ઓળખ કરશે. સરકાર અંમિ નિર્ણય કરશે કે સોશ્યલ મિડિયા પર કંઈ ખબર પ્રકાશિત કરવામાં આવે અને કંઈ હટાવી દેવામાં આવે.ગઈકાલે બુધવારે એડટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ આ મુસદાને હટાવવાની માંગ કરી છે.
- Advertisement -
ગિલ્ડ દ્વારા જાહેર કરાયેલ નિવેદનમાં મંત્રાલયને માંગ કરાઈ છે કે, નવા સંશોધનને ખતમ કરી અને ડીઝીટલ મીડીયા માટે નિયામક માળખા પર પ્રેસ બોડી, મીડીયા સંગઠનો પાસેથી સલાહ લેવામાં આવે.
ગિલ્ડે આ મુસદા પર ઉંડી ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, ફેક કે ખોટા સમાચારને નકકી કરવાનું કામ સરકારના હાથમાં ન હોઈ શકે. આથી તો પ્રેસ પર સેન્સરશીપ વધશે. ફેક ન્યુઝને લઈને પહેલાથી જ અનેક કાનુની મોજૂદ છે. પીઆઈબી કે અન્ય એજન્સીઓને વધુ અધિકાર દેવાથી પ્રેસની આઝાદી પર નિયંત્રણ થશે.
EGI is deeply concerned by amendment to IT Rules 2021 made by MEITY, giving authority to PIB to determine veracity of news reports, and directing online intermediaries and social media platforms to take down content deemed as ‘fake’. Guild feels this is akin to censorship. pic.twitter.com/uy49cOwTcT
- Advertisement -
— Editors Guild of India (@IndEditorsGuild) January 18, 2023
આઈટી મંત્રાલયે મંગળવારે મુસદો જાહેર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, એક મધ્યસ્થને એવી જાણકારી પ્રકાશીત કરવાની મંજુરી નહિં આપવામાં આવે. જે માહિતીનાં ઉત્પતિનાં બારામાં પતો લગાવવામાં દગો દે છે અથવા જાણી જોઈને કોઈ ખોટી માહીતીઓ ફેલાવે છે. માહિતી મંત્રાલયની પીઆઈબી ફેકટ ચેક યુનિટ અથવા કેન્દ્ર સરકાર દ્વારા નિશ્ચિત એજન્સી બોગસ કે ખોટી ખબરની ઓળખ કરશે.
પીઆઈબીએ વર્ષ 2019 માં પોતાના ફેકટ ચેકીંગ યુનિટની રચના કરી હતી. આ યુનિટનું મુખ્ય કામ હતું કે સરકાર કે સરકાર સાથે જોડાયેલરી કોઈપણ ખબરની તપાસ કરવી અને પતો લગાવવો કે ખબર સાચી છે કે ખોટી.